ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં મીણબત્તીનું કારખાનું સળગ્યું, આઠ લોકોનાં મૃત્યુ

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં મીણબત્તી બનાવનારા એક કારખાનામાં ભીષણ આગ લાગતા આઠ લોકોનાં મૃત્યુ થયા છે.

અત્યાર સુધીની માહિતી મુજબ મોદીનગર બખરવા ગામમાં આવેલા આ કારખાનામાં લાગેલી આગમાં આઠ લોકોનાં મૃત્યુ થયા છે.

મૃતકોમાં છ મહિલાઓ અને એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ગાઝિયાબાદ જિલ્લા અધિકારી તથા વરિષ્ઠ પોલીસ અધિકારીને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મદદ કરવાનો આદેશ આપ્યો છે.

ચીફ ફાયર સૅફ્ટી ઑફિસર સુનીલ કુમાર સિંહે કહ્યું કે સાંજે 4 વાગે કારખાનાની છતમાં આગ લાગી જે બધે ફેલાઈ ગઈ.

એમનું કહેવું છે કે અંદર જે લોકો હતા તે બહાર ન નીકળી શક્યાં અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.

આ સમાચારમાં વધારે વિગતો ઉમેરાઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો