You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : પ્રથમ વખત ચીનમાં એક પણ મૃત્યુ ન નોંધાયું, બ્રિટનમાં મૃતકાંક પાંચ હજાર
કોરોના વાઇરસના સંક્રમણ અંગે ગુજરાત, દેશ અને દુનિયાની પળેપળની અપડેટ્સ.
લાઇવ કવરેજ
નરેન્દ્ર મોદીએ પોતાનાં વિદેશી સંબોધનોમાં શું શું કહ્યું?
હિમંત બિસ્વા શર્માએ કહ્યું, હું 600 નહીં, તમામ મદરેસા બંધ કરવા માગું છું
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ કહ્યું હતું કે, તેઓ આસામમાં 600 નહીં, પરંતુ તમામ મદરેસા બંધ કરવા માગે છે, કારણ કે દેશમાં સ્કૂલ, કૉલેજની જરૂર છે.
હિમંત બિસ્વા શર્માએ ગુરુવારે કર્ણાટકના બેલગાવીમાં એક રેલી દરમિયાન આ વાત કહી હતી.
તેઓએ કહ્યું હતું કે, “હું આસામ જેવા પ્રદેશમાંથી આવ્યો છું, જ્યાં બાંગ્લાદેશમાંથી લોકો રોજ આવે છે. તેઓ આપણી સભ્યતા અને સંસ્કૃતિ માટે જોખમ પેદા કરે છે. ટીવી ઍન્કરે મને કહ્યું કે તમે 600 મદરેસા બંધ કરી દીધા છે. તમારો ઇરાદો શું છે.”
“મેં કહ્યું હતું કે હજુ મેં 600 મદરેસા બંધ કર્યા છે, પરંતુ મારો ઇરાદો તમામ મદરેસા બંધ કરવાનો છે. તેઓએ કહ્યું કે તમે આવું કેવી રીતે બોલી શકો છો, ત્યારે મે કહ્યું કે અમારે મદરેસાની જરૂર નથી, અમને ડૉક્ટર, એન્જિનિયર બનાવવા માટે સ્કૂલ, કૉલેજ અને વિશ્વવિદ્યાલયની જરૂર છે. નવા ભારતમાં મદરેસાની જરૂર નથી.”
આ સિવાય તેઓએ કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, “એક સમયે આપણા દિલ્હીના બાદશાહે મંદિર તોડવાની વાત કરી હતી. આજે વડા પ્રધાન મોદીના શાસનમાં આપણે મંદિર નિર્માણની વાત કરી રહ્યા છે.”
“આ નવું ભારત છે જેની અર્થવ્યવસ્થા બ્રિટન કરતાં વધુ મજબૂત છે, જે પોતાની વૅક્સિન જાતે બનાવી શકે છે. આજે કૉંગ્રેસ આ નવા ભારતને નબળું પાડવાનું કામ કરી રહી છે. જેમ પહેલા મુગલો ભારતને નબળું બનાવી રહ્યા હતા, તેમ કૉંગ્રેસ આજનું મુગલ છે.”
સુરતની કોર્ટમાં રાહુલ સામે બદનક્ષીના કેસમાં આજે અંતિમ દલીલો
સુરતની ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ કોર્ટ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીના કેસની અંતિમ દલીલ પર શુક્રવારે સુનાવણી યોજશે. બચાવ પક્ષના વકીલ કિરીટ પાનવાલાએ ગુરુવારે આ માટે વધારે સમય માગ્યો હતો.
સુરત પશ્ચિમની વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કર્ણાટકના કોલારની એક ચૂંટણીસભા દરમિયાન રાહુલ ગાંધીની કથિત ટિપ્પણી વિરુદ્ધ આ કેસ દાખલ કર્યો હતો.
એ ચૂંટણીસભામાં રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી કે"શા માટે બધા ચોરોના નામમાં મોદી છે, પછી ભલે તે નીરવ મોદી હોય, લલિત મોદી હોય કે નરેન્દ્ર મોદી?"
મોદીના નામનો કોઈ સમુદાય નથી, એવી દલીલ કરતાં બચાવ પક્ષના વકીલે કહ્યું હતું, "ફરિયાદમાંસુરત મોઢવાણિક સમાજને મોદી સમાજ (સમુદાય) તરીકે દર્શાવ્યો છે.સુરત મોઢવાણિક સમાજના બંધારણના કોઈપણ દસ્તાવેજોમાં મોદી સમાજનો કોઈ પુરાવો નથી."
ફરિયાદી મુજબ ભારતમાં 13 કરોડથી વધુ મોદી લોકો રહે છે જે અંગે પાનવાલાની દલિત હતી કે તું કે, “કોર્ટમાં કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી."
'ઈન્ડિયન એક્સપ્રેસ' સાથે વાત કરતાં પાનવાલાએ કહ્યું હતું કે, "અમે કોર્ટ પાસે વધુ સમય માંગ્યો છે, અમને આશા છે કે અંતિમ નિર્ણય શુક્રવારે જાહેર થશે.."
28 ફેબ્રુઆરીના રોજ કોર્ટ સમક્ષ તેમની અંતિમ રજૂઆતમાં પૂર્ણેશ મોદીના વકીલ કેતન રેશમવાલાએ અગાઉનાં ઉદાહરણો ટાંકીને ઉલ્લેખ કર્યો હતો કે,'રાહુલ ગાંધીને જાહેર સભાઓમાં બદનક્ષીભર્યા નિવેદનો આપવાની ટેવ છે અને તેમને રોકવા માટે કંઈક કરવું જોઈએ.'
ગુજરાતમાં 119 કોરોનાના નવા કેસ નોંધાયા, અમદાવાદમાં 62 કેસ
ગુજરાતમાં ગુરુવારે 119 નવા કોરોના કેસ નોંધાયા છે. 155 દિવસ બાદ દૈનિક કેસ 100ને પાર કરી ગયા છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, નવા કેસમાં અમદાવાદમાંથી 62, રાજકોટ અને સુરતમાંથી 10-10 અને મહેસાણામાંથી 9 મામલા સામેલ છે.
આ સાથે જ સક્રિય કેસની સંખ્યા 435 સુધી પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટ અનુસાર, કૂલ સક્રિય કેસમાંથી 4 વૅન્ટિલેટર પર હતા. અમદાવાદમાં 230 સક્રિય કેસ હતા, ત્યારબાદ સુરતમાં 42 અને રાજકોટમાં 40, મહેસાણામાં 31 ને વડોદરામાં 23 કેસ હતા.
ગુરુવારે ગુજરાતમાં સમગ્ર પરીક્ષણ પૉઝિટિવિટી દર 1.1 ટકા રહ્યો હતો, ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડાએ સંકેત આપ્યો છે કે બુધવારની સરખામણીએ ત્રણ જિલ્લામાં ટીપીઆર 5 ટકા વધારે હતો. ગીર- સોમનાથમાં 11.8 ટકા, બોટાદમાં 10 ટકા અને વડોદરામાં 5.9 ટકા રહ્યો છે, જ્યારે અમદાવાદમાં ટીપીઆર 3.8 ટકા હતો.
ઇસ્લામાબાદ હાઇકોર્ટે પોલીસને કહ્યું ઇમરાન ખાન રજૂ થાય ત્યાં સુધી ધરપકડ ન કરશો
ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસ અને H3N2નો ભય કેટલો વાજબી છે?
એ શખ્સ જેણે પોતાના પર રસીના પ્રયોગો કરીને ભારતને મહામારીઓમાંથી બચાવ્યું
"મને લાગે છે કે તેઓ મને સંસદમાં નહીં બોલવા દે." રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફરન્સ બોલાવીને આવું કેમ કહેવું પડ્યું?
અદાણી મામલે વિપક્ષની ઇડીની ઑફિસ સુધીની કૂચ અટકાવાઈ, ખડગેએ સરકારની ઝાટકણી કાઢી
બુધવારે વિપક્ષની કૂચ દરમિયાન ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 144 લાગુ કરવાના નિર્ણયની ટીકા કરતાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ નિર્ણયને “લોકતંત્ર ખતરામાં હોવાની વાતનું વધુ એક ઉદાહરણ” ગણાવ્યો.
સમાચાર સંસ્થા એએનઆઈના એક અહેવાલ અનુસાર તેમનું આ નિવેદન અદાણી સ્ટૉક મામલે આવેદન આપવા માટે પ્રવર્તન નિદેશાલય(ઇડી)ની ઑફિસ સુધી કૂચ કરીને જતાં વિપક્ષના સાંસદોને વિયજ ચોક ખાતે રોકી દેવાયા બાદ આવ્યું હતું.
એએનઆઈ સાથેની વાતચીતમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, “એક તરફ ભાજપ લોકશાહીમાં વિશ્વાસ કરતો હોવાની વાત કરે છે, તો બીજી બાજુ તેઓ શાંતિપૂર્વક કૂચ કરી રહેલા સાંસદોને રોકી રહ્યા છે, અને એ પણ જાહેરમાં. જે વ્યક્તિ એવું કહે છે કે લોકશાહી ખતરામાં છે તેને ‘રાષ્ટ્રવિરોધી’ ગણાવે છે.”
“અમને આવેદન આપતાં રોકાયા, અમે આ કાર્યવાહીની નિંદા કરીએ છીએ.”
નોંધનીય છે કે વિપક્ષ આ મામલે સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરાવાની માંગણી કરી રહ્યો છે.
ખડગેએ આરોપ મૂક્યો હતો કે સરકાર સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરાવવાથી બચી રહી છે.
અદાણી મામલે વિપક્ષની ઇડી ઑફિસ સુધીની કૂચ અટકાવાઈ, ખડગેએ મોદી સરકારની ઝાટકણી કાઢી
પાકિસ્તાનમાં હાઈવૉલ્ટેજ ડ્રામા, ઈમરાન ખાનની ધરપકડ કરવા માટે પહોંચેલી પોલીસ પર કાર્યકરોનો પથ્થરમારો
યુક્રેનમાં યુદ્ધ ચાલતું હોવા છતાં ભારતીય વિદ્યાર્થીઓ કેમ પાછા જઈ રહ્યા છે?
અમેરિકન બૅન્કોની ભારતીય શૅરબજારો પર અસર, રોકાણકારોને રૂ. 4.4 લાખ કરોડનું નુકસાન
કેન્દ્ર સરકારે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો વિરોધ કર્યો
દિલ્હી દારૂ ગોટાળો : ઈડીની કલાકો પૂછપરછ બાદ ઑફિસમાંથી બહાર નીકળ્યાં કે. કવિતા
ગુજરાત વિધાનસભામાં બીબીસીની ડૉક્યુમૅન્ટરી મામલે પગલાં લેવા વિનંતી કરતો પ્રસ્તાવ
ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતનાં રમખાણો અંગે ગત 17 જાન્યુઆરીના રોજ યુનાઇટેડ કિંગડમમાં બે ભાગમાં રજૂ કરાયેલી ડૉક્યુમૅન્ટરી ‘ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન’ને લઈને બીબીસી સામે કડક પગલાં લેવા માટે કેન્દ્રને વિનંતી કરતો પ્રસ્તાવ રજૂ કરાયો હતો.
શુક્રવારે ગુજરાત વિધાનસભામાં બીબીસી સામે પગલાં લેવાની ભલામણ કરતો ઠરાવ પસાર કરતાં ડૉક્યુમૅન્ટરીને ‘ભારતીયો વિરોધમાં પ્રચારની ટૂલકિટ’ અને ‘ભારતવિરોધી તત્ત્વો દ્વારા ઍજન્ડા બેઝ્ડ પ્રૉપેગૅન્ડા’ ગણાવાઈ હતી.
નોંધનીય છે કે આણંદાના સોજિત્રાના ભાજપના ધારાસભ્ય વિપુલકુમાર પટેલે વિધાનસભામાં આ બાબતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જે અંગે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં નિવેદન આપ્યું હતું.
તેમણે બીબીસીની ડૉક્યુમૅન્ટરીને ‘મોદી ફોબિયા, ઇન્ડિયા ફોબિયાનું ઉદાહરણ’ ગણાવી હતી.તેમજ કહ્યું હતું કે, “બીબીસીએ વર્ષ 2014થી ભારતવિરોધી વલણ અપનાવ્યું છે.”
નોંધનીય છે કે આ પહેલાં14 ફેબ્રુઆરીએ આવકવેરાવિભાગે બીબીસીની દિલ્હી અને મુંબઈની ઓફિસમાં સર્વે શરૂ કર્યો હતો. જે ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો.
ત્રણ દિવસ સુધી ચાલેલા આયકરવિભાગના સર્વે દરમિયાન બીબીસી દેશ-દુનિયા સાથે જોડાયેલ અહેવાલો પોતાની ઑડિયન્સ સુધી પહોંચાડતું રહ્યું હતું.
બીબીસીએ આયકરવિભાગનો સર્વે પૂર્ણ થયા બાદ આ મામલે એક વિસ્તૃત નિવેદન જાહેર કર્યું હતું અને જણાવ્યું હતું કે આ મામલે ટૅક્સ અધિકારીઓને સહકાર અપાતો રહેશે.
બીબીસીએ એમ પણ કહ્યું હતું કે "અમે ભરોસાપાત્ર, નિષ્પક્ષ, આંતરરાષ્ટ્રીય અને સ્વતંત્ર મીડિયા છે. અમે અમારા એ સહકર્મીઓ અને પત્રકારો સાથે ખડેપગે છીએ. જે સતત આપ સુધી કોઈ પણ ભય કે પક્ષપાત વગર સમાચાર પહોંચાડતા રહીશું."
આવકવેરાના સર્વે બાદ બીબીસીના ડાયરેક્ટર-જનરલ ટિમ ડેવીએ ભારતમાં સ્ટાફને એક ઈમેલ દ્વારા જણાવ્યું હતું કે બીબીસી ડર કે પક્ષપાત રહિત રિપોર્ટિંગ કરતા અટકશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે નિષ્પક્ષપણે રિપોર્ટિંગ કરતાં વધુ મહત્ત્વનું કંઈ નથી.
ઉલ્લેખનીય છે કે બીબીસીએ તાજેતરમાં જ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતી ડૉક્યુમેન્ટરી પ્રસારિત કરી હતી.
ભારત સરકારે ડૉક્યુમૅન્ટરીને "હોસ્ટાઇલ પ્રૉપેગૅન્ડા (શત્રુતાપૂર્ણ દુષ્પ્રચાર)" ગણાવી હતી અને તેને ભારતમાં પ્રસારિત કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
ટિમ ડેવીએ ઈમેલમાં કહ્યું હતું, "વિશ્વભરના આપણા દર્શકો પ્રત્યેનું આપણું કર્તવ્ય સ્વતંત્ર અને નિષ્પક્ષ પત્રકારત્વ દ્વારા સત્યને ઉજાગર કરવાનું છે અને શ્રેષ્ઠ સર્જનાત્મક સામગ્રીનું નિર્માણ અને વિતરણ કરવાનું છે. આપણને આપણું કામ કરતા અટકાવી શકાશે નહીં. હું સ્પષ્ટ કહેવા માગું છું કે બીબીસીનો કોઈ ઍજન્ડા નથી - આપણે હેતુને લઈને ચાલીએ છીએ. અને આપણો પ્રથમ જાહેર હેતુ લોકોને તેમની આસપાસની દુનિયાને સમજવા અને તેમની સાથે જોડાવવામાં મદદ કરવા માટે નિષ્પક્ષ સમાચાર અને માહિતી પ્રદાન કરવાનો છે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અન્ય દેશોના વડાઓને ગુજરાત કેમ લઈ આવે છે?
શિવાજીનું સુરત પર આક્રમણ અને લૂંટફાટ સત્ય શું છે?
નમસ્કાર!બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
9 માર્ચના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.