બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ કેમ ફંટાયું?
અરબી સમુદ્રમાં અતિ તાકતવાર બનેલા બિપરજોય વાવાઝોડા અંગે ઘણાં મૉડલ એવું દર્શાવતાં હતાં કે આ વાવાઝોડું ઓમાન કે મસ્કત તરફ ફંટાઈ શકે છે.
જે બાદ ફરી તેના માર્ગ વિશે અનિશ્ચિતતા સર્જાઈ હતી અને કેટલાંક મૉડલ એવું દર્શાવતાં હતાં કે તે ઇરાક તરફ કે પાકિસ્તાન તરફ જઈ શકે છે.
11 જૂનના રોજ હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું હતું છે કે વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે જખૌ બંદર પર ટકરાય એવી સંભાવના છે.
ઓમાન તરફ જઈ રહેલું વાવાઝોડું ગુજરાત તરફ કેમ ફંટાયું અને તેની દિશા કેવી રીતે નક્કી થાય છે? જુઓ આ વીડિયોમાં.
વીડિયો : બ્રિજલ શાહ/ સુમિત વૈદ્ય