હવામાન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર, અતિ ભારે વાવાઝાડું બિપરજોય ઉત્તર પૂર્વ તરફ અરબ
સાગરથી પસાર થઈ રહ્યું છે જેના લીધે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારે રેડ સિગ્નલ
આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગની માહિતી મુજબ, આ વાવાઝોડું હાલ ઉત્તર પૂર્વમાં અરબ સાગરથી પૂર્વ
ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું છે. હાલ આ વાવાઝોડું છેલ્લા છ કલાકથી 7 કિલોમિટર પ્રતિ
કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
14 જૂને સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં આ વાવાઝોડું
જખૌ બંદરથી 240 કિમી દૂર, દેવભૂમિ
દ્વારકાના પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમથી 260 કિમી દૂર, નલિયાથી
પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમથી 260 કિમી દૂર, પોરબંદરથી
પશ્ચિમમાં 310 કિમી દૂર છે, જ્યારે
પાકિસ્તાનના કરાચીના દક્ષિણથી 330 કિમી દૂર છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂને સાંજ સુધીમાં
આ વાવાઝોડું 120-130થી 145 કિમીની ઝડપે ગુજરાતના માંડવી, જખૌ દરિયાકિનારા અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાય
તેવી સંભાવના છે.