You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

Ind Vs Pak : વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવવાનો ભારતનો રેકર્ડ યથાવત્

વર્લ્ડ કપ 2019 : 140 રન બનાવનાર રોહિત શર્મા 'પ્લેયર ઑફ ધ મૅચ' જાહેર થયા.

લાઇવ કવરેજ

  1. રોહિત શર્માની શાનદાર સદી

    ઓપનર રોહિત શર્માએ ઓલ્ડ ટૅફર્ડમાં પાકિસ્તાન વિરુદ્ધ સદી કરી છે.

    તેમણે 85 બૉલમાં પોતાની સદી પૂરી કરી. રોહીતના વન ડે કૅરિયરની આ 24મી સદી છે.

    પાકિસ્તાન વિરુદ્ધ રોહિતની આ બીજું વન-ડે શતક છે.

    આ પહેલાં રોહિતે ગત વર્ષે એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ 111 રનની નોટ-આઉટ ઇનિંગ રમી હતી.

  2. સરફરાઝે બૉલિંગ પસંદ કરીને મોટી ભૂલ કરી છે - શોએબ અખ્તર

    ભારતની શાનદાર શરૂઆત બાદ પાકિસ્તાનના કૅપ્ટનને ટૉસ જીતી બૅટિંગ પસંદ કરવાના નિર્ણય પર અનેક સવાલ થઈ ઊઠી રહ્યા છે.

    પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે ટ્ટીટ કર્યું કે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરવાનો નિર્ણય કરીને સરફરાઝે વિરાટ કોહલીએ ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં કરી હતી એવી જ મોટી ભૂલ કરી છે.

    સોશિયલ મીડિયા પર અનેક લોકો પાકિસ્તાન કૅપ્ટન સરફરાઝને આ મુદ્દે ટ્રૉલ કરી રહ્યાં છે.

  3. કોણ બનશે હીરો અને કોણ વિલન?

    ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલામાં દરેક ખેલાડી પર વધારાનું દબાણ રહેતું હોય છે, કેમ કે વર્લ્ડ કપ હોય કે કોઈ સિરીઝની મેચ હોય, પણ આ મૅચના પ્રદર્શન પરથી ખેલાડી રમતપ્રેમીઓમાં હીરો કે વિલન બની જતા હોય છે.

  4. 26 ઓવરે ભારતના 151 રન

    એક વિકેટના નુકસાને 26 ઓવરે ભારતે 151 રન કર્યા છે.

    ભારત તરફથી રોહિત શર્મા અને વિરાટ કોહલી રમી રહ્યા છે.

    રોહિત શર્માએ 85 રન કર્યા છે, જ્યારે કોહલી ચાર રન પર રમી રહ્યા છે.

    આ પહેલાં કે.એલ. રાહુલ 78 બૉલમાં 57 રન કરી બાબર આઝમના હાથે ઝિલાઈ ગયા હતા.

  5. શશી થરૂર: સરફરાઝે ઇમરાનની સલાહ નહીં માનીને સારું કર્યું

    કૉંગ્રેસના નેતા અને થિરુવંથપુરમના સાસંદ શશી થરૂરે માન્ચૅસ્ટર મેદાનની તસવીર શૅર કરી ને ટ્ટીટ કરી કે ઑલ્ડ ટ્રૅફર્ડમાં જોરદાર માહોલ છે.

    અગાઉ તેમણે પાકિસ્તાને ફિલ્ડિંગ પસંદ કરતા ટ્ટીટ કર્યું હતું કે સરફરાઝે ઇમરાન ખાનની સલાહ અવગણવાનો યોગ્ય નિર્ણય કર્યો છે અને ભારતને બૅટિંગ આપી છે.

    થરૂરે કહ્યું કે બપોર બાદ વરસાદી માહોલમાં પાકિસ્તાનને આનો લાભ મળી શકે છે.

    ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાને પાકિસ્તાનની ટીમને ટ્ટીટ પર આપેલી સલાહમાં એવું કહ્યું હતું કે જો પીચ નબળી ન હોય તો સરફરાઝે ટૉસ જીતી બૅટિંગ પસંદ કરવી જોઈએ.

    પીચ પરની ભીનાશને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને પ્રથમ બૉલિંગ પસંદ કરી છે. ભારતના કૅપ્ટન કોહલીએ પણ કહ્યું હતું કે જો તે ટૉસ જીત્યા હોત તો બૉલિંગ પસંદ કરી હોત.

  6. ભારતની પ્રથમ વિકેટ પડી

    કે. એલ. રાહુલના સ્વરૂપમાં ભારતની પ્રથમ વિકેટ પડી હતી. તેઓ 77 બૉલમાં 57 રન બનાવીને આઉટ થયા હતા. એ સમયે ભારતનો સ્કોર 23 ઓવર પાંચ બૉલમાં 136 રન ફટકાર્યા હતા.

  7. સ્ટેડિયમ બહાર ભારતીય દર્શકોનો ઉત્સાહ

  8. પાકિસ્તાન સામે કેટલો ટાર્ગેટ આદર્શ ગણાય? માન્ચૅસ્ટરના મેદાનનું ગણિત, આ મેદાન પર ચૅઝ કરાયેલો સર્વોચ્ચ સ્કોર 286 છે.

    ભારત પાકિસ્તાનની મૅચમાં ભારતે શાનદાર શરૂઆત કરી છે ત્યારે અત્યારથી કેટલો સ્કોર આદર્શ એવો સવાલ ચાહકો કરી રહ્યા છે.

