You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નેપાળમાં 72 લોકોને લઈ જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું
નેપાળમાં 72 લોકોને લઈ જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું
પ્રકાશિત
નેપાળના પોખરામાં આંતરરાષ્ટ્રીય હવાઈમથકની નજીક યેતિ ઍરલાઇન્સનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યાનુસાર દુર્ઘટનાસ્થળ પરથી અત્યાર સુધીમાં 68 મૃતદેહ મળ્યા છે.
નેપાળના સિવિલ એવિએશન ઑથૉરિટીના પ્રવક્તા જગન્નાથ નિરુલાના જણાવ્યા અનુસાર, બચાવ ટીમ દુર્ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેઓ કહે છે, "હવે અમે વધુ માહિતી એકઠી કરી રહ્યા છીએ, બચાવકાર્ય ઝડપથી ચાલી રહ્યું છે."
નોંધનીય છે કે વિમાનમાં પાંચ ભારતીયો પણ હતા, આ સમગ્ર મામલાની તપાસ માટે નેપાળની સરકારે પાંચ સભ્યોની તપાસ સમિતિ બનાવી છે.