કૉંગ્રેસના નેતા
અને થિરુવંથપુરમના સાસંદ શશી થરૂરે માન્ચૅસ્ટર મેદાનની તસવીર શૅર કરી ને ટ્ટીટ કરી
કે ઑલ્ડ ટ્રૅફર્ડમાં જોરદાર માહોલ છે.
અગાઉ તેમણે
પાકિસ્તાને ફિલ્ડિંગ પસંદ કરતા ટ્ટીટ કર્યું હતું કે સરફરાઝે ઇમરાન ખાનની સલાહ અવગણવાનો યોગ્ય નિર્ણય કર્યો છે અને ભારતને બૅટિંગ આપી છે.
થરૂરે કહ્યું કે
બપોર બાદ વરસાદી માહોલમાં પાકિસ્તાનને આનો લાભ મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે
ઇમરાન ખાને પાકિસ્તાનની ટીમને ટ્ટીટ પર આપેલી સલાહમાં એવું કહ્યું હતું કે જો પીચ
નબળી ન હોય તો સરફરાઝે ટૉસ જીતી બૅટિંગ પસંદ કરવી જોઈએ.
પીચ પરની ભીનાશને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને પ્રથમ બૉલિંગ પસંદ કરી છે. ભારતના કૅપ્ટન કોહલીએ પણ કહ્યું હતું કે જો તે ટૉસ જીત્યા હોત તો બૉલિંગ પસંદ કરી હોત.