વીજળી પડવાથી બિહારમાં 83, UPમાં 24 લોકોનાં મૃત્યુ

વીજળી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

અધિકૃત માહિતી પ્રમાણે બિહારમાં વીજળી પડવાથી 83 લોકોનાં મૃત્યુ થયાં છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં 24 લોકોનાં મૃત્યુ થયાં છે.

25 જૂનની સાંજે છ વાગ્યા સુધીમાં મળેલી માહિતી પ્રમાણે 83 લોકોનાં મૃત્યુ થયાં છે.

રાજ્યના આપદા પ્રબંધન વિભાગને જિલ્લાઓમાંથી ફોન પર મળેલી માહિતીના આધારે સૂચિ જાહેર કરવામાં આવી છે.

બિહારના અંદાજે 23 જિલ્લામં વીજળી પડવાને લીધે જાનમાલનું નુકસાન થયું છે.

વીજળી પડવાને લીધે સૌથી વધારે 13 લોકોનાં મૃત્યુ ગોપાલગંજ જિલ્લામાં થયાં છે. આ પછી મધુબની અને નવાદામાં 8-8 લોકો મોતને ભેટ્યા છે.

બિહાર સરકારે તમામ મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે.

બિહાર સિવાય ઉત્તર પ્રદેશમાં પણ વીજળી પડવાથી કેટલાક લોકોનાં મૃત્યુ થયાં છે.

line
કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો