'ઇન્ડિયન મેડિકલ રિસર્ચ ઍસોસિયેશન' અનુસાર 23 માર્ચના દિવસે 10 વાગ્યા સુધી ભારતમાં 415 મામલાની પુષ્ટિ થઈ છે.
ગત 24 કલાકમાં 19 નવા કેસો સામે આવ્યા છે.
ઍસોસિયેશન અનુસાર અત્યાર સુધી 17,493 લોકોનું પરીક્ષણ કરાયું છે.
કોરોનાના સંક્રમણને પગલે અત્યાર સુધી ભારતમાં સાત લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
આના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્યવિભાગના અધિકારીઓના મતે રાજ્યમાં અત્યાર સુધી 89 લોકો સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે.
કર્ણાટકના સ્વાસ્થ્યમંત્રી બી. શ્રીરામાલુએ જણાવ્યું છે કે તેમના રાજ્યમાં કોરોના વાઇરસથી સંક્રમિત 27 લોકોની પુષ્ટિ થઈ છે.
તેમના મતે રાજ્યના પ્રત્યેક જિલ્લામાં એક હૉસ્પિટલને કોરોના વાઇરસના દર્દીઓ માટે અલાયદી રાખવામાં આવી છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર 1000 વૅન્ટિલેટરની ખરીદીના આદેશ આપી દેવાયા છે.
કોરોના વાઇરસના સંક્રમણના અંકુશ માટે 22 રાજ્યોના 75 જિલ્લામાં લૉક-ડાઉન જાહેર કરાયા છે.
જેને પગલે દેશનાં મહાનગરોમાં સૂનકાર વ્યાપી ગયો છે.
જોકે, કેટલીક જગ્યાએ શાકભાજીનાં બજારોમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે પહોંચ્યા હતા.
આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સવારસવારમાં ટ્વીટ કર્યું કે કેટલાય લોકો હજુ પણ લૉક-ડાઉનને ગંભીરતા નથી લઈ રહ્યા.
આ બાદ ભારત સરકારે રાજ્ય સરકારોને લૉક-ડાઉનને કડકાઈથી પાલન કરવા માટેના નિર્દેશ આપ્યા છે. આનું ઉલ્લંઘન કરનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવાના આદેશ પણ અપાયા છે.
31 માર્ચ સુધી ભારતમાં તમામ યાત્રી ટ્રેનો બંધ કરી દેવાઈ છે.