You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રીલંકા ચૂંટણી : મહિંદા રાજપક્ષેની પાર્ટીની મોટી જીત, પીએમ મોદીએ અભિનંદન આપ્યાં
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબ્યા રાજપક્ષેએ દેશની સંસદીય ચૂંટણીમાં પોતાની પાર્ટીની મોટી જીતની ઘોષણા કરી છે.
તેમના ભાઈ મહિંદા રાજપક્ષેને હવે ફરી એક વાર વડા પ્રધાન બનાવાય તેવી આશા છે, જેમણે નવેમ્બરમાં કાર્યવાહકના રૂપમાં ભૂમિકા નિભાવી હતી.
શ્રીલંકાની સામાન્ય ચૂંટણીમાં રાજપક્ષે પરિવારની શ્રીલંકા પીપુલ્સ ફ્રન્ટ (એસએલપીપી)એ બે-તૃતીયાંશ બહુમતીથી જીત હાંસલ કરી છે, જેમની પાર્ટીને પ્રસ્તાવિત 'બંધારણીય પરિવર્તનો'ને પૂરાં કરવાં માટે જરૂર પણ હતી.
પાર્ટીએ કુલ 225માંથી 145 સીટ જીતી છે. સાથે જ પાંચ સીટ શ્રીલંકા પીપુલ્સ ફ્રન્ટની સહયોગી પાર્ટીઓને મળી છે.
શ્રીલંકામાં એસએલપીપીએ નવ મહિના પહેલાં રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી હતી. બાદમાં ગોટબ્યા રાજપક્ષેએ 18 નવેમ્બરે રાષ્ટ્રપતિપદના શપથ લીધા હતા.
શ્રીલંકામાં બુધવારે મતદાન થયું હતું. ગુરુવારે મતગણતરી થઈ હતી અને શુક્રવારે સવારે સત્તાવાર રીતે પરિણામોની જાહેરાત કરાઈ હતી.
પરિણામ જાહેર થતાં પહેલાં મહિંદા રાજપક્ષેએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે 'ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને તેમને ચૂંટણીમાં જીત પર શુભકામના સંદેશ આપ્યો હતો.'
તેઓએ લખ્યું, "લોકોનાં અભૂતપૂર્વ સમર્થન સાથે તેઓ ભારત સાથે શ્રીલંકાના સંબંધોને વધુ સારા બનાવાનું કામ કરશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓએ લખ્યું કે 'શ્રીલંકા અને ભારત સારા મિત્રદેશ છે.'
ગત બે દશકથી શ્રીલંકાની રાજનીતિમાં વિવાદિત રાજપક્ષેના પરિવારનો દબદબો રહ્યો છે.
મહિંદા રાજપક્ષે આ પહેલાં વર્ષ 2005થી 2015 સુધી શ્રીલંકાના વડા પ્રધાન રહ્યા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો