કોણ જીતશે?
આજે માનચૅસ્ટરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટુર્નામેન્ટનો સૌથી મોટો મુકાબલો. તમારું શું માનવું છે?
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વર્લ્ડ કપ 2019 : 140 રન બનાવનાર રોહિત શર્મા 'પ્લેયર ઑફ ધ મૅચ' જાહેર થયા.
આજે માનચૅસ્ટરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટુર્નામેન્ટનો સૌથી મોટો મુકાબલો. તમારું શું માનવું છે?
ઑલિમ્પિકમાં નિશાનબાજીમાં ગોલ્ડમેડલ વિજેતા અભિનવ બિન્દ્રાએ મૅચ પૂર્વે બન્ને ટીમોને શુભકામના પાઠવી હતી.
માનચૅસ્ટરના ઑલ્ડ ટ્રેફૉર્ડ સ્ટેડિયમ ખાતે કવરેજ માટે પહોંચેલા બીબીસી સ્પોર્ટ્સના ઍમી લૉફ્ટહાઉસ જણાવે છે કે રાષ્ટ્રગાન પૂર્ણ થતાં જ હર્ષોલ્લાસ અને ચીચીયારીઓ મેં અગાઉ ક્યારેય સાંભળ્યાં નથી. તમામ સ્ટેન્ડ્સ ભરચક છે.
પુલવામામાં સીઆરપીએફ જવાનો પર હુમલા પછી ટર્બૉનેટર હરભજન સિંહે ટીમ ઇન્ડિયાએ વિશ્વ કપમાં પાકિસ્તાન સામેની મૅચ ન રમવી જોઈએ એવો કૉલ આપ્યો હતો પરંતુ તેઓ પણ હવે ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ વધારવા માન્ચૅસ્ટર પહોંચ્યા છે.
એમણે કહ્યું કે વરસાદ નથી મતલબ આખી મૅચ રમાશે. લેટ્સ ડૂ ઇટ ઇન્ડિયા. 7-0 કરીએ...ક્યા બોલતા હૈ..
ભજ્જીએ રણવીર સિંહ સાથેની તસવીર ટ્ટિટર પર શૅર કરી છે.
શિખર ધવન ઘાયલ થતા રોહિતની સાથે રમવા માટે કે. એલ. રાહુલને ઉતારવામાં આવ્યા છે.
સ્ટેડિયમ પર ભારતીય ટીમના પ્રશંસકો કંઈક આવા અંદાજમાં ટીમનો ઉત્સાહ વધારી રહ્યા છે.
ક્રિકેટ વિશ્લેષક નાગરાજ ગોલાપુડીનું કહેવું છે, "પાકિસ્તાન પર ચોક્કસથી વધુ દબાણ હશે કારણ કે પાકિસ્તાને ક્યારેય પણ વર્લ્ડ કપમાં ભારતને નથી હરાવ્યું અને તેમના મગજમાં આ વાત છપાઈ ગઈ છે."
ક્રિકેટ વર્લ્ડ કપની ગત મૅચોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે છ મુકાબલા થયા છે અને તમામ મૅચ ભારતે જીતી લીધી છે.
ક્રિકેટ વિશ્લેષક હસન ચીમાનું કહેવું છે કે વર્ષ 2003 બાદ પછીની પાકિસ્તાનની ક્રિકેટ પર નજર નાખવામાં આવે તો તેમની રમતનું સ્થળ સતત કથળ્યું છે.
જોકે, ચૅમ્પિયન્સ ટ્રૉફીની ટીમની સરખામણીમાં હાલની ટીમનો અનુભવ ઘણો વધારે છે.
90 અને 2000ના દાયકામાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમ બહુ શાનદાર હતી. જોકે, એમ છતાં વર્લ્ડ કપમાં પાકિસ્તાન ભારતને ક્યારેય હરાવી શક્યું નથી.
ભારત તરફથી રોહિત શર્મા તથા કે. એલ. રાહુલે ભારત તરફથી બૅટિંગની શરૂઆત કરી હતી. જ્યારે પાકિસ્તાન તરફથી મોહમ્મદ આમિરે બૉલિંગ આક્રમણની કમાન સંભાળી હતી.
માનચૅસ્ટરના ઑલ્ડ ટ્રેફૉર્ડ સ્ટેડિયમ ખાતે મૅચનું કવરેજ કરવા પહોંચેલી બીબીસી સ્પોર્ટ્સની ટીમ જણાવે છે કે, ટૉસ બાદ બંને દેશોનાં રાષ્ટ્રગીતનું ગાન થઈ રહ્યું હતું ત્યારે ચાહકોનો ઉત્સાહ ઉડીને આંખે વળગતો હતો.
પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ રવિવારે સ્ટેડિયમ ખાતે પહોંચ્યા ત્યારે તેમના હાથમાં 319 નંબરની લાલ રંગની ટીશર્ટ છે, જે માનચૅસ્ટર યુનાઇટેડ ફૂટબૉલ ક્લબની જર્સી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મૅચ સિવાય માનચૅસ્ટર તેની ફૂટબૉલ કપ માટે વિખ્યાત છે.
સરફરાઝ અહમદ (સુકાની), ફખર ઝમાન, ઇમામ ઉલ હક, બાબર આઝમ, હેરિસ સોહેલ, હસન અલી, શાદાબ ખાન, મોહમ્મદ હફીઝ, શાહિન આફ્રિદી, વહાબ રિયાઝ, મોહમ્મદ આમિર, શોએબ મલિક, ઇમાદ વસિમ,
વિરાટ કોહલી (સુકાની), લોકેશ રાહુલ, રોહિત શર્મા, મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, વિજય શંકર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, દિનેશ કાર્તિક, રવીન્દ્ર જાડેજા, શિખર ધવન.
આજની મૅચમાં પાકિસ્તાનની ટીમમાં બે ફેરફાર જોવા મળશે જ્યારે ભારતની ટીમમાં એક ફેરબદલી કરાઈ છે.
બીબીસી સ્પોર્ટ્સના રિપોર્ટ પ્રમાણે, અનેક સેલિબ્રિટિઝ ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-પ્રોફાઇલ મૅચ જોવા માટે પહોંચવાની છે. આ માટે દસ ચાર્ટર ફ્લાઇટ માનચેસ્ટરના ઍરપૉર્ટ ઉપર ઊતરશે.
ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે રમાઈ રહેલા આજના મુકાબલો ટુર્નામેન્ટનો સૌથી મોટો મુકાબલો મનાઈ રહ્યો છે.
ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટને સૌરવ ગાંગુલીએ કંઈક આવા અંદાજમાં ટ્વીટ કર્યું હતું.
ભારત અને પાકિસ્તાનની મૅચને લઈને સમર્થકોમાં જબ્બર ઉત્સાહ છે. આઈસીસીએ તેના સત્તાવાર ટ્ટિટર હૅન્ડલ પરથી પાકિસ્તાની સમર્થકોનો આ વીડિયો શૅર કર્યો છે.
વીડિયોમાં પાકિસ્તાન સમર્થક હાથમાં ધ્વજ લઈ ઘોડા પર સવાર છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ મૅચને લઈને અફઘાનિસ્તાનમાં ક્રિકેટ પ્રશંસકો શું માને છે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલા આજના હાઈ-વોલ્ટેજ મુકાબલાને લઈને પાકિસ્તાનના લોકોનું માનવું છે કે ભારતની ટીમ પાકિસ્તાનની સરખામણીમાં ઘણી વધારે મજબૂત છે.
વેસ્ટ ઇંડિઝના ખેલાડી ક્રિસ ગેઇલે ઇન્સ્ટાગ્રામ ઉપર ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજના રંગવાળો શૂટ પહેરીને તસવીર શૅર કરી હતી. ગેઇલે લખ્યું કે તેઓ બંને ટીમને પ્રેમ કરે છે અને બંને માટે સન્માન છે.
માન્ચૅસ્ટરના ઑલ્ડ ટ્રૅફૉર્ડ ખાતે રમાઈ રહેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ 100 કરોડ લોકો ટીવી પર નિહાળશે.
તો આ મૅચ જોવા માટે સાત લાખ લોકોએ ટિકિટ ખરીદવા પ્રયાસ કર્યો હતો.
પાકિસ્તાની ક્રિકેટ ટીમના કોચ મિકી આર્થરે કહ્યું છે કે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ ભારતને હરાવી દે છે તો તેને 'ખેલ ક્ષેત્રે અમરતા' હાંસલ કરી લેશે.
મૅચને ટુર્નામેન્ટનો સૌથી મોટો મુકાબલો ગણાવતા તેમણે કહ્યું, "હું અમારા ખેલાડીઓને ડ્રેસિંગ-રૂમમાં કહી રહ્યો છું કે તમે આવતી કાલે હીરો બની શકો છો."