You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ લૉકડાઉનઃ નરેન્દ્ર મોદીની અપીલ પર લાઇટો બંધ થવાથી ઇલેક્ટ્રિકલ ગ્રીડ ઠપ થઈ શકે?
- લેેખક, અનંત પ્રકાશ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે કે બધા ભારતીય નાગરિકો પાંચમી એપ્રિલે રાજે નવ વાગ્યે નવ મિનિટ માટે પોતપોતાના ઘરની લાઇટ બંધ કરીને મીણબત્તી, દીપક પ્રગટાવે અથવા ટૉર્ચ લાઇટ અને મોબાઇલની ફ્લેશ લાઇટ ચાલુ કરે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ચારેય તરફ દરેક વ્યક્તિ જ્યારે એક-એક દીવડો પ્રગટાવશે ત્યારે પ્રકાશની મહાશક્તિની અનુભૂતિમાંથી એ હકીકત પ્રકટ થશે કે આપણે બધા એક જ હેતુ (કોરોના વાઇરસ) વિરુદ્ધ લડી રહ્યાં છીએ.
અલબત, વડા પ્રધાનની આ અપીલ એક સવાલ અને ચિંતાનું કારણ બની છે. તે એ છે કે વીજળીનો વપરાશ અચાનક ઓછો થઈ જવાથી અને ફરી નવ મિનિટ બાદ વધવાથી ગ્રીડ પર શું અસર થશે?
ગ્રીડ ઠપ થવાની વાત શા માટે?
મહારાષ્ટ્રના ઊર્જા પ્રધાન નીતિન રાઉતે કહ્યું હતું કે બધા લાઇટ અચાનક બંધ કરી દેવાશે તો તેનાથી ગ્રીડ ફેઇલ થઈ શકે છે. આપણા બધી ઇમરજન્સી સેવાઓ બંધ થઈ શકે છે. એ પછી વીજળી પૂરવઠો પૂર્વવત થવામાં એક સપ્તાહ જેટલો સમય લાગી શકે છે.
તેમણે લાઇટ બંધ કર્યા વિના મીણબત્તી પ્રગટાવવાની અપીલ લોકોને કરી હતી.
કૉગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જયરામ રમેશે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી.
જયરામ રમેશે ટ્વિટર પર લખ્યું હતું કે ઊર્જા ક્ષેત્ર સાથે લગભગ ત્રણ દાયકાથી જોડાયેલા હોવાને કારણે અને પ્રધાન તરીકે કામગીરી કરી ચૂકેલી વ્યક્તિ તરીકે તેમને લાગે છે કે પાંચમી એપ્રિલે રાતે નવ વાગ્યે નવ મિનિટ સુધી અંધારું કરવાથી ગ્રીડ પર અને તેના સંતુલન પર માઠી અસર થઈ શકે છે.
સવાલ એ છે કે જયરામ રમેશ સહિતના જાણકારો ગ્રીડ ઠપ થઈ જવાની આશંકા શા માટે વ્યક્ત કરી રહ્યા છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અંગ્રેજી દૈનિક ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક લેખમાં જણાવ્યા મુજબ, ભારત દુનિયાનો એક એવો દેશ છે જ્યાં દૈનિક 150 ગીગાવોટથી પણ વધારે વીજપૂરવઠો પૂરો પાડવામાં આવે છે.
ભારતમાં ઊર્જા ગ્રીડનું સંચાલન પાવર સિસ્ટમ ઑર્ગેનાઇઝેશન કૉર્પોરેશન કરે છે. આ સંસ્થા પ્રત્યેક દિવસની માગ અનુસાર વીજ ઉત્પાદક પ્લાન્ટ્સ પાસેથી વીજળી મેળવે છે.
પાવર સિસ્ટમ ઑર્ગેનાઈઝેશન આ વ્યવસ્થા મારફત વીજળીની માગ અને પૂરવઠાનું સંતુલન સ્થાપિત કરે છે.
એ સંતુલન (ફ્રિકવન્સી) 50 હર્ટઝની હોય છે, જે અનુસાર વીજળી વડે ચાલતા ઉપકરણો કામ કરે છે.
