કોરોના વાઇરસ : ગુજરાત કમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પ્રવેશી ગયું?

ગુજરાતમાં થયેલાં છ મૃત્યુમાંથી અડધોઅડધ દર્દીઓ વાઇરસના સંપર્કમાં કંઈ રીતે રીતે આવ્યા હતા એ રહસ્ય

લાઇવ કવરેજ

  1. અમેરિકામાં બે લાખ લોકોનાં મૃત્યુની વાત કેમ કહેવાઈ રહી છે?

    અમેરિકાના જાણીતા સંક્રામક બીમારી વિશેષજ્ઞ ડૉક્ટર ઍૅન્થોની ફાઉચીએ કહ્યું કે અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણને લીધે એકથી બે લાખ લોકોનાં મૃત્યુ થઈ શકે છે.

    ઍન્થોની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસને લઈને જે ટાસ્ક ફોર્સ બનાવી છે એના સભ્ય છે.

    ડૉક્ટર ઍન્થોનીએ અમેરિકામાં જે ગતિથી કોરાનાનું સંક્રમણ વધી રહ્યું છે એને આધારે આ વાત કરી છે.

    ફાઉચીએ આ વાત સીએનએનને કહી છે. અમેરિકામાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા વિશ્વભરમાં સૌથી વધુ છે.

    અહીં એક લાખ પચીસ હજારથી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત છે અને 2200 લોકોનાં મૃત્યુ થયાં છે.

    અમેરિકાના પબ્લિક હેલ્થ ઍક્સપર્ટનું પણ કહેવું છે કે દેશના ભાગોમાં કોરોના વાઇરસના સંક્રમણના એવા કેસ પણ છે જેની નોંધણી કરાઈ શકી નથી.

    સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન અનુસાર અમેરિકામાં 2010થી દર વર્ષે સિઝનલ ફ્લૂથી 12થી 61 હજારની વચ્ચે લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે. કોરોના વાઇરસથી થનારા મૃત્યુનો દર ફ્લૂથી બહુ વધારે છે.

    વૃદ્ધોની વસતીમાં ફ્લૂની તુલનામાં કોરોના વાઇરસથી મૃત્યુનો દર છ ઘણો વધારે છે. આ ખતરાને જોતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ ડિસ્ટન્સિંગની સમયમર્યાદા 30 એપ્રિલ સુધી વધારી દીધી છે.

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  2. લૉકડાઉનને લીધે ઘટ્યું ભારતનું વાયુપ્રદુષણ

    ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણ અને તેને પગલે કરાયેલા લૉકડાઉનથી જનજીવન મુશ્કેલ તબક્કામાં પસાર થઈ રહ્યું છે પણ આનાથી વાયુના પ્રદુષણનું સ્તર ઘટ્યું છે. ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે 21 દિવસ માટે લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે અને તેના છઠ્ઠા દિવસે પર્યાવરણ પર અસર પણ જોવા મળી. ગત સાત નવેમ્બરે દિલ્હીમાં ખરાબ હવાના સમાચારોએ ચર્ચા જગાવી હતી, ત્યાં હવે દિલ્હીની સ્વચ્છ હવા ચર્ચામાં છે.

    દિલ્હીમાં ઍર-ક્વૉલિટી ઇન્ડેક્સ 50 કરતાં પણ નીચે આવી ગયો છે અને તેને ઘણો સારો ગણવામાં આવે છે. દિલ્હીમાં ઍર-ક્વૉલિટી ઇન્ડેક્સ ભાગ્યે જ આ સ્તેર આવે છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  3. લૉકડાઉનના કારણે કેરળમાં લિકર શૉપ બંધ, લોકોએ આત્મહત્યા કરી

    લૉકડાઉનના કારણે કેરળમાં લિકર શૉપ બંધ હોવાથી શરાબ ન મળતા લોકોએ આત્મહત્યા કરી હોવાના કિસ્સા સામે આવ્યા છે.

    સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર શનિવારે થ્રિસુર જિલ્લાના કોડુંગાલૂરમાં એક યુવાને શરાબ ન મળવાના કારણે નદી પરથી કૂદીને આત્મહત્યા કરી હતી.

