You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં કોવિડ-19 વાઇરસ નબળો પડી રહ્યો છે? - Top News
ભારતીય વૈજ્ઞાનિકો મુજબ નૉવેલ કોરોના વાઇરસના જિનેટિક મેકઅપમાં એક અનોખો ટ્રેટ જોવા મળ્યો છે અને આ ટ્રેટ દુનિયાના અન્ય ભાગોમાં જોવા મળેલા નૉવેલ કોરોના વાઇરસ કરતાં અલગ છે.
અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસ મુજબ આ અંગેના અભ્યાસમાં જોડાયેલા એક વૈજ્ઞાનિકનું માનવું છે કે આ ટ્રેટને કારણે ભારતમાં નૉવેલ કોરોના વાઇરસ નબળો પડી રહ્યો હોઈ શકે છે.
આ અભ્યાસમાં ભારતીય દરદીઓમાંથી વાઇરસના સૅમ્પલ પર કરવામાં આવેલા જિનોમ સિક્વન્સિંગમાંથી 41 ટકા જિનોમમાં આ ટ્રેટ જોવા મળ્યો હતો, આને વૈજ્ઞાનિકોએ ‘ક્લેડ આઈ/ એ3આઈ’ નામ આપ્યું છે.
વૈશ્વિક સ્તર પર જિનોમ સિક્વન્સિંગમાં માત્ર 3.5 ટકા જિનોમમાં આ ખાસ પ્રકારનો ટ્રેટ જોવા મળ્યો છે.
સોમવારે સેન્ટર ફૉર સેલ્યુલર ઍન્ડ મૉલિક્યુલર બાયોલૉજી ઑફ ધી કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સીએસઆઈઆર-સીસીએમબી) આ બાબતે ટ્વીટ કર્યું જેમાં લખ્યું હતું," વાઇરસનું વિશિષ્ઠ ક્લસ્ટર મળી આવ્યું છે, તેની વિશેષતાઓ હજી ઓળખાઈ નથી, અને તે ભારતમાં પ્રચલિત છે. તેને ક્લેડ-એથ્રીઆઈ નામ આપવામાં આવ્યું છે.”
વૈજ્ઞાનિકો તમિલનાડુ, તેલંગણા, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પ્રચલિત સાર્સ કોવ-2 સ્ટ્રેન સાથે આ ટ્રેટને જોડી રહ્યા છે.
મોટી ભારતીય કંપનીઓનું રેટિંગ નૅગેટિવ
ધી હિંદુ અખબાર પ્રમાણે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ્સ એજન્સી મૂડી ઇન્વેસ્ટર્સ સર્વિસે ભારતીય કંપનીઓ જેમકે ઓએનજીસી, એચપીસીએલ, ઓઆઈએલ, ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિટેડ, બીપીસીએલ, પેટ્રોનેટ એલએનજી, ટીસીએસ અને ઇન્ફોસિસ લિમિટેડનું રેટિંગ્સને ઘટાડીને નૅગેટિવ કરી દીધું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહેલી જૂને મૂડીઝે ભારતનું રેટિંગ પણ નૅગેટવ કરી દીધું હતું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની રેટિંગને નૅગેટિવથી સ્થિર કરવામાં આવ્યું હતું. યુપીએલ કૉર્પોરેશન લિમિટેડ (યુપીએલ કૉર્પ) અને જેનપૅક્ટ લિમિટેડની રેટિંગ સ્થિર જ છે.
કુખ્યાત જેસિકા લાલ હત્યાકાંડના અપરાધી મનુ શર્મા જેલમુક્ત
દિલ્હીના પ્રખ્યાત મૉડલ જેસિકા લાલ મર્ડર કેસમાં ગુનાહિત મનુ શર્મા (સિદ્ધાર્થ વશિષ્ઠ)ને એક જૂને તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
હરિયાણાના ભૂતપૂર્વ મંત્રી વિનોદ શર્માના પુત્ર મનુ શર્મા દિલ્હીની તિહાર જેલમાં આજીવન કારાવાસની સજા કાપી રહ્યા હતા. તેમને મૉડલ જેસિકા લાલ હત્યાકાંડમાં 17 વર્ષની જેલની સજા આપવામાં આવી હતી
હિંદુસ્તાન ટાઇમ્સ અખબાર પ્રમાણે તેઓ લગભગ 17 વર્ષથી ઓછા સમય માટે જેલમાં રહ્યા હતા. મનુ શર્મા સિવાય અન્ય 17 દોષી કેદીઓને પણ સમય પહેલા મુક્ત કરવામાં આવ્યા છે.
સજા સમીક્ષા બોર્ડની બેઠકમાં આ કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે આ કેદીઓને સમય પહેલા મુક્ત કરવાના નિર્ણયને મંજૂરી આપી હતી.
મનુ શર્મા આ પહેલા પણ પેરોલ પર બહાર આવ્યા હતા. અખબાર પ્રમાણે તે 17 વર્ષની સજા કાપી ચૂક્યા હતા પરંતુ રેમિશન (છૂટ) ગણીને તેમણે 23 વર્ષ ચાર મહિનાની સજા કાપી છે.
લગભગ સવા વર્ષથી જ્યાં સજા પૂરી થવા આવી હોય તેવા કેદીઓને રાખવામાં આવે છે તેવી ઓપન જેલમાં તે હતા. તેઓ સવારે જેલથી બહાર જઈ શકે છે અને સાંજે જેલમાં પાછા ફરે છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો