You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વીજળી પડવાથી બિહારમાં 83, UPમાં 24 લોકોનાં મૃત્યુ
અધિકૃત માહિતી પ્રમાણે બિહારમાં વીજળી પડવાથી 83 લોકોનાં મૃત્યુ થયાં છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં 24 લોકોનાં મૃત્યુ થયાં છે.
25 જૂનની સાંજે છ વાગ્યા સુધીમાં મળેલી માહિતી પ્રમાણે 83 લોકોનાં મૃત્યુ થયાં છે.
રાજ્યના આપદા પ્રબંધન વિભાગને જિલ્લાઓમાંથી ફોન પર મળેલી માહિતીના આધારે સૂચિ જાહેર કરવામાં આવી છે.
બિહારના અંદાજે 23 જિલ્લામં વીજળી પડવાને લીધે જાનમાલનું નુકસાન થયું છે.
વીજળી પડવાને લીધે સૌથી વધારે 13 લોકોનાં મૃત્યુ ગોપાલગંજ જિલ્લામાં થયાં છે. આ પછી મધુબની અને નવાદામાં 8-8 લોકો મોતને ભેટ્યા છે.
બિહાર સરકારે તમામ મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે.
બિહાર સિવાય ઉત્તર પ્રદેશમાં પણ વીજળી પડવાથી કેટલાક લોકોનાં મૃત્યુ થયાં છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર