તીરથસિંહ રાવત ઉત્તરાખંડના નવા મુખ્ય મંત્રી બન્યા, ત્રિવેન્દ્રસિંહ રાવતે આપ્યું હતું રાજીનામું

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

તીરથસિંહ રાવત ઉત્તરાખંડના નવા મુખ્ય મંત્રી બનશે. તીરથસિંહ રાવત ભાજપના સાંસદ છે અને 2013-15માં તેઓ ઉત્તરાખંડ ભાજપનાં પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેમણે શપથ પણ લઈ લીધા છે.

56 વર્ષીય તીરથસિંહ રાવત પૌડી ગઢવાલથી લોકસભાના સાંસદ છે. 2007માં તેમને ઉત્તરાખંડ રાજ્યના મહાસચિવ બનાવાયા હતા. અગાઉ રાવત રાજ્યમાં ધારાસભ્યપદે પણ ચૂંટાઈ ચૂક્યા છે.

મંગળવારે ઉત્તરાખંડના મુખ્ય મંત્રીપદેથી ત્રિવેન્દ્રસિંહ રાવતે રાજીનામું આપ્યું હતું અને બાદમાં નવા સીએમની વરણી કરાઈ છે. અત્રે નોંધવું કે ઉત્તરાખંડ બન્યું ત્યારે તીરથસિંહ રાવત તેના પહેલા શિક્ષણમંત્રી બન્યા હતા.

ભાજપના ધારાસભ્યોના એક વર્ગમાં રાવતની કાર્યશૈલીની વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો હતો, જેના કારણે તેમની વિરુદ્ધ હાઈકમાન્ડને ફરિયાદ ગઈ હતી.

ત્રિવેન્દ્રસિંહ રાવતની કાર્યપદ્ધતિ સામે ધારાસભ્યોના એક સમૂહે નવી દિલ્હીમાં પાર્ટી હાઈકમાન્ડને ફરિયાદ કરી હતી. તેમનું કહેવું હતું કે સરકારમાં તેમનાં કામ નથી થતાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો