બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...

પ્રકાશિત

દાહોદ જિલ્લાના લીલેર ગામના વતની આશાબહેન હાલ ગર્ભવતી છે. તેઓ સવારથી સાંજ અમદાવાદની એક કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કરે છે અને પરિવારના બીજા સભ્યની જેમ સવાર-સાંજ શાક-રોટલો ખાય છે. તેમને યાદ નથી કે છેલ્લે તેમણે ક્યારે દૂધ પીધું હતું કે ભરપેટ ક્યારે ખાધું હતું?

અનીતાબહેન બાબરિયા છ બાળકનાં માતા છે. તેમના એક પણ બાળકના જન્મસમયે તેમને પૌષ્ટિક આહાર નસીબ નહોતો. તેઓ દાહોદ જિલ્લાના આણાજ ગામનાં વતની છે.

ઉપરના બે કિસ્સા ગુજરાતમાં કુપોષણની સમસ્યા પર ઈશારો કરે છે.

ગુજરાતમાં કુપોષણ મામલે કામ કરનારા કર્મશીલોનું માનવું છે કે સરકાર અને વિવિધ બિનસરકારી સંસ્થાઓના પ્રયાસો ઉપરાંત પણ તેનું યોગ્ય સમાધાન નીકળતું નથી.

એક તરફ સરકારની વિવિધ યોજનાઓ છે, તો બીજી બાજુ કુપોષિત બાળકો અને મહિલાઓની પરેશાન કરી દે તેવી સંખ્યા.

19 વર્ષીય આશાબહેન ભીલવાયાના હાથમાં એક વર્ષનું બાળક છે અને તેમના પેટમાં પાંચ મહિનાનો ગર્ભ ઉછરી રહ્યો છે.

બીબીસી ગુજરાતીએ જે દિવસે તેમની સાથે વાત કરી હતી, તે દિવસે સવારે તેમણે એક મકાઈનો રોટલો અને થોડું શાક ખાધાં હતાં. તેઓ સાંજે પણ આવું જ કંઈક ખાવાનાં હતાં.

બીબીસી ગુજરાતીએ જ્યારે તેમને પૂછ્યું કે, તેમણે છેલ્લે પોષણયુક્ત આહાર (જેમ કે દૂધ, સૂખડી કે ફાડા-લાપસી વગેરે) છેલ્લે ક્યારે ખાધો હતો?

તો જવાબમાં આશાબહેને કહ્યું, “તેમને યાદ નથી.”

ગુજરાતમાં આ સમસ્યાનો અંત કેમ આવતો નથી. વાંચો અહેવાલ.

ટાઇટેનિક ડૂબી રહ્યું હતું. સૌથી પહેલાં તેમાંથી મહિલાઓ તથા બાળકોને લાઇફ બોટમાં બેસાડવામાં આવી રહ્યાં હતાં. એવી એક બોટમાં એક નાનું બાળક, એક નાનો છોકરો અને એક મહિલા બેઠાં હતાં. તે બોટને પાણીમાં છોડતાં પહેલાં બોટ પરના અધિકારીએ બૂમ પાડીને પૂછ્યું, “જહાજની ડૅક પર હવે કોઈ મહિલા બાકી છે? ”

કોઈ આગળ આવ્યું નહીં.

બીજા અધિકારીએ ફરી પૂછ્યું, “કોઈ મહિલા બાકી તો નથીને? ” પછી એક સ્ત્રી આગળ આવી અને કહ્યું, “હું આ જહાજની મુસાફર નથી, પણ અહીં કામ કરું છું.” અધિકારીએ ક્ષણવાર માટે તેમની સામે જોયું અને કહ્યું, “કંઈ વાંધો નહીં, પણ તમે એક મહિલા છો. તમારા માટે બોટમાં જગ્યા છે.”

વાયોલેટનું નસીબ છેલ્લી ઘડીએ પલટાયું હતું. તેમને લાઇફ બોટમાં જગ્યા મળી હતી અને તેના લીધે તેમનો જીવ બચી જવાનો હતો.

જોકે, તેઓ બચી ગયાં હોય તેવું પહેલીવાર બન્યું ન હતું અને છેલ્લીવાર પણ બન્યું ન હતું.

ટાઇટેનિક 1912ના એપ્રિલમાં ડૂબી ગયું હતું. તેના એક વર્ષ પછી બહાર પાડવામાં આવેલા ‘ધ ટ્રુથ અબાઉટ ટાઇટેનિક’ પુસ્તકમાં ઉપરોક્ત ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે.

વાયોલેટની આત્મકથા 1998માં પ્રકાશિત થઈ હતી. તેનું સંપાદન જૉન મેક્સટોન-ગ્રેહામે કર્યું હતું. એ પછી દુનિયાને ખબર પડી હતી કે વાયોલેટ માત્ર ટાઇટેનિક જ નહીં, પરંતુ ત્રણ મોટી જહાજ દુર્ઘટનામાંથી ઊગરી ગયાં હતાં.

"2019 અને 2020માં કૅન્સરમાંથી બહાર આવ્યા બાદ મને એવી લાગણી થઈ કે, જે કૅન્સરપીડિત અથવા તો જેમણે કૅન્સરની પીડાનો સામનો કર્યો છે, એ લોકો માટે મારે કંઈક કરવું છે."

કૅન્સરની બીમારીને બે વખત માત આપી ચૂકેલાં અર્ચના ચૌહાણે પોતાના જીવનનો ઉદ્દેશ કંઈક આ રીતે જણાવ્યો.

આ એક વિચારનાં પગલે તેમણે 'સ્તંભ' નામ સાથે 'કૅન્સર અવેરનેસ' અને 'ફ્રી હેલ્થ ચેકઅપ'નાં કાર્યક્રમો કરવાનું શરૂ કર્યું.

અર્ચના ચૌહાણનો દાવો છે કે, અત્યાર સુધીમાં આ પ્રકારના કાર્યક્રમોમાં 1 હજારથી વધુ મહિલાઓએ ભાગ લીધો છે.

તેઓ કહે છે, "હું દર મહિને મારી કમાણીમાંથી ચોક્કસ રકમ એચ.પી.વી. વૅક્સિનની જાગૃતતા માટે વાપરું છું."

37 વર્ષીય અર્ચના ચૌહાણ એક ઍક્ટ્રેસ, લેખિકા અને દિગ્દર્શક છે. તેમણે નાની ઉંમરે જ બે વખત કૅન્સરને માત આપી છે, અને હવે તેઓ અન્ય મહિલાઓમાં કૅન્સરથી બચવા માટેની જાગૃતિ ફેલાવવા માટે સક્રિય છે.

તેઓ આજે પણ મહિલાઓને કૅન્સરથી બચાવવા માટે એચ.પી.વી. વૅક્સિનની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરે છે. કૅન્સર ન થાય તે માટે શું જાગૃતિ રાખવી જોઈએ તેના માટે વિવિધ કાર્યક્રમો કરે છે.

કંઈક અલગ વાનગી ખાવાની ઇચ્છા હોય, ચહેરા પરનો ચળકાટ હોય કે પછી મોર્નિંગ સિકનેસ (સવાર સવારમાં અસ્વસ્થતા) હોય, આવા કેટલાક ફેરફાર ગર્ભવતી મહિલા માટે સામાન્ય હોઈ શકે છે, પરંતુ બીજા કેટલાક ફેરફારો બહુ જાણીતા નથી.

કેટલીક મહિલાઓએ ગર્ભાવસ્થા પહેલાં અને પછીના તેમના નાકના ફોટોગ્રાફ્સ તથા વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ ટ્રૅન્ડને પ્રૅગનન્સી નોઝ તરીકે ઓળખાવવામાં આવે છે. તે દર્શાવે છે કે સ્ત્રીઓના શરીરનો આ હિસ્સો ગર્ભાવસ્થાના મહિનાઓ દરમિયાન કેવી રીતે ફૂલે છે અને તેનો આકાર કેવી રીતે બદલાય છે.

આ કેટલું સર્વસામાન્ય છે તે જાણી શકાયું નથી, કારણ કે દરેક વ્યક્તિના શરીરમાં હોર્મોનનું સ્તર અલગ હોય છે અને તેઓ શરીરમાં થતા ફેરફારની પ્રતિક્રિયા અલગ રીતે આપતા હોય છે.

હકીકતમાં તે ચિંતાનું કારણ નથી અને સામાન્ય રીતે પ્રસૂતિના છ સપ્તાહ પછી તેનું નિરાકરણ આપોઆપ થઈ જતું હોય છે.

ગર્ભાવસ્થા દરમિયાન હોર્મોનના, ખાસ કરીને ઍસ્ટ્રોજનના સ્તરમાં નોંધપાત્ર વધારો થવાને લીધે તેવું થાય છે.

ઍસ્ટ્રોજનના સ્તરમાં વધારાને કારણે તમામ પેશીઓમાંની રક્તવાહિનીને આરામ મળે છે.

તેને લીધે નાકના ટિસ્યૂઝમાં વધારે લોહી પ્રવેશે છે, જેનાથી નાક વિસ્તરે છે, તેના આકારમાં ફેરફાર થાય છે અને તે મોટું તથા ફૂલેલું દેખાય છે.

2011ના વર્લ્ડકપની સૌથી યાદગાર ક્ષણોમાંની એક ટ્રૉફી જીત્યા બાદ દિગ્ગજ ભારતીય ક્રિકેટર સચીન તેંડુલકરને ખભા પર બેસાડીને મેદાનમાં ફરવાની હતી

બે દાયકાથી ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચીન તેંડુલકર પાસે વર્લ્ડકપ સિવાયની તમામ ટ્રૉફી હતી.

તેથી જ્યારે તેમને તેમની છેલ્લી વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં વર્લ્ડકપની ટ્રૉફી મળી હતી, ત્યારે તેમની આંખોમાં પાણી આવી ગયાં હતાં.

હાથમાં ભારતીય તિરંગો અને ખભા પર સચીનને લઈને મેદાનનો મહત્તમ ભાગ પૂર્ણ કરનાર યુવા ખેલાડી બીજું કોઈ નહીં પણ વિરાટ કોહલી હતા.

જ્યારે કૉમેન્ટેટર નાસિર હુસૈને તેમને આ વિશે પૂછ્યું ત્યારે વિરાટે જવાબ આપ્યો કે દાયકાઓથી સચીન કરોડો ભારતીય ચાહકોની અપેક્ષાઓનો બોજ પોતાના ખભા પર લઈને ફરી રહ્યા હતા, આજે તેમને ભારતીય ક્રિકેટમાં આપેલા યોગદાન માટે સલામી આપવામાં આવે છે.

એક મહાન ખેલાડીને આનાથી વધુ સારું સન્માન ભાગ્યેજ બીજા મહાન ખેલાડી પાસેથી મળ્યું હશે.

વિરાટ કોહલી કારકિર્દીના એ મુકામ પર પહોંચી ગયા છે કે જ્યાં એવું કહી શકાય કે આ વર્ષે ભારતમાં રમાનાર વનડે વર્લ્ડકપ તેમનો છેલ્લો વર્લ્ડકપ હશે.

સવાલ એ છે કે જે રીતે સચીન તેંડુલકરે તેમની છઠ્ઠી અને અંતિમ વર્લ્ડકપમાં ટ્રૉફી જીતી હતી, તે રીતે શું વર્તમાન ભારતીય ટીમ કોહલીને ભેટ આપી શકશે?