બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...

ઇમેજ સ્રોત, Getty Images
વામાન વિભાગે રાજ્યમાં બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે અને તેની અસર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વર્તાઈ રહી છે.
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી ઉનાળાની વચ્ચે ચોમાસા જેવું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે અને કમોસમી વરસાદને કારણે હજારો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
સામાન્ય રીતે ગુજરાતમાં માર્ચ મહિનામાં આટલો વધારે કમોસમી વરસાદ જોવા મળતો નથી. રાજ્યમાં માર્ચ મહિનામાં સરેરાશ 0.2 મીલિમીટર વરસાદ થતો હોય છે. જોકે, આ વર્ષે 30 માર્ચ સુધીમાં રાજ્યમાં 13.4 મીલિમીટર વરસાદ પડી ચૂક્યો છે.
માર્ચથી મે મહિના સુધી ભારતમાં પ્રિ-મૉન્સુન સિઝનની શરૂઆત થતી હોય છે, એટલે કે આ ત્રણ મહિનાના ગાળામાં પડતા વરસાદને ચોમાસા પહેલાંનો વરસાદ ગણવામાં આવે છે. જૂન મહિનાથી દેશમાં ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે. કેરળથી દેશમાં ચોમાસું શરૂ થાય છે અને પછી ભારતના અન્ય વિસ્તારો સુધી પહોંચે છે.
આ વર્ષ સતત બનેલી હવામાનની સિસ્ટમોને કારણે ઉનાળામાં વરસાદ પડી રહ્યો છે. ભારત પર આ વર્ષે સતત આવી રહેલાં ઍક્ટિવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે આમાં સૌથી મોટો ભાગ ભજવ્યો છે.
ભૂમધ્ય સમુદ્રમાંથી સર્જાતી આ સિસ્ટમ સીરિયા, ઇરાક, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પરથી ભારત સુધી પહોંચે છે. રસ્તામાં આ સિસ્ટમને કોઈ ઊંચા પહાડોનો અવરોધ નડતો નથી પરંતુ જમ્મુ-કાશ્મીર પર આવતાંની સાથે જ હિમાલયનો અવરોધ નડે છે.
આ વર્ષે સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતાં રહ્યાં, એક બાદ એક, એમ ઉપરા-ઉપરી આ સિસ્ટમો આવતાં ગુજરાત સહિત દેશના અન્ય વિસ્તારોમાં વરસાદ પડતો રહ્યો.
આ સિસ્ટમની સાથે-સાથે સાયક્લૉનિક સર્ક્યુલેશન અને એન્ટી-સાયક્લોન જેવી સિસ્ટમો પણ બની. જેના કારણે વરસાદના વિસ્તારમાં વધારો થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, ARUN CHANDRA BOSE
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કેરળના આ સુષુપ્ત શહેરની શાળાઓ વર્ષોથી એક અસમાન્ય સમસ્યાનો સામનો કરી રહી છે. અહીં વિદ્યાર્થીઓની અછત છે અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને શોધવા જવું પડે છે. વિદ્યાર્થીઓને શાળામાં લાવવા માટે તેમણે પોતાના ખિસ્સામાંથી ખર્ચ પણ કરવો પડે છે.
14 વર્ષની વય સુધીના વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી કુંબનાડની 150 વર્ષ જૂની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળામાં હાલ 50 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 1980ના દાયકાના અંત સુધી અહીં સરેરાશ 700 વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા. હાલના વિદ્યાર્થીઓ પૈકીના મોટાભાગના ગરીબ અને વંચિત પરિવારના છે. સાતમા ધોરણના વર્ગમાં માત્ર સાત વિદ્યાર્થી છે અને તે સૌથી મોટો વર્ગ છે. 2016માં આ ક્લાસમાં માત્ર એક વિદ્યાર્થી હતો.
શાળામાં અભ્યાસ માટે પૂરતા વિદ્યાર્થીઓને લાવવા એ એક પડકાર છે. આ સ્કૂલના આઠ શિક્ષક વિદ્યાર્થીઓને ઘરેથી શાળાએ લાવતી અને શાળાએથી ઘરે પાછા પહોંચાડતી ઓટો રિક્ષા પાછળ દરમહિને રૂ. 2,800 ખર્ચે છે. તેઓ ઘરે-ઘરે જઈને વિદ્યાર્થીઓની શોધ પણ કરે છે.
આ વિસ્તારની કેટલીક ખાનગી શાળાઓ પણ તેના શિક્ષકોને વિદ્યાર્થીઓ શોધવા મોકલે છે. સૌથી મોટી સ્કૂલમાં કુલ 70 વિદ્યાર્થી અભ્યાસ કરે છે.

ઇમેજ સ્રોત, ANI
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 16મી સિઝન આજથી શરૂ થશે. 10 ટીમના અંદાજે 243 ક્રિકેટર આઇપીએલની ટૉફી હાંસલ કરવા માટે 52 દિવસ એકબીજા સામે ટકરાશે.
કોરોના મહામારી પછી પહેલી વાર ટીમો પોતાના હોમગ્રાઉન્ડ પર દર્શકો સામે રમશે.
આ વર્ષે આઈપીએલ એક જ સમયે બે પ્રતિસ્પર્ધીઓના પ્રસારણ પ્લૅટફૉર્મ પર પ્રસારિત કરવામાં આવશે.
તેની સાથે નિયમોમાં ફેરફારને કારણે પણ આ વખતની આઈપીએલ દર્શકો માટે અલગ અનુભવ હશે.
અત્યાર સુધી એવું થતું હતું કે ટૉસ ઉછાળતા પહેલાં બન્ને કૅપ્ટન પોતપોતાની ટીમની વિગત પ્રતિસ્પર્ધી કૅપ્ટનને આપતા હતા, પરંતુ આ વખત તે પ્રક્રિયા ટૉસ પછી થશે.
કૅપ્ટન ટૉસ વખતે બે ટીમશીટ એટલે કે પ્લેયરના નામ ધરાવતી બે અલગ-અલગ યાદી લઈને જશે.
ટૉસ થશે પછી બેટિંગ કરવી છે કે બોલિંગ તે નક્કી કર્યા બાદ કૅપ્ટન તે નિર્ણય અનુસારની ટીમશીટ પ્રતિસ્પર્ધી ટીમના કૅપ્ટનને આપશે.
પીચનું સ્વરૂપ, મેદાનનો આકાર, મૅચ કયા સમયે રમાઈ રહી છે, ઝાકળ પડવાની સંભાવના છે કે નહીં વગેરે જેવી બધી બાબતોને ધ્યાનમાં રાખીને કઈ ટીમની પસંદગી કરવી તેનો નિર્ણય કૅપ્ટન ટૉસ પછી કરશે.
અત્યાર સુધી ટૉસ પહેલાં ટીમની વિગત આપવામાં આવતી હતી. એ કારણે ટૉસ હારતી ટીમને નુકસાન થતું હતું.

ઇમેજ સ્રોત, Reuters
ઇઝરાયલમાં હાલ ઊથલપાથલનો દોર છે. આ દેશ પોતાના ઇતિહાસમાં સૌથી ગંભીર ઘરેલુ સંકટો પૈકીના એકમાંથી પસાર થઈ રહ્યો છે.
ન્યાયપાલિકામાં સરકારના પરિવર્તનના પ્રયાસ વિરુદ્ધ લોકો રસ્તા પર આવી ગયા છે અને વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.
દરમિયાન ઇઝરાયલમાં સત્તારૂઢ ગઠબંધનની એક પાર્ટી જુઈશ પૉવરે કહ્યું કે દેશની ન્યાય વ્યવસ્થામાં પ્રસ્તાવિત ફેરફાર પર વાતચીત આગળના મહિના સુધી ટાળી દીધી છે.
જોકે દેશના વડા પ્રધાન નેતન્યાહૂએ આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી.
આ નિર્ણયની જાણકારી ઇઝરાયલની ધૂર દક્ષિણપંથી ગઠબંધનવાળી સરકારમાં સામેલ જુઈશ પૉવર નામની પાર્ટીએ આપી છે.
પાર્ટીએ એક નિવેદનમાં કહ્યું કે આ પ્રક્રિયા હવે સંસદના આગામી સત્રમાં પૂરી કરાશે.
આવો જાણીએ કે શું છે ઇઝરાયલમાં હાલમાં સર્જાયેલા આ સંકટનું કારણ?

ઇમેજ સ્રોત, Getty Images
શું તમને ખબર છે કે તમે સરકારી નહીં પણ ખાનગી કંપનીના કર્મચારી છો તો પણ તમને નિવૃત્તિ પછી પેન્શન મળી શકે છે... પણ કેવી રીતે?
ઈપીએફઓ એટલે કે ઍમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ઑર્ગેનાઇઝેશન. આ સંસ્થાની સ્થાપના કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓ અધિનિયમ, 1952 હેઠળ કરવામાં આવી હતી, જેથી દેશભરની સરકારી અને ખાનગી સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ નિવૃત્તિ પછી પણ તેમના ભવિષ્ય માટે ભંડોળ એકત્ર કરી શકે.
આ હેઠળ તમે નિવૃત્તિ પછી તમારા જમા ફંડ પ્રમાણે એક નિશ્ચિત રકમનું પેન્શન મેળવી શકો છો.
કર્મચારીઓને નિવૃત્તિ પછી પણ દર મહિને થોડો પગાર મળતો રહે તે હેતુથી સરકારે વર્ષ 1995માં ઈપીએફની શરૂઆત કરી હતી. તેનું ગણિત થોડું જટીલ છે.
























