વેનેઝુએલામાં ભીષણ ભૂકંપ, હજારો લોકો માર્યા ગયા હોવાની આશંકા

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

વેનેઝુએલાની રાજધાની કરાકાસમાં કેટલીક સેકન્ડોના અંતરાલમાં બે મોટા ભૂકંપ આવ્યા હતા. પહેલો ભૂકંપ 7.2ની તીવ્રતાનો હતો, જ્યારે કે બીજો ભૂકંપ 7.5ની તીવ્રતાનો હતો.

આ ભૂકંપને કારણે ઇમારતો તૂટી જવા પામી છે અને લોકો પોતાનાં ઘરોને ખાલી કરીને રસ્તા પર આવી ગયા છે. ગૃહ મંત્રી ડિયોસદાદો કાબેલોએ લોકોને પોતાનાં ઘરો ખાલી કરવાની અપીલ કરી છે.

ભૂકંપના આંચકા પછી વેનેઝુએલાની રાજધાનીની શેરીઓમાં રહેવાસીઓ તેમનાં ઘરો ધ્રુજી ગયાં અને વીજળી ગુલ થઈ ગઈ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન