કોરોના વાઇરસ : પ્રથમ વખત ચીનમાં એક પણ મૃત્યુ ન નોંધાયું, બ્રિટનમાં મૃતકાંક પાંચ હજાર
કોરોના વાઇરસના સંક્રમણ અંગે ગુજરાત, દેશ અને દુનિયાની પળેપળની અપડેટ્સ.
લાઇવ કવરેજ
બૉક્સર સ્વીટી બૂરાની કમાલ, 81 કિલો વર્ગમાં ગોલ્ડ જીત્યો
જો 10 વર્ષ પહેલા રાહુલ ગાંધીએ એ વટહુકમ ફાડ્યો ન હોત તો આજે તેમનું સંસદસભ્ય પદ બચી ગયું હોત...
વડા પ્રધાન મોદી સામે માનહાનિનો કેસ કરશે રેણુકા ચૌધરી, ‘શૂર્પણખા’ સાથે સરખામણી કર્યાનો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
‘મોદી અટક’ કેસમાં રાહુલ ગાંધી પર સુરતની કોર્ટના નિર્ણય બાદ કૉંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ કહ્યું છે કે તેઓ વડા પ્રધાન મોદી વિરુદ્ધ માનહાનિનો કેસ કરશે.
રેણુકા ચૌધરીએ ટ્વીટમાં આરોપ લગાવ્યો છે કે, “એક અભિમાનીએ મારી સરખામણી શૂર્પણખા સાથે કરી હતી. હું તેમના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરીશ. જોઈએ કોર્ટ કેટલી ઝડપથી કામ કરે છે.”
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
રેણુકા ચૌધરીએ આ ટ્વીટ સાથે વડા પ્રધાન મોદીનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે.
આ વીડિયોમાં તેઓ ગૃહમાં બોલી રહ્યા છે કે, “હું તમને વિનંતી છે કે રેણુકાજીને કંઈ ન કરો. રામાયણ સિરીયલ પછી આજે મને આવું હાસ્ય સાંભળવા મળ્યું છે.”
આ મામલો 2018ના સંસદ સત્ર સંબધિત છે. ત્યારે વડા પ્રધાન મોદી ગૃહને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન રેણુકા ચૌધરીના હસવાનો અવાજ આવ્યો, ત્યારે સભાપતિએ તેમને શાંત રહેવા કહ્યું હતું. ત્યારબાદ વડા પ્રધાન મોદીએ સભાપતિને સંબોધિત કરતા આ વાત કહી હતી.
ચાર વર્ષ જૂના ‘મોદી અટક’ બદનક્ષીના કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી છે.
કૉંગ્રેસનો આરોપ છે કે સરકાર રાહુલ ગાંધીનો અવાજ દબાવવાના પ્રયાસ કરી રહી છે. કારણ કે તેઓ સરકાર પર સવાલ ઉઠાવે છે.
'રાહુલ ગાંધીએ નિડરતાથી બોલવાની કિંમત ચૂકવી', સંસદનું સભ્યપદ રદ થતાં કૉંગ્રેસ શું બોલી?
રાહુલ ગાંધીને સજા મળતાં હવે એમના સાંસદપદનું શું થશે?
‘રાહુલ ગાંધી કોઈ પણ જગ્યાએ કંઈ પણ બોલી દે છે’ - ભાજપના નેતાએ આવું નિવેદન કેમ આપ્યું?
ચીને પહેલીવાર સ્વદેશી MRNA કોવિડ વૅક્સિનને મંજૂરી આપી

ઇમેજ સ્રોત, Getty Images
કોવિડ મહામારી સાથે સંકળાયેલા કડક નિયમોને ખતમ કર્યાના કેટલાક મહિના બાદ ચીને તેની પ્રથમ સ્વદેશી એમઆરએનએ કોવિડ વૅક્સિનને મંજૂરી આપી દીધી છે.
આ વૅક્સિન બનાવનાર કંપની સીએસપીસી ફાર્માસ્યુટિકલે કહ્યું હતું કે, દવા નિયામકોએ ઇમરજન્સી ઉપયોગ વૅક્સિનને મંજૂરી આપી છે.
ચીનની પ્રયોગશાળાઓ વર્ષોથી એમઆરએનએ વૅક્સિન બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ચીને વ્યાપક ઘરેલું ઉપયોગ માટે વિદેશ બનાવટની વૅક્સિન મંજૂર કરવાનો ઇનકાર કરી દીધો હતો.
એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે, મૃત્યુ અને ગંભીર બીમારીને રોકવામાં ચીની રસીઓ એમઆરએનએ રસી કરતાં ઓછી અસરકારક રહી છે.
ચીને મુખ્યત્વે પોતાના દેશમાં જ બનાવેલી રસીઓનો ઉપયોગ કર્યો છે- કોરોનાવૅક જેને સિનોવૅક કંપની દ્વારા બનાવવામાં આવી છે અને સિનોફાર્મા.
એમઆરએન ટેકનૉલૉજીમાં મૅસેન્જર આરએનએ નામના જિનેટિક કોડનો ઉપયોગ થાય છે. તે વાયરસના સંપર્કમાં આવે ત્યારે તે શરીરને વાસ્તવિક વાયરસ સામે લડવા માટે તૈયાર કરે છે.
‘મોદી’ સમાજ વિશેની ટિપ્પણી બદલ રાહુલ ગાંધી દોષિત, બે વર્ષની કેદની સજા, કોર્ટે જામીન આપ્યા
ગુજરાતમાં મોડી સાંજે વાતાવરણમાં પલટો, ક્યાં-ક્યાં પડ્યો કમોસમી વરસાદ?
'પ્લીઝ અમ્મીને બચાવી લો', સુરતના ડૉક્ટરે પાકિસ્તાનની મહિલાની જિંદગી કઈ રીતે 'બચાવી?'
બિલકીસબાનો કેસ: સુપ્રીમ કોર્ટ દોષિતોની મુક્તિ અંગે સુનાવણી માટે વિશેષ ખંડપીઠ રચશે
અદાણી જૂથની એ કોલસાની ખાણ જેનો 'છત્તીસગઢનાં ફેફસાં' ગણાતા જંગલમાં વિરોધ થઈ રહ્યો છે
#INDvAUS : ત્રીજી વનડેમાં ભારતને જીતવા માટે 270 રનનો લક્ષ્યાંક
'ભારતના ગિરમીટિયા મજૂરો' મોરિશિયસમાં સમૃદ્ધિ અને સત્તાની ટોચે કઈ રીતે પહોંચ્યા?
ભારતમાં આતંકી હુમલાની આશંકા અંગે સેનાપ્રમુખે શું કહ્યું?
વડા પ્રધાન મોદી વિશે રાહુલ ગાંધીએ કહ્યું, એ દેશ નથી, માત્ર એક નાગરિક છે
હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપે ગુજરાતમાં 34,900 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું કામ રોક્યું
અમેરિકાએ બે વર્ષ બાદ એરિક ગાર્સેટીને ભારતમાં પોતાના રાજદૂત બનાવ્યા, તેઓ વિવાદમાં કેમ હતા?
નેપાળમાં હિન્દુત્વનું રાજકારણ કેવી રીતે વિસ્તરી રહ્યું છે, તેની મુસલમાનો પર થાય છે કેવી અસર?
