કોરોના વાઇરસ : ગુજરાત કમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પ્રવેશી ગયું?

ગુજરાતમાં થયેલાં છ મૃત્યુમાંથી અડધોઅડધ દર્દીઓ વાઇરસના સંપર્કમાં કંઈ રીતે રીતે આવ્યા હતા એ રહસ્ય

લાઇવ કવરેજ

  1. RBIના પટારામાં શું હશે?

    કેન્દ્ર નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લૉકડાઉન અને કોરોના વાઇરસને કારણે ઊભી થયેલી સ્થિતિમાં ગરીબો અને શ્રમિકો માટે જાહેર કરવામાં આવેલાં રૂ. એક લાખ 70 હજાર કરોડના પૅકેજના લગભગ 24 કલાકની અંદર ભારતની રિઝર્વ બૅન્કના ગવર્નર શશિકાન્તા દાસ દ્વારા એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવનાર છે.

    એવું માનવામાં આવે છે કે આ પત્રકાર પરિષદમાં તેઓ કૉર્પોરેટ વર્લ્ડ તથા નોકરિયાતો માટે કોઈ જાહેરાત કરી શકે છે.

    બિઝનેસ સાઇટ મની કંટ્રોલના અહેવાલ મુજબ, ચાવીરૂપ દરોમાં 0.25 થી 0.5 ટકા જેટલા ઘટાડાની જાહેરાત થઈ શકે છે. જો આ દર ઘટે તો હૉમલોન તથા અન્ય હપ્તાઓમાં રાહત મળી શકે છે. આ સિવાય નૉન-પર્ફૉર્મિંગ એસેટ્સને લગતા નિયમોમાં થોડી છૂટ આપવામાં આવે તેવી શક્યતા છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  2. અમેરિકા કોરોનાનું કેન્દ્રબિંદુ

    સમગ્ર વિશ્વમાં અમેરિકા હવે કોરોના વાઇરસનું કેન્દ્રબિંદુ બની ગયું છે, અહીં પૉઝિટિવ કેસોની સંખ્યા 82,400 કરતાં પણ વધી ગઈ છે, જ્યારે 1100 લોકોનાં મૃત્યુ થયાં છે.

    જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના તાજેતરના આંકડા મુજબ, ચીનમાં 81,782 અને ઇટાલીમાં 80,589 કેસ નોંધાયેલા છે. આમ અમેરિકા હવે વિશ્વમાં સૌથી વધુ કેસ ધરાવતો દેશ બની ગયો છે.

    બીજી બાજુ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા મુજબ, અમેરિકામાં સૌથી વધુ ટેસ્ટિંગ થઈ રહ્યું છે એટલે ત્યાં કેસોની સંખ્યા પણ વધુ નોંધાઈ રહી છે. તેમણે ચીન દ્વારા બહાર પાડવામાં આવેલાં આંકડા પ્રત્યે પણ સંશય વ્યક્ત કર્યો હતો.

    અમેરિકાથી બીબીસી સંવાદદાતા વિનીત ખરે જણાવે છે કે ટ્રમ્પે વર્જિનિયા ખાતે અમેરિકાની નેવીની હૉસ્પિટલ-શિપ મોકલવાની પણ જાહેરાત કરી હતી.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  3. ભારતમાં કેસોની સંખ્યા 700 નજીક, 16 લોકોનાં મૃત્યુ

    ભારતમાં કોરોના વાઇરસ સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે અને મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 16 થઈ ગઈ છે.

    આંદમાન નિકોબાર, ઓરિસ્સા અને જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ સમેત અનેક રાજ્યોમાં નવા કેસો સામે આવ્યા છે તો મુંબઈમાં એક 65 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. ગોવામાં પણ 3 નવા કેસ સામે આવ્યા છે.

    આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધી ભારતમાં કોરોના વાઇરસ કૉવિડ-19થી સંક્રમિત લોકોની સંખ્યા 694 થઈ ગઈ છે તો 16 લોકોનું મૃત્યુ થયું છે.

    કોરનાના કેર વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જી-20 દેશોની વર્ચ્યુઅલ બેઠકમાં દેશોને બરબાદ થઈ રહેલી અર્થવ્યવસ્થામાં ગરીબોને યોગ્ય મદદ માટે નક્કર આયોજન કરવા અપીલ કરી છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    મુંબઈની એક બાળકીએ ગુડી પડવા નિમિત્તે પંરપરાગત વસ્ત્રોમાં આ અપીલ કરી હતી.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, મુંબઈની એક બાળકીએ ગુડી પડવા નિમિત્તે પંરપરાગત વસ્ત્રોમાં આ અપીલ કરી હતી.
  4. કોરોના વાઇરસની મહામારી સાથે અમેરિકામાં મહાબેકારી

    વિશ્વની મહાસત્તા અમેરિકા કોરોના વાઇરસની સામે ઝઝુમી રહી છે.

    અમેરિકામાં કોરોના વાઇરસના અંદાજે 70,000 કન્ફર્મ કેસો છે અને 1050 લોકોનાં મૃત્યુ થયાં છે.

    આ સમયે બેરોજગારીનું પણ વિક્રમજનક ચિત્ર સામે આવી રહ્યું છે.

    અમેરિકાના શ્રમવિભાગના આંકડાઓ મુજબ ગત અઠવાડિયે 33 લાખ લોકોએ બેરોજગાર હોવા પર મળવાપાત્ર લાભો માટે અરજી કરી છે.

    આ અગાઉ 1982માં મોટી સંખ્યામાં અમેરિકામાં બેરોજગારી વધી હતી.

    ઉલ્લેખનીય છે કે અમેરિકાએ કોરોના વાઇરસની મહામારીને પગલે 2 ટ્રિલિયન ડૉલરનું પૅકેજ જાહેર કર્યું છે.

    કોરોના વાઇરસની મહામારીને પગલે અમેરિકામાં આંશિક લૉકડાઉનની સ્થિતિ છે. જાહેર સ્થળોએ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે અને હવાઇસેવાને પણ મર્યાદિત કરી દેવાઈ છે.

    અમેરિકા

    ઇમેજ સ્રોત, Getty Images

  5. સોશિયલ ડિસ્ટન્સિંગનો કંટાળો આવે છે? તો આ સમજો.

    ભારતમાં કોરોના વાઇરસનો ચેપ વધારે ન ફેલાય તે માટે 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

    સરકાર લોકોને સામાજિક અંતર જાળવાની અપીલ કરી રહી છે.

    જોકે, ઘણે ઠેકાણે લૉકડાઉનના આદેશનો ભંગ થયાની ઘટના પણ બની રહી છે.

    જો તમને પણ આ સોશિયલ ડિસ્ટન્સિંગ કેમ રાખવું જોઈએ એ અંગે અસમંજસ હોય કે કંટાળો આવતો હોય તો...

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  6. ઇટાલીમાંથી ભારતીયોને દેશમાં લઈ આવનાર કૅપ્ટન સ્વાતિ રાવલની કહાણી

    દિપલકુમાર શાહ

    બીબીસી સંવાદદાતા

    ભારતની 'ઍર ઇન્ડિયા' ઍરલાઇન્સે 21 માર્ચથી-23 માર્ચ દરમિયાન ઇટાલીમાં ફસાયેલા 250થી વધુ ભારતીયોને ઍરલિફ્ટ કર્યા.

    જ્યારે સમગ્ર દેશ, વડા પ્રધાન મોદીએ જાહેર કરેલો જનતા કર્ફ્યુ પાળી રહ્યો હતો ત્યારે, બીજી તરફ ઍર ઇન્ડિયાનું ક્રૂ ઇટાલીમાં ફસાયેલા એ ભારતીયોને ઍરલિફ્ટ કરવાની સાહસી કામગીરી કરી રહ્યું હતું.

    ઍર ઇન્ડિયાની એ ફ્લાઇટ, જેમાં ભારતીયોને સુરક્ષિત ઍરલિફ્ટ કરી ભારત પાછા લવાયા તેમાં કૅપ્ટન સ્વાતિ રાવલ પણ સામેલ હતાં. તેઓ મૂળ ગુજરાતનાં છે.

    હાલ તેઓ આઇસોલેશનમાં છે. સ્વાતિ રાવલે બીબીસી ગુજરાતીને કહ્યું કે 'ભારતીયોને ઇટાલીમાંથી ઍરલિફ્ટ કરવાનો મને ગર્વ છે.'

    વાંચો ગુજરાતના આ સાહસિક પાઇલોટની સમગ્ર કહાણી વાંચવા ક્લિક કરો.ભારતીયોને ઇટાલીમાંથી ઍરલિફ્ટ કરવાનો મને ગર્વ છે : કૅપ્ટન સ્વાતિ રાવલ

  7. ક્યાંક પોલીસનો બળપ્રયોગ તો ક્યાંક મદદ

    દેશભરમાં લૉકડાઉનને પગલે પોલીસકર્મીઓની પણ મુશ્કેલી વધી છે.

    ગુજરાત સમેત અનેક રાજ્યોમાં લૉકડાઉન હોવા છતાં લોકો અનેક કારણોસર ઘરની બહાર નીકળે છે. આ સંજોગોમાં પોલીસ બહાર નીકળનારને ઉઠબેસ જેવી સામાન્ય શિક્ષાથી લઈને લાઠીચાર્જ કરતી પણ જોવા મળી.

    દિલ્હીમાં પોલીસકર્મીઓએ અનેક ગરીબોને ખોરાક પણ વહેંચ્યો છે.

  8. શ્રીનગરમાં વધુ 2 કોરોના વાઇરસના દર્દીઓ

    જમ્મુ-કાશ્મીર સરકારના પ્રવક્તા રોહિત બંસલે ટ્વીટ કરીને કહ્યું છે જમ્મુ-કાશ્મીરમાં બે બાળકો કોરોના વાઇરસ પૉઝિટિવ છે. એક બાળકની ઉંમર સાત વર્ષની છે તો અન્ય એક બાળકની ઉમંર આઠ મહિનાની છે. બેઉ સાઉદી અરેબિયાથી આવેલ વ્યક્તિના પૌત્રો છે. જમ્મુ-કાશ્મીરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 11 થઈ ગઈ છે.

    રોહિત કંસલનું ટ્વીટ

    ઇમેજ સ્રોત, Rohit Kansal

  9. રૂ. 1.70 લાખ કરોડનું પૅકજ જાહેર

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલાં 21 દિવસના રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના 36 કલાકમાં કેન્દ્ર સરકાર દ્વારા રૂ.એક લાખ 70 હજાર કરોડના પૅકેજની જાહેરાત કરવામાં આવી છે. તબીબો, આરોગ્યક્ષેત્ર સાથે સંકળાયેલાં તમામ કર્મચારી, શ્રમિકો તથા મહિલાઓને આ પૅકેજ દ્વારા રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

