બિહારમાં આવેલા પૂરનો પ્રકોપ તસવીરોમાં

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

એક તરફ બિહાર કોરોના વાઇરસ સામે ઝૂઝી રહ્યું છે અને અહીં છેલ્લા ત્રણ દિવસથી રોજ હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે બીજી બાજુ બિહારમાં પૂરે તબાહી મચાવી દીધી છે.

બિહાર સરકારે કોરોનાની મહામારી પર કાબૂ મેળવવા માટે સમગ્ર રાજ્યમાં 31 જુલાઈ સુધી લૉકડાઉન લાગુ કર્યું છે. જોકે, એ લોકો ઘરની અંદર કઈ રીતે રહી શકે જેમના ઘરની અંદર પાણી ઘૂસી ગયાં છે.

ગોપાલગંજ, સીતામઢી, મુધુબની, શિવહર, સુપોલ અને દરભંગા જિલ્લાનાં કેટલાંય ગામોમાં પાણી ફરી વળ્યાં છે.

ઉત્તર બિહાર અને કોસી નદીના ક્ષેત્રમાં આવેલા પૂરને પગલે વિસ્તારના કેટલાંય ગામડાંમાં પૂરનાં પાણી ઘૂસી ગયાં છે.

આ દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી પૂરની જે અલગઅલગ તસવીરો સામે આવી રહી છે, તે ભારે ભયાવહ છે.

પાણી ભરાઈ જવાને લીધે ઠેલા પર બેસીને સેન્ટર પર પહોંચવું પડ્યું હતું એવું ડૉક્ટર અમરેન્દ્ર જણાવે છે.

સુપૌલના વરિષ્ઠ પત્રકાર રાકેશ ચંદ્રા જણાવે છે, "વરસાદના દિવસોમાં આવી સ્થિતિ સામાન્ય હોય છે. દર વર્ષે કહેવામાં આવે છે કે આ વખતે આવી સ્થિતિ નહીં થાય. પણ જો કોવિડ કૅર સેન્ટર પાસે આવી વ્યવસ્થા હોય તો બીજી જગ્યાએ શું સ્થિતિ હશે?"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો