બાબરી મસ્જિદ વિધ્વંસ ચુકાદો : અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી નિર્દોષ
6 ડિસેમ્બેર, 1992માં તોડી પડાયેલી બાબરી મસ્જિદના કેસમાં જજે કહ્યું, 'પૂર્વાયોજિત ષડયંત્ર નહોતું, અચાનક ઘટના ઘટી'.
લાઇવ કવરેજ
અમદાવાદ: નરોડા ગામ હત્યાકાંડમાં નિર્દોષ છૂટેલા બાબુ બજરંગી કોણ છે?
માયા કોડનાણી : ‘લોકપ્રિય’ ડૉક્ટરથી હત્યાકાંડોનાં આરોપમાંથી નિર્દોષ છૂટવા સુધીની કહાણી
સૌરાષ્ટ્ર તામિલ સંગમમ : સોમનાથ મંદિરના પુન:નિર્માણ સામે જ્યારે સરકારમાં જ નહીં પરંતુ સ્થાનિકોમાં પણ વિરોધ થયો
ગુજરાતમાં હિન્દુ મટીને બૌદ્ધ બનેલા દલિતોએ ધર્મપરિવર્તન માટે શું કારણો આપ્યાં?
ટી. રાજા : મુસ્લિમો વિરુદ્ધ ઝેર ઓકનારા આ હિંદુવાદી નેતાને કાયદાનો ભય કેમ નથી?
ઉનામાં હેટ સ્પીચ મુદ્દે હિન્દુ સંગઠનની મહિલા કાર્યકર પર કેસ, 50થી વધુની અટકાયત
પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયમાં ગુસ્સો, લોકો રસ્તા પર કેમ ઊતર્યાં?
સાંસદોને મળતા બંગલાનું ભાડું કેટલું હોય? ખાલી ક્યારે કરવાનો હોય?
રામ માત્ર હિન્દુઓના નહીં, બધાના ભગવાન છે: ફારુક અબ્દુલ્લા

ઇમેજ સ્રોત, ANI
નેશનલ કૉન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ ગુરુવારે ફરી કહ્યું હતું કે, ભગવાન રામ માત્ર હિન્દુઓના જ નથી, પરંતુ સમગ્ર દુનિયાના ભગવાન છે.
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રીએ ઉધમપુરના એક કાર્યક્રમમાં આ વાત કહી હતી.
અબ્દુલ્લાએ ગુરુવારે કહ્યું હતું કે, “મને લાગે છે કે જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત થશે, ત્યારે તેઓ જનતાનું ધ્યાન હટાવવા માટે રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે, પરંતુ રામ બધાના છે.”
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તેમના મતે, “ભગવાન રામ માત્ર હિન્દુઓના ભગવાન નથી. તે તમારા મગજમાંથી કાઢી નાખો. ભગવાન રામ બધાના ભગવાન છે, પછી તે મુસલમાન હોય, ખ્રિસ્તી હોય, અમેરિકન હોય કે રશિયન હોય. જેમ આપણે કહીએ છીએ કે અલ્લાહ માત્ર મુસલમાનોના ભગવાન નથી, તેઓ દરેકના ભગવાન છે.”
તેઓએ વધુમાં કહ્યું હતું કે, “પાકિસ્તાનના એક ખૂબ જ વૃદ્ધ પ્રોફેસર મૌલાના અસરાર, જેઓનું હાલમાં જ નિધન થયું છે, તેઓ તેમની તફસીરમાં કહે છે, ‘તમે લોકો એ યાદ રાખો કે ભગવાન રામ જે ત્યાં છે, તેમને પણ અલ્લાએ લોકોને સાચો રસ્તો બતાવવા માટે મોકલ્યા છે.’”
અબ્દુલ્લાના કહ્યા અનુસાર, “આ લોકો જે તમારી સામે આવે છે, તેઓ રામના પૂજારી છે, તેઓ મૂર્ખ લોકો છે. તેઓ રામને વેચવા માગે છે. તેમને રામ માટે પ્રેમ નથી, તેઓને સરકાર માટે પ્રેમ છે. તેઓ કોઈ પણ ભોગે સત્તામાં રહેવા માગે છે.”
એ મુસ્લિમ મહિલાની કહાણી, જેણે અનાથ હિંદુ બાળકોને પોતાનાં સંતાનોની જેમ ઉછેર્યાં
અદાણી મામલે વિપક્ષની ઇડી ઑફિસ સુધીની કૂચ અટકાવાઈ, ખડગેએ મોદી સરકારની ઝાટકણી કાઢી
છત્રપતિ શિવાજીનાં પત્ની સોયરાબાઈની હત્યા એમના સાવકા પુત્ર સંભાજી મહારાજે કરી હતી?
ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે રાહુલ ગાંધીને દેશમાંથી કાઢી મૂકવાની કરી માગ

ઇમેજ સ્રોત, ANI
ભોપાલથી ભાજપનાં લોકસભા સંસદ સભ્ય પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું છે કે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દેશમાંથી કાઢી મૂકવા જોઈએ. પ્રજ્ઞા ઠાકુર હાલમાં જ લંડન મુલાકાતે ગયેલા રાહુલ ગાંધીના નિવેદનો પર પ્રતિક્રિયા આપી રહ્યાં હતાં.
રાહુલ ગાંધીએ ગયા સોમવારે બ્રિટનના સાંસદો સાથેના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારતમાં વિપક્ષી નેતાઓનાં માઇક બંધ કરી દેવામાં આવે છે.
પ્રજ્ઞા ઠાકુરે એમ પણ કહ્યું કે ચાણક્ય અનુસાર "વિદેશી માથી જન્મેલો પુત્ર ક્યારેય પણ દેશભક્ત ન હોઈ શકે અને રાહુલ ગાંધીએ આ કથનને સત્ય સાબિત કર્યું છે."
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
પ્રજ્ઞા ઠાકુરે કહ્યું, "તમને (રાહુલ ગાંધી)ને દેશની જનતાએ પસંદ કર્યા છે અને જનતાનું, દેશનું અપમાન કરી રહ્યા છો. અમે માની લીધું કે તમે અમારા ભારતના નથી કારણ કે તમારા માતાજી ઇટલીનાં છે."
તેમણે આગળ કહ્યું, "તમે વિદેશમાં બેસીને કહો છો કે અમને સંસદમાં બોલવાની તક મળતી નથી. તેનાંથી શરમજનક વાત બીજી કોઈ ન હોઈ શકે. હું રાહુલ ગાંધીને ધિક્કારું છું. તેમના પર પ્રશ્ન ઊભા થવા જોઈએ કે તેઓ આવી રાજનીતિ કેમ કરે છે? તેમને હવે રાજનીતિનો અવસર ન આપવો જોઈએ. તેમને દેશમાંથી કાઢી મૂકવા જોઈએ."
પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદન પર કૉંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
નિત્યાનંદના 'કાલ્પનિક દેશ'ની પ્રતિનિધિ યુએનમાં કેવી રીતે પહોંચી?
નાલંદાઃ વિશ્વની એ સૌથી પ્રાચીન યુનિવર્સિટી જે ઑક્સફોર્ડ યુનિવર્સિટીના 500 વર્ષ પહેલાં ધમધમતી હતી
શાળામાં ખાવાનું બનાવે છે મા, પુત્રને મળી 1 કરોડ 70 લાખની ફૅલોશિપ
પાકિસ્તાન: 16 વર્ષની હિંદુ કન્યાનું અપહરણ કરીને બળજબરીથી ધર્મપરિવર્તન કરાવી શાદી કરાવી દેવાઈ?
એ હિન્દુ રાજા જેણે મુગલોને હરાવીને દિલ્હી પર કબજો કર્યો
ભારત-પાકિસ્તાન લુડો લવસ્ટોરી: મુલાયમ અને ઇકરાનાં પ્રેમ, લગ્ન અને અલગ થવાની કહાણી
