બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ કેમ ફંટાયું?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
અરબી સમુદ્રમાં અતિ તાકતવાર બનેલા બિપરજોય વાવાઝોડા અંગે ઘણાં મૉડલ એવું દર્શાવતાં હતાં કે આ વાવાઝોડું ઓમાન કે મસ્કત તરફ ફંટાઈ શકે છે.
જે બાદ ફરી તેના માર્ગ વિશે અનિશ્ચિતતા સર્જાઈ હતી અને કેટલાંક મૉડલ એવું દર્શાવતાં હતાં કે તે ઇરાક તરફ કે પાકિસ્તાન તરફ જઈ શકે છે.
11 જૂનના રોજ હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું હતું છે કે વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે જખૌ બંદર પર ટકરાય એવી સંભાવના છે.
ઓમાન તરફ જઈ રહેલું વાવાઝોડું ગુજરાત તરફ કેમ ફંટાયું અને તેની દિશા કેવી રીતે નક્કી થાય છે? જુઓ આ વીડિયોમાં.
વીડિયો : બ્રિજલ શાહ/ સુમિત વૈદ્ય