    જ્યારે કાયમકુલમ જિલ્લામાં વાળંદને ત્યાં કામ કરતી એક વ્યક્તિએ શરાબ ન મળતા શૅવિંગ લૉશન પી લીધું હતું. તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ તેમનું મૃત્યુ થયું હતું.

    એએનઆઈ કેરળના મુખ્ય મંત્રીએ પિનારાયી વિજયનને ટાંકીને લખે છે કે તેમણે ઍક્સાઇસ વિભાગને સૂચના આપી છે કે જે લોકોને ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રિપ્શન લખી આપવામાં આવે છે તેમને દારૂ આપવો.

    આ ઉપરાંત કેરળ સરકારે એક્સાઇઝ વિભાગને એમ પણ કહ્યું છે કે નશામુક્તિ કેન્દ્રોમાં નશાખોર લોકોનો નિઃશુલ્ક ઉપચાર કરવામાં આવે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  4. સુરતમાં SRP-RAF તહેનાત

    રવિવાર રાત્રિની હિંસક અથડામણ બાદ સ્થિતિને કાબૂમાં લેવા માટે સ્ટેટ રિઝર્વ પોલીસ તથા રેપિડ ઍક્શન ફોર્સની ટૂકડીઓને પોલીસની સાથે તહેનાત કરવામાં આવી છે.

    પોલીસને મહત્તમ સંયમ વર્તવાની સૂચના પણ આપવામાં આવી છે.

  5. યુવાનોને કોરોના વાઇરસનો કોઈ ખતરો નથી?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  6. સુરતમાં શ્રમિક આક્રોશથી તણાવ

    સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પરપ્રાંતીય લોકોએ રવિવારે મોડી રાત્રે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે 30 ટિયરગેસના સેલ છોડ્યા હતા.

    સ્થાનિક પત્રકાર ધર્મેશ અમીનના જણાવ્યા પ્રમાણે, પાંડેસરા વિસ્તારની મીલમાં કામ કરતા પરપ્રાંતીય કામદારો લૉકડાઉનના કારણે શહેર છોડી પોતાના વતનમાં જવા પ્રયાસ કરી રહ્યા હતા.

    પોલીસે તેમને અટકાવવી તેમની તમામ જરૂરિયાતો સંતોષવાની ખાતરી આપી હતી, પરંતુ કામદારોને વિશ્વાસ ન થતાં પથ્થરમારો કર્યો.

    સુરત પોલીસના ડેપ્યુટી પોલીસ કમિશનર વિધિ ચૌધરીએ જણાવ્યું કે ગઈકાલે મોડી રાત્રે પરપ્રાંતીય મજૂરોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં 93 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે."

    ચૌધરીએ ઘટના અંગે જણાવતા કહ્યું, "મજૂરોને તેમના વતન પરત જવું હતું પોલીસે તેમને પરત ન જવા વિનંતી કરી અને તેમની માગ પૂરી કરવાની વાત કરી હતી. પરંતુ મામલો બિચકતાં પોલીસ પર પથ્થરમારો કર્યો હતો."

    તેમણે કહ્યું કે આમાં મોટાભાગના શ્રમિકો ઉત્તર પ્રદેશ અને ઉત્તર ભારતના છે.

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
  7. કોરોના વાઇરસ : ગુજરાતની હાલ શું સ્થિતિ છે?

    આરોગ્ય સચિવ જયંતી રવિ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં મૃતકાંક છ થઈ ગયો છે.

    આ સિવાય તેમણે કહ્યું :

    • ગુજરાતમાં કોરોના વાઇરસના વધુ છ પૉઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદમાં એક અને ભાવનગરમાં પાંચ કેસ નોંધાયા.
    • ગુજરાતમાં બે દરદી ડિસ્ચાર્જ થયા, છતાં તેમણે ઘરે ક્વોરૅન્ટીનનું પાલન કરવાનું રહેશે
    • ભાવનગરમાં ચાર કેસ લૉકલ ટ્રાન્સમિશનના હોવાથી વિસ્તારને કૉર્ડન કરાયો અને બફર ઝોન ઊભો કરાયો
    • ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગ માટેની કિટ્સ પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ, 1284 જેટલા સૅમ્પલ મળ્યા
    • કોરોના ઉપરાંતની બીમારીથી પીડાતાં હોવાથી ગુજરાતમાં દરદીઓનો મૃતકાંક વધુ
    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

  8. એક કે બે લાખ કરતાં ઓછાં મૃત્યુ સફળતા હશે – ટ્રમ્પ

    વૉશિંગ્ટનથી બીબીસી સંવાદદાતા વિનીત ખરે જણાવે છે, "અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે જો મરણાંક 'એક કે બે લાખથી ઓછો' રહે તો તે સરકારની સફળતા હશે. તેમણે લગભગ 90 મિનિટ સુધી પત્રકારો સાથે વાત કરી હતી."

    ટ્રમ્પે અવરજવર પરના નિયંત્રણોને એપ્રિલ મહિના અંતભાગ સુધી લંબાવી દીધા હતા. બીજી બાજુ, અમેરિકન નેવીનું એક જહાજ ન્યૂ યૉર્ક બંદરે પહોંચ્યું છે. તે કોવિડ-19ના દરદીઓની સારવાર નહીં, કરે પરંતુ અન્ય દરદીઓને ત્યાં મોકલવામાં આવશે.

    અમેરિકમાં કુલ નોંધાયેલા દરદીઓમાંથી અડધા ભાગના ન્યૂ યૉર્કમાં નોંધાયેલા છે.

  9. રોબોટની સહાય

    તામિલ નાડુમાં તિરુચુરાપલ્લીમાં ખાનગી સોફ્ટવૅર કંપનીએ હ્યુમનૉઇડ રૉબોટ્સ સરકારી હૉસ્પિટલને દાન આપ્યા છે, જે દરદીઓની સેવા કરવામાં કર્મચારીઓને મદદ કરશે. ડીનનું કહેવું છે કે જો સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવશે, તો તેઓ તેનો ઉપયોગ કરશે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  10. સોમવારની સ્થિતિ

    વિશ્વભરમાં મરણાંક 34 હજાર, સરેરાશ ત્રણમાંથી એક મૃત્યુ ઇટાલીમાં

    વિશ્વભરમાં મરણાંક 34 હજાર, સરેરાશ ત્રણમાંથી એક મૃત્યુ ઇટાલીમાં, પાંચમાંથી એક દરદી અમેરિકામાં

    ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ 63 પૉઝિટિવ કેસ નોંધાયેલા છે, જેમાંથી 57 ઍક્ટિવ કેસ છે, એકને ડિસ્ચાર્જ કરી દેવાયા છે, જ્યારે પાંચનાં મૃત્યુ થયાં છે.

    ભારતમાં કોરોનાથી ચેપગ્રસ્ત હોવાના કુલ 1024 કેસ નોંધાયા છે, જેમાંથી ઍક્ટિવ કેસની સંખ્યા 901 છે, જ્યારે 27નાં મૃત્યુ થયાં છે. 95 સાજાં થઈ ગયા છે કે ડિસ્ચાર્જ કરી દેવાયા છે.

    જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના અભ્યાસ પ્રમાણે, વિશ્વભરમાં કોરોના વાઇરસના કુલ 721, 583 કેસ નોંધાયા છે, તેનાં કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા 33,958 પર પહોંચી છે.

    વિશ્વમાં વધુ સૌથી કેસ અમેરિકા (142,106), ઇટાલી (97,689), ચીન (82,122), સ્પેન (80,110) અને જર્મનીમાં (62,095) નોંધાયા છે.

    ઇટાલીમાં (10,799), સ્પેનમાં (6,803), ચીનનાં હુબેઈમાં (3,182), ઈરાનમાં (2,640) અને ફ્રાન્સમાં (2,606) દરદી મૃત્યુ પામ્યાં છે.

    હિજરતી શ્રમિકની તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

  11. ભારતમાં પૉઝિટિવ કેસોની સંખ્યા 1000ને પાર, સ્પેનમાં 24 કલાકમાં 838 લોકોનાં મૃત્યુ

    ભારતમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસોની કુલ સંખ્યા 1024 થઈ ગઈ છે અને અત્યાર સુધી 27 લોકોનાં મૃત્યુ થયાં છે.

    સૌથી વધારે પૉઝિટિવ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 186 પૉઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે કેરળમાં 182 નોંધાયા છે.

    ગુજરાતમાં પૉઝિટિવ કેસોની સંખ્યા 63 થઈ ગઈ છે.

    વિશ્વભરમાં છ લાખ કરતાં વધારે લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.

