You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

Tauktae Cyclone : PM મોદી ગુજરાત આવશે, વાવાઝોડું ક્યારે નબળું પડશે?

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે 13 લોકોનાં મૃત્યુ, 16 હજાર મકાન અને ઝૂંપડાં અસરગ્રસ્ત થયાં. 3850 ગામોમાં વીજપુરવઠો પૂર્વવત્ કરવાની કામગીરી ચાલુ.

લાઇવ કવરેજ

  1. નમસ્કાર, બીબીસી ગુજરાતી પર આપનું ફરીથી સ્વાગત છે. ગુજરાત તૌકતે વાવાઝોડાની આપદામાંથી પસાર થઈ રહ્યું છે. ગઈ કાલ મધરાત સુધી લૅન્ડ ફોલ બાદ વાવાઝોડું નબળું પડી રહ્યું હોવાનું હવામાનવિભાગનું કહેવું છે પરંતુ હજી તે પૂર્ણ રીતે પસાર થઈ દરિયામાં વિખરાયું નથી. અહીં અમે આપને ગઈ કાલની જેમ જ દિવસભર તૌકતે વાવાઝોડાની લેટેસ્ટ અપડેટ આપીશું. જોડાયેલા રહો બીબીસી ગુજરાતી સાથે.

  2. તૌકતે વાવાઝોડા અંગેનું આજનું લાઇવ કવરેજ બીબીસી ગુજરાતી અહીં જ પૂર્ણ કરે છે.

    આવતીકાલે મંગળવારે સવારે વાવાઝોડા અંગેના તાજા સમાચાર સાથે ફરી મળીશું.

    નમસ્કાર.

  3. તૌકતે વાવાઝોડામાં અત્યાર સુધી શું-શું થયું?

    તૌકતે વાવાઝોડાના લૅન્ડફોલની પ્રક્રિયા હજી ચાલી રહી છે, વાવાઝોડું દીવથી 20 કિલોમિટર દૂર ત્રાટક્યું છે.

    આ દરમિયાન દીવમાં 133 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હોવાનું હવમાન વિભાગ કહે છે.

    સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ પ્રમાણે પવન ફૂંકાયો હોવાની માહિતી મળી રહી છે.

    વાવાઝોડાની અસર રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ જોવા મળી રહી છે.

    કેટલાક જિલ્લાઓમાં પવન ફૂંકાવાની સાથે વરસાદ પણ વરસ્યો હતો.

  4. રાજુલાના કાંઠાના વિસ્તારમાં 160થી 165 કિમીની ઝડપે પવન ફૂંકાયો

    અમરેલીના સ્થાનિક પત્રકાર ફરહાન કાદરીએ જણાવ્યું હતું કે રાજુલાના પીપાવાવમાં કાંઠાના વિસ્તારમાં 160થી 165 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

    શિયાળબેટ ટાપુ નજીક લાંગરેલી 3 બોટ ભારે પવન સાથે તણાઈ આવીને તૂટી પડી હતી.

    ભારતીય હવામાન વિભાગ અનુસાર તૌકતે વાવાઝોડું ઉત્તર દિશામાં 17 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

  5. બ્રેકિંગ, દીવમાં 133 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો

    ભારત સરકારના હવામાન વિભાગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે વાવાઝોડાંનું કેન્દ્રબિંદુ હાલ દીવના પૂર્વ અને દક્ષિણ-પૂર્વના વિસ્તારમાં 35 કિલોમિટરના અંતરે છે.

    તે આગામી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી પસાર થશે.

    વાવાઝોડાના લૅન્ડફૉલની પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી કેટલાક સમય સુધી ચાલુ રહેશે.

    ભારત સરકારના હવામાન વિભાગે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે દીવમાં 133 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

  6. વાવાઝોડા વચ્ચે વધતું કોરોનાનું જોખમ, કોવિડ હૉસ્પિટલમાં વરસાદનું પાણી

    ગુજરાત અને આસપાસનાં રાજ્યો અત્યારે કોરોના મહામારીની બીજી લહેરીની સાથે-સાથે તૌકતે વાવાઝોડાનો પણ સામનો કરી રહ્યાં છે.

    ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં વાતાવરણ પલટાયું હતું, અને એના પગલે વરસાદ વરસ્યો હતો.

    આ વીડિયો મધ્યપ્રદેશના રાજગઢનો છે, જ્યાં વરસાદ વરસ્યા બાદ કોવિડ હૉસ્પિટલમાં છતથી પાણી ટપકવાનું શરૂ થઈ ગયું હતું.

  7. તૌકતે વાવાઝોડું ક્યાંથી પસાર થઈ રહ્યું છે? જુઓ LIVE

    તૌકતે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે પહોંચ્યું છે, તે દીવ અને ઉનાની વચ્ચે ત્રાટક્યું હોવાની માહિતી મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આપી છે.

    વાવાઝોડાના લૅન્ડફોલની પ્રક્રિયા બે કલાક સુધી ચાલશે અને એ બાદ વાવાઝોડું રાજ્યના વિવિધ પ્રાંતોમાંથી પસાર થશે.

    વાવાઝોડું અત્યારે ક્યાં છે અને કઈ રીતે આગળ વધી રહ્યું છે, જુઓ લાઇવ.

  8. દીવમાં 133 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો

    ભારત સરકારના હવામાન વિભાગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે વાવાઝોડાંનું કેન્દ્રબિંદુ હાલ દીવના પૂર્વ અને દક્ષિણ-પૂર્વના વિસ્તારમાં 35 કિલોમિટરના અંતરે છે.

    તે આગામી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી પસાર થશે.

    વાવાઝોડાના લૅન્ડફૉલની પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી કેટલાક સમય સુધી ચાલુ રહેશે.

    ભારત સરકારના હવામાન વિભાગે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે દીવમાં 133 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

  9. આજનું કાર્ટૂન કીર્તિશની કલમથી

    કીર્તિશની કલમથી આજનું કાર્ટૂન: કોરોના, તું લોકોને ઘરમાં ન પૂરી શક્યો, પણ તૌકતેએ કરી બતાવ્યું હો...

  10. તૌકતે વાવાઝોડું ક્યાંથી પસાર થઈ રહ્યું છે? જુઓ LIVE

    તૌકતે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે પહોંચ્યું છે, તે દીવ અને ઉનાની વચ્ચે ત્રાટક્યું હોવાની માહિતી મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આપી છે.

    વાવાઝોડાના લૅન્ડફોલની પ્રક્રિયા બે કલાક સુધી ચાલશે અને એ બાદ વાવાઝોડું રાજ્યના વિવિધ પ્રાંતોમાંથી પસાર થશે.

    વાવાઝોડું અત્યારે ક્યાં છે અને કઈ રીતે આગળ વધી રહ્યું છે, જુઓ લાઇવ.

  11. રાજ્યમાં રાત્રિકર્ફ્યુ અને આંશિક પ્રતિબંધો ગુરુવાર સુધી લાગુ રહેશે

    ગુજરાતમાં વધી રહેલા કોરોના વાઇરસના કેસને ધ્યાનમાં રાખીને સરકારે રાજ્યના વિવિધ જિલ્લામાં રાત્રિકર્ફ્યુ અને આંશિક પ્રતિબંધો લાદ્યા હતા

    જે મંગળવારથી પૂર્ણ થતા હતા, જોકે સરકારે આ કર્ફ્યુ અને પ્રતિબંધોને ગુરુવાર સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

    મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે હાલમાં વાવાઝોડાની પરિસ્થિતિને કારણે આખુ તંત્ર આમાં કામે લાગ્યું હોવાથી અમે નિર્ણય કર્યો છે કે મંગળવાર, બુધવાર અને ગુરુવાર સુધી પ્રતિબંધ અને રાત્રિકર્ફ્યુ ચાલુ રહેશે.

    50 ટકાના સ્ટાફથી ઑફિસ ચાલુ રહેશે, બજારો બંધ રહેશે, રાત્રિકર્ફ્યુ લાગુ રહેશે. વિજય રૂપાણીએ કહ્યું ત્રણ દિવસ પછી આગામી નિર્ણય કરીશું.

  12. બ્રેકિંગ, રાત્રે એક વાગ્યા સુધી વાવાઝોડું ફૂંકાવાનું ચાલુ રહેશે : વિજય રૂપાણી

    રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું, "તૌકતે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે લૅન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દીવ અને ઉના વચ્ચે આવી રહ્યું છે."

    તેમણે કહ્યું કે હજી પૂર્ણ વાવાઝોડું શરૂ થતાં બે કલાક લાગશે અને પછીના બે કલાક સુધી તે પસાર થશે, જે દરમિયાન તેની અસર જોવા મળશે.

    મુખ્ય મંત્રીનું કહેવું છે કે વાવાઝોડાની પસાર થવાની પ્રક્રિયા પૂર્ણ થતાં રાતના એકાદ વાગી શકે છે.

    તેમણે કહ્યું, "સાયક્લોનની આઈ પસાર થઈ જાય એ પછી તેની તીવ્રતા ઓછી થઈ જતી હોય છે, છતાં એવું માનવાનું નથી કે વાવાઝોડું પૂરું થઈ ગયું છે."

    મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે વાવાઝોડાની શરૂઆત થઈ ગઈ છે. રાત્રે એક વાગ્યા સુધી ચાલુ રહેશે.

    મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું, "ગીર સોમનાથના 150 કિમીની આસપાસ અસર રહેશે. બાકીના અમુક જિલ્લાઓમાં લગભગ 100 કિમીની આસપાસ પવન ફૂંકાશે."

    તેમણે વધુમાં કહ્યું, "કોઈ પણ કોવિડ હૉસ્પિટલમાં કાંઈ તકલીફ નથી. તમામ જગ્યાએ લાઇટ છે, ઓક્સિજનની કોઈ ખામી નથી."

  13. AMCએ વિવિધ ઝોનના કંટ્રોલની રૂમની વિગતો જાહેર કરી

    તૌકતે વાવાઝોડાના પગલે ઇમરજન્સીની સ્થિતિ ઉભી થાય તો તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને વિવિધ ઝોનના કંટ્રોલ રૂમના નંબર શૅર કર્યા છે.

    ગુજરાતના માહિતી ખાતાએ ટ્વીટ કરી આપી હતી. ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે ઝોન પ્રમાણેના બનાવેલા કંટ્રોલ રૂમના નંબર શૅર કરવામાં આવી રહ્યા છે. જો કોઈ ઇમરજન્સીની સ્થિતિ ઉભી થાય તો આ નંબર પર સંપર્ક કરવો.

    તૌકેત વાવાઝોડાને કારણે અમે સૌને ઘરમાં રહેવા વિનંતી કરીએ છીએ

  14. બ્રેકિંગ, તૌકતે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે પહોંચ્યું

    તૌકતે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે પહોંચી ચૂક્યું છે.

    ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે વાવાઝોડાનું લૅન્ડફોલ શરૂ થઈ ચૂક્યું છે અને આ પ્રક્રિયા બે કલાક સુધી ચાલશે.

  15. તૌકતે : અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ શરૂ

    અમદાવાદમાં ભારે પવન ફૂંકાવા લાગ્યો છે. રાત્રીના સવા આઠ વાગ્યે ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું હતું.

    આ દરમિયાન શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસી રહ્યો છે.

    મહત્ત્વપૂર્ણ છે કે વાવાઝોડું ગમે તે ઘડીએ ગુજરાત પર ત્રાટકી શકે છે.

  16. તૌકતે : ગુજરાતમાં ગમે તે ઘડીએ વાવાઝોડું ત્રાટકશે

    ડીડી ન્યૂઝ ગુજરાતીના જણાવ્યા અનુસાર એક કલાક કરતાં ઓછા સમયમાં ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે છે. 4

  17. , તૌકતે : ગુજરાતમાં ક્યાં કેટલા નંબરનું સિગ્નલ?

  18. તૌકતે : ગુજરાતમાં ક્યાં કેટલા નંબરનું સિગ્નલ?

  19. તૌકતે : ગુજરાતમાં ક્યાં કેટલા નંબરનું સિગ્નલ?

  20. દીવમાં 1200 લોકોને સલામત સ્થળે ખસેડાયા

    દીવનાં કલેક્ટર સલોની રાયે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું કે તૌકતે વાવાઝોડું દીવના કાંઠે 8 વાગ્યે ત્રાટકી શકે એમ છે અને આ દરમિયાન 150-160 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લેતા તંત્રે 1200 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હોવાનું પણ રાયે જણાવ્યું છે.