    • ડૉક્ટરો, આશાવર્કર તથા આરોગ્યક્ષેત્રનાં કર્મચારીઓ માટે વ્યક્તિદીઠ રૂ. 50 લાખનું વીમાકવચ અપાશે
    • એપ્રિલ મહિનાના પહેલાં અઠવાડિયામાં આઠ કરોડ 70 લાખ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માનનીધિ હેઠળ રૂ. બે હજાર જમા કરાવાશે - નિર્મલા સીતારમણ લાઇવ
    • ઈ.પી.એફ.ભ થશો ઓ. લાભાર્થી તથા નોકરીદાતાનો ફાળો આપવામાં તથા ઉપાડમાં શરતી રાહતો અપાશે
    • 20 કરોડ જનધન ખાતાધારક મહિલાઓને માસિક રૂ. 500 આગામી ત્રણ મહિના સુધી અપાશે
    • મનરેગા લાભાર્થીઓની દૈનિક મજૂરી રૂ. 182થી વધારીને રૂ. 202 કરવામાં આવી, પાંચ કરોડ શ્રમિકોને લાભ થશે
    • ઉજ્જવલા યોજનાના આઠ કરોડ બી.પી.એલ. લાભાર્થી મહિલાઓને આગામી ત્રણ મહિના દરમિયાન સિલિન્ડર નિઃશુલ્ક અપાશે
    • સ્વસહાય જૂથોને રૂ. 20 લાખની તારણમુક્ત લોન અપાશે, 63 લાખ જૂથના સાત કરોડ પરિવારોને લાભ થશે
    • નિર્માણકાર્ય સાથે સંકળાયેલાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને રૂ. 31 હજાર કરોડના ફંડમાંથી 3.5 કરોડ શ્રમિકોને લાભ આપવા રાજ્ય સરકારોને નિર્દેશ અપાશે
  10. વિશ્વમાં ક્યાં કેવી સ્થિતિ?

    ભારતમાં કોરોના વાઇરસના કુલ 649 કેસ નોંધાયા છે. જેમાં 593 કેસ ઍક્ટિવ છે. 42ને સાજાં થયાં બાદ રજા આપી દેવાઈ છે, એક હિજરત કરી ગયા છે, જ્યારે 14નાં મૃત્યુ થયાં છે.

    જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ, વિશઅવભરમાં કોરોના વાઇરસથી ચેપગ્રસ્તોની સંખ્યા ચાર લાખ 70 હજાર પર પહોંચી ગઈ છે, આ બીમારીને કારણે વિશ્વભરમાં 21 હજાર 270થી વધુ લોકો મૃત્યુ પામ્યાં છે, જ્યારે એક લાખ 14 હજાર જેટલા લોકો સાજા થઈ ગયા છે.

    કોરોનાથી પ્રભાવિત પ્રમુખ દેશોની વાત કરીએ તો ચીન, (81,667 કેસ, 3,285 મૃત્યુ, 73,775 સાજાં), ઇટાલી (74,386 કેસ, 7,503 મોત, 9,362 સાજાં), અમેરિકા (66,132 કેસ, 1,031 મૃત્યુ, 616 સાજાં), સ્પેન (49,515 કેસ, 3,647 મૃત્યુ, 5,367 સાજાં).

    ટોચના ત્રણ દેશો સિવાયના દેશોની વાત કરીએ તો, જર્મની (37,323 કેસ, 206 મૃત્યુ, 3,547 સાજાં), ઈરાન (27,017 , 2,077 મૃત્યુ, 9,625 સાજાં), ફ્રાન્સ (25,600 કેસ, 1,333 મૃત્યુ, 3,907 સાજાં), બ્રિટન (9,640 કેસ, 466 મૃત્યુ, 140 સાજાં).

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  11. ગુજરાતમાં ત્રણનાં મૃત્યુ, 43 કેસ

    ગુજરાતમાં કોરોનાના 43 કેસ નોંધાયા છે અને મરણાંક ત્રણ ઉપર પહોંચ્યો છે.

    બુધવારે રાત્રે અમદાવાદમાં એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું છે. જ્યારે ભાવનગરમાં 43 વર્ષીય દરદીનું ગુરૂવારે સવારે અવસાન થયું છે.

    આરોગ્ય વિભાગના સચિવ જયંતી રવિના કહેવા પ્રમાણે, અમદાવાદમાં મૃત્યુ પામનાર મહિલા તાજેતરમાં જ સાઉદી અરેબિયાથી પરત ફર્યાં હતાં. અને તેમને અન્ય બીમારીઓ પણ હતી.

    આ પહેલાં સુરતમાં પણ એક પેશન્ટનું મૃત્યુ થયું હતું એટલે હવે કુલ મરણાંક ગુજરાતમાં ત્રણ પર પહોંચ્યો છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  12. વડોદરામાંં RAF તહેનાત

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  13. બીબીસી ગુજરાતી બુલેટિન

    કોરોના વાઇરસની સાથે દેશવિદેશના અપડેટ્સ સાથેનું બીબીસી ગુજરાતી બુલેટિન બુધવારની સાંજે આપે જોયું હતું?જો ચૂકી ગયા હો તો અહીં નિહાળો

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  14. ફ્રાન્સે સૈનિક પરત બોલાવવા શરૂ કર્યા

    ઇરાકમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને પગલે ફ્રાન્સે તેના 200 સૈનિકોને સ્વદેશ પરત બોલાવવાનું નક્કી કર્યુંછે. આ સિવાય નાટોના સૈન્ય-અભિયાનને અસર ન પહોંચે તે રીતે આગામી દિવસોમાં વધુ કેટલાક સૈનિકને પરત બોલાવાશે.

    ફ્રાન્સનું કહેવું છે કે ઇરાકમાં આરોગ્યક્ષેત્રે પૂરતા પ્રમાણમાં સુવિધા નથી, આવા સંજોગોમાં તેના સૈનિકોના જીવન જોખમમાં છે.

    ઇરાકમાં કોરોના વાઇરસને કારણે 27 લોકોનાં મૃત્યુ થયાં છે.

    ફ્રાન્સના સૈનિકની તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

  15. કોરોના વાઇરસ રાઉન્ડ-અપ

    • કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહનપ્રધાન નીતિન ગડકરીએ હાઈવે પર હંગામી ધોરણે ટોલ-માફીની જાહેરાત કરી છે.
    • હરિયાણા સરકારે કોવિડ-19ને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ચાલુ મહિને નિવૃત્ત થનાર તબીબ તથા અન્ય સ્વાસ્થયકર્મીઓનો સેવાકાળ લંબાવવાનો નિર્ણય કર્યો છે.
    • ભાજપે લૉક-ડાઉનના કાર્યકાળ દરમિયાન પાંચ કરોડ લોકોને જમાડવાનું અભિયાન હાથ ધર્યું છે.
    • કેન્દ્ર સરકારે નિવૃત્ત તબીબોની સ્વૈચ્છિક રીતે સેવા લેવાનો નિર્ણય જાહેર કર્યો છે.
    • અમેરિકાએ કહ્યું છે કે કોરોના સામેની લડાઈમાં ભારત અને યુ.એસ. સાથે છે. સાથે મળીને બંને દેશ તથા વિશ્વભરના નાગરિકોની સુરક્ષા કરીશું.
    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  16. ભારતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 600 કરતાં વધારે

    ભારતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં 600થી વધી ગઈ છે.

    સ્વાસ્થ્યમંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર બુધવારે સાંજે સાત વાગ્યા સુધીમાં કુલ 606 લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો.

    આમાં 553 દર્દીઓ ઉપરાંત 42 સાજા થયેલા દર્દી તથા દસ મૃતકો પણ સામેલ છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  17. ઇટાલી બાદ સૌથી વધુ મૃત્યુ સ્પેનમાં

    કોરોના વાઇરસને લીધે સ્પેનમાં દર્દીઓનો મૃતકાંક ચીન કરતાં પણ વધી ગયો છે.

    સ્પેનના આરોગ્યમંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર સ્પેનમાં કોરોના વાઇરસને લીધે 3,434 લોકોનાં મૃત્યુ થયાં છે.

    24 કલાકમાં 738 લોકોનાં મૃત્યુ થતાં સ્પેનમાં મૃતકાંક ઇટાલી બાદ વિશ્વમાં સૌથી વધારે નોંધાયો છે.

    સ્પેનમાં કોરોના વાઇરસે દેખા દીધા બાદ એક જ દિવસમાં નોંધાયેલાં આ સૌથી વધારે મૃત્યુ છે.

    મંગળવાર સુધી સ્પેનમાં 47,610 લોકોને વાઇરસનો ચેપ લાગ્યો હતો. કોરોના વાઇરસને લીધે ઇટાલી બાદ સૌથી વધુ મૃત્યુ સ્પેનમાં થયાં છે.

    જ્હૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર કોરોના વાઇરસને લીધે ઇટાલીમાં 6,820 લોકોનાં, જ્યારે ચીનમાં 3,285 લોકો મૃત્યું થયાં છે.

    કોરોના વાઇરસ

    ઇમેજ સ્રોત, Getty Images

  18. લૉકડાઉન દરમિયાન ગુજરાતમાં ગરીબોને મફત અનાજ

    કોરોના વાઇરસના કોપને જોતાં ભારત સરકારે દેશમાં 21 દિવસ માટે લૉકડાઉનના આદેશ આપ્યા છે.

    જેને પગલે નાગરિકોને 21 દિવસ માટે ઘરની અંદર જ રહેવું પડશે.

    આ દરમિયાન શ્રમજીવી વર્ગોના જીવનનિર્વાહ માટે ગુજરાત સરકારે મફત રૅશન આપવાની જાહેરાત કરી છે.

    રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ અંગે જાહેરાત કરતાં જણાવ્યું :

    "રાજ્યના 60 લાખ જેટલા શ્રમજીવી પરિવારના સવા ત્રણ કરોડ લોકોનો રૅશનની દુકાનમાંથી વ્યક્તિદીઠ સાડા ત્રણ કિલો ઘઉં, દોઢ કિલો ચોખા અને કુટુંબદીઠ એક કિલો ખાંડ, એક કિલો દાળ અને એક કિલો મીઠું વિનામૂલ્યે અપાશે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  19. બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સનો કોરોના ટેસ્ટ પૉઝિટિવ

    બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સનો કોરોનાનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. ક્લૅરન્સ હાઉસ દ્વારા આ વાતની ખરાઈ કરાઈ છે.

    પ્રવક્તાએ આ મામલે જણાવ્યું “પ્રિન્સ ચાર્લ્સ (ઉંમર વર્ષ 71)માં વાઇરસનાં હળવાં લક્ષણો જોવાં મળ્યાં છે. જોકે, તેમનું આરોગ્ય સારું છે. ”

    ક્લૅરેન્સ હાઉસે જણાવ્યું કે પ્રિન્સ ચાર્લ્સ અને ડચૅઝ ઑફ કૉર્નવૅલ કૅમિલા હાલમાં બૉલમોરલમાં સૅલ્ફ-આઇસોલેશનમાં છે. છેલ્લા કેટલાક દિવસથી પ્રિન્સ ઘરેથી જ કામ કરી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  20. દિલ્હી સરકાર ઈ-પાસ આપશે

    દિલ્હી સરકાર દ્વારા જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનો વેપાર કરનારાઓને સુગમતા રહે તે માટે ઈ-પાસ આપવાની જાહેરાત કરી છે.

    બીજી બાજુ, કેન્દ્રીય ગૃહમંત્રાલયે નિર્દેશ બહાર પાડીને સિક્યૉરિટી એજન્સીઓને જણાવ્યું છે કે લૉકડાઉન દરમિયાન આવી ન શકનાર ગાર્ડ્સનો પગાર કાપવામાં ન આવે તથા તેમની છટણી કરવામાં ન આવે. આ સિવાય આવશ્યક ચીજવસ્તુઓની તંગી હોવાની અફવા ફેલાવનારાઓ સામે કડકહાથે કાર્યવાહી કરવા રાજ્ય સરકારોને નિર્દેશ આપવામાં આવ્યા છે.