    આ મેદાન પર સર્વોચ્ચ સ્કોર 7 વિકેટ પર 318 રનનો છે જે શ્રીલંકાએ ઇંગ્લૅન્ડ સામે નોંધાવેલો છે.

    આ મેદાન પર સૌથી ઓછો સ્કોર કૅન્યાનો છે. કેન્યા ઇંગ્લૅન્ડ સામે 40.3 ઓવરમાં 43 રનમાં ઓલાઉટ થયેલું છે.

    પાકિસ્તાનને ભારતનો સ્કોર ચૅઝ કરવાનો આવશે એ જોઈએ તો આ મેદાન પર સફળતાપૂર્વક ચૅઝ થયેલ સ્કોર 286 છે. આ ટાર્ગેટ ચૅઝ ઇંગ્લૅન્ડે ન્યૂઝિલૅન્ડ સામે કર્યો હતો.

    પ્રથમ ઇનિંગમાં સરેરાશ સ્કોર 214 ગણાય છે અને બીજી ઇનિંગ રમનાર માટે સરેરાશ સ્કોર 192 ગણાય છે.

  9. રમીઝના ચહેરે ભારતની સ્થિતિ

    ભારતની મક્કમ શરૂઆતને પગલે રમીઝ રાજાના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ જોવા મળી હતી.

  10. માન્ચૅસ્ટરમાં ગુજરાતી રંગ

  11. અમદાવાદમાં પૂજાપાઠ

    અમદાવાદના સ્થાનિક મંદિરમાં ભારતના વિજય માટે સમર્થકોએ વિશેષ હવનનું આયોજન કર્યું હતું.

  12. દસ ઓવરમાં ભારતના 53 રન

    દસ ઓવરમાં ભારતે 53 રન બનાવી લીધા છે.

    હાલ રોહિત શર્મા 37 રને અને કે. એલ. રાહુલ 14 રને રમી રહ્યા છે.

    મોહમ્મદ આમીરે 4 ઓવર ફેંકી અને 8 રન આપ્યા. જ્યારે હસન અલીએ 3 ઓવરમાં 26 રન આપ્યા છે.

  13. સમર્થકોમાં અનેરો ઉત્સાહ

    ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપ મૅચનું કવરેજ કરવા માનચૅસ્ટર પહોંચેલા બીબીસી સંવાદદાતા વિનાયક ગાયકવાડ જણાવે છે કે ભારત અને પાકિસ્તાનના ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  14. રન આઉટનો 'મોકા-મોકા'

    દસમી ઓવરમાં વહાબ રિયાઝના પ્રથમ દડે કે. એલ. રાહુલે શૉર ફટકારી એક રન લીધો.

    જોકે, રોહિત શર્મા બે રનની શોધમાં હતા. એ વખતે બન્ને બૅટ્સમૅન લગભગ એક તરફ ભેગા થઈ ગયા હતા પણ થ્રૉ ખોટો પડ્યો અને ભારતની વિકેટ બચી ગઈ.

    સરફરાઝ સ્પષ્ટ રીતે નારાજ પણ જોવા મળ્યા. આમ પાકિસ્તાને રન આઉટની એક ઉત્તમ તક ગુમાવી દીધી.

  15. કચરાપેટી ઉપર મધમાખી કેમ?

    માનચૅસ્ટરમાં ફરતી વખતે તમને ઠેરઠેર આ પ્રકારના 'મધમાખીનાં ચિત્રો કે સ્થાપત્યો' જોવા મળી રહેશે, એટલે સુધી કે કચરાપેટી ઉપર પણ.

    માનચૅસ્ટરના લોકો સ્વભાવે ઉદ્યમી છે અને સતત કામ કરતી રહેતી મધમાખી તેના પ્રતીકરૂપ છે, એટલે તેને ચિહ્ન તરીકે અપનાવવામાં આવ્યું છે.

  16. 'કમ ઑન ઇન્ડિયા'

    ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ વખતે જોવા મળતી લાગણી ઇરફાન પઠાણે કંઈક આવા અંદાજમાં વ્યક્ત કરી હતી.

  17. આમીરને ચેતવણી

    પાકિસ્તાનના ઝડપી બૉલર મોહમ્મદ આમીરને પીચ પર જાણજોઈને દોડવા બદલ અમ્પાયરે ચેતવણી આપી છે.

    આમીરની આ બીજી વખત ચેતવણી મળી છે. જો ત્રીજી વખત પણ આમીરે આવું કર્યું તો તેમને બૉલિંગ કરતા અટકાવી દેવાશે.

    આ પહેલાં મૅચની ત્રીજી ઓવરમાં પણ આવી જ રીતે પિચ પર દોડવા બદલ આમીરને અમ્પાયરે વૉર્નિંગ આપી હતી.

  18. બીએસએફનું ચિયર્સ

    જમ્મુ અને કાશ્મીરમાં બૉર્ડર સિક્યૉરિટી ફૉર્સના જવાનોએ ભારતીય ટીમનો ઉત્સાહ વધાર્યો હતો.

  19. મુંબઈ પોલીસે કર્યું ઉત્સાહવર્ધન

    મુંબઈ પોલીસે તેના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ ઉપરથી કંઈક આ રીતે ભારતીય ટીમને રમવાની સલાહ આપી હતી.