આ સંતુલન બગડવાના કારણે પૂરવઠો વધારે પ્રમાણમાં આવે તો આપણા ઘરમાં વૉલ્ટેજમાં વધારો જોવા મળે છે અને માગ વધે ત્યારે વૉલ્ટેજમાં ઘટાડો જોવા મળે છે.
આ ટેક્નિકલ બાબતને સમજવા માટે બીબીસીએ ઑલ ઇન્ડિયા પાવર ફેડરેશનના અધ્યક્ષ શૈલેન્દ્ર દુબે સાથે વાત કરી હતી.
શૈલેન્દ્ર દુબે કહે છે, "વીજળી એક એવી સંપત્તિ છે, જેનો સંગ્રહ કરી શકાતો નથી. તેથી જેટલું ઉત્પાદન થાય તેનો વપરાશ થવો જરૂરી છે. હાલ દેશમાં લૉકડાઉનને કારણે વીજળીનું ઉત્પાદન ઘટીને 1,20,000 મેગાવોટ થઈ રહ્યું છે. સામાન્ય રીતે 1,67,000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થતું હોય છે."
શૈલેન્દ્ર દુબે ઉમેરે છે, "આ પરિસ્થિતિમાં રવિવારે રાતે નવ લાગ્યે લોકો અચાનક લાઇટ બંધ કરશે તો વીજળીના વપરાશમાં 17,000 મેગાવોટનો ઘટાડો થશે એવું માનવામાં આવે છે. વીજળીના વપરાશમાં ઘટાડો થાય તો વૉલ્ટેજ અચાનક વધી જાય છે. તેની 50 હર્ટ્ઝની ફ્રિકવન્સી વધવાની શક્યતા હોય છે અને ફ્રિકવન્સીમાં વધારો-ઘટાડો થાય તો ગ્રીડ ફેઇલ થવાનું જોખમ સર્જાય છે."
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
ગ્રીડ ફેઇલ થવાની આશંકા શા માટે?
ભારતમાં ઉત્પાદિત વીજળીના કુલ પૈકીના એક-તૃતિયાંશ હિસ્સાનો ઉપયોગ લોકોના ઘરોમાં થાય છે. ઘરમાંના ઍરકંડિશનરો, કૂલર્સ, પંખા, ટેલિવિઝન, ફ્રીજ અને ઇલેક્ટ્રિક ઓવન સહિતનાં ઉપકરણો ચલાવવા માટે તેનો ઉપયોગ થાય છે.
શૈલેન્દ્ર દુબે માને છે કે વપરાશ અચાનક ઓછો થઈ જાય તો ગ્રીડ ફેઇલ થવાનું જોખમ રહે છે.
તેઓ કહે છે, "આ વખતે અમને વીજળીનો વપરાશ ઘટવાની ખબર છે એટલે ગ્રીડ ફેઇલ ન થાય તેવાં પગલાં અમે લઈ રહ્યાં છીએ."
એક ચિંતા એ પણ છે કે વડા પ્રધાનની અપીલ પછી મોટા રહેણાંક વિસ્તારોમાં હાઉસિંગ કોમ્પ્લેક્સ અને મલ્ટીસ્ટોરી બિલ્ડિંગના વહીવટકર્તાઓ અતિઉત્સાહમાં વીજળીની મુખ્ય લાઇન જ બંધ કરી દેશે તો એ પછી શું થશે?
થાળી વગાડવાની વડા પ્રધાનની અપીલ વખતે આવો ઉત્સાહ જોવા મળ્યો હતો.
શૈલૈન્દ્ર દુબે કહે છે, "ઘરની લાઇટ બંધ કરવાને બદલે સામુહિક રીતે લાઇટ બંધ કરી દેવામાં આવશે તો, વીજ વપરાશનું જે આકલન અમે કર્યું છે તેનાથી પણ વીજ વપરાશ વધુ ઓછો થઈ જશે એ વાત સાચી છે. એ પરિસ્થિતિમાં ગ્રીડ ફેઇલ થવાનું જોખમ વધી જશે."
ઊર્જા મંત્રાલયે તેની ટ્વીટ્સમાં સ્પષ્ટતા કરી હતી કે વીજળીના વપરાશમાં અચાનક થનારા ફેરફારના સામના માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી રાતે નવ વાગ્યે લાઇટ બંધ કર્યા બાદ ગ્રીડનું સંતુલન જળવાઈ રહે.
પંખા બંધ કરવાના નથી
ઊર્જા મંત્રાલયે વડા પ્રધાનની અપીલનો અર્થ સમજાવવા શ્રેણીબદ્ધ ટ્વીટ કર્યાં હતાં.
ઊર્જા મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી, "વડા પ્રધાનની અપીલ પાંચ એપ્રિલે રાતે નવ વાગ્યે નવ મિનિટ સુધી લાઇટ ઑફ કરવા માટેની છે. સ્ટ્રીટ લાઇટ્સ કે કમ્પ્યુટર્સ, ટીવી, પંખા, ફ્રીજ અને ઍરકંડિશનરો બંધ કરવાનું જણાવવામાં આવ્યું નથી. માત્ર લાઇટ બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે. હૉસ્પિટલો, પોલીસ સ્ટેશનો, મ્યુનિસિપલ સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ સર્વિસને આ અપીલ લાગુ પડતી નથી. વડા પ્રધાનની અપીલ માત્ર ઘરો માટે છે. સ્ટ્રીટ લાઇટ ચાલુ રાખવાનું તમામ સ્થાનિક સંસ્થાઓને જણાવવામાં આવ્યું છે."
ગ્રીડ ફેઇલ થવાનું જોખમ ટાળી શકાય એવા ઉપાયોની વાત શૈલેન્દ્ર દુબેએ પણ કરી હતી.
તેઓ કહે છે, "રાતે નવ વાગ્યે વીજળીનો વપરાશ અચાનક ઓછો ન થઈ જાય એટલા માટે અમે પહેલાંથી જ પૂરવઠો ઘટાડવાની યોજના બનાવી છે. દાખલા તરીકે, ઉત્તર પ્રદેશમાં વીજળીના વપરાશમાં 3000 મેગાવોટનો ઘટાડો થવાની શક્યતા છે. તેની ગ્રીડ પર માઠી અસર ન થાય એટલા માટે ઉત્તર પ્રદેશ પાવર કૉર્પોરેશન રાતે આઠ વાગ્યાથી જ વીજળીની કપાત શરૂ કરીને વપરાશ ઘટાડશે. તેથી નવ વાગ્યે વીજળીનો વપરાશ ઘટશે ત્યારે એ 3,000 મેગાવોટનો નહીં, પણ તેનાથી ઘણો ઓછો હશે અને તેથી ગ્રીડ પર કોઈ નકારાત્મક અસર થશે નહીં."
સૌપ્રથમવાર ક્યારે ફેઇલ થયેલી ગ્રીડ?
2012માં ગ્રીડ ફૅઇલ થઈ જવાને કારણે દેશનો એક મોટો હિસ્સો અંધારામાં ડૂબી ગયો હતો.
ટ્રેનો અધવચ્ચે થોભી ગઈ હતી અને કારખાનાઓમાં ઉત્પાદન પર તેની માઠી અસર થઈ હતી.
2012માં બીના-ગ્વાલિયર લાઇન ટ્રીપ થવાને કારણે ગ્રીડ ફેઇલ થઈ હતી. એ લાઇન ટ્રીપ થવાથી આગ્રા-બરેલી ટ્રાન્સમિશન સેક્શનમાં પણ સર્કિટ્સ ટ્રીપ થઈ ગઈ હતી.
એ પછી જોતજોતામાં દેશની ઘણી ગ્રીડ ફેઇલ થઈ ગઈ હતી, જેના સમારકામમાં 15 કલાકથી વધુ સમય લાગ્યો હતો.
આખો દેશ એક સાથે લાઇટ બંધ કરવા તરફ આગળ વધી રહ્યો હોય એવી ઘટના આ અગાઉ ક્યારેય બની નથી.
ગ્રીડના સંતુલનનો આધાર વડા પ્રધાનની અપીલનો અક્ષરસઃ અમલ કરવા પર અને ગ્રીડનું સંતુલન જાળવવાની યોજનાનો યોગ્ય રીતે કરવા પર રહેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો