બ્રેકિંગ, વાવાઝોડું હવે ગુજરાતથી 110 કિલોમિટર દૂર
બિપરજોય વાવાઝોડા અંગે હવામાન વિભાગે 2.30 વાગ્યા સુધીની સ્થિતિ આધારે નવું બુલેટિન આપ્યું છે.
આ બુલેટિન પ્રમાણે વાવાઝોડું અરબી સમુદ્રમાં જખૌ બંદરથી 110કિલોમિટર દૂર હતું, જ્યારે નલીયાથી 140કિલોમિટર અને દેવભૂમિ દ્વારકાથી 160કિલોમિટર દૂર હતું, અને કરાચીથી 240કિલોમિટર દૂર હતું.
આ વાવાઝોડાના પગલે કેટલાક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, ગુરુવાર બપોર સુધીમાં પોરબંદરમાં 17મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે નલીયામાં 17મીમી અને ભુજ તથા કંડલામાં 12મીમી વરસાદ નોંધાયો હતો.
વાવાઝોડા પહેલાં જ દરિયાકાંઠાના જિલ્લાઓમાં જોરદાર પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો છે. દ્વારકામાં 48કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, તો ઓખામાં પવનની ગતિ 32કિલોમિટર પ્રતિ કલાક છે.
વેરાવળમાં 39કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જ્યારે ભુજમાં 24કિલોમિટર પ્રતિ કલાક અને કંડલામાં 33કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
હવામાન વિભાગનું કહેવું છે કે વાવાઝોડું કચ્છના જખૌ બંદર પાસે ગુરુવારે સાંજે ત્રાટકે એવી શક્યતા છે. એ વખતે 115થી 125 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની શક્યતા છે. એક તબક્કે પવનની ગતિ વધીને 140 કિલોમિટર પ્રતિ કલાક થઈ શકે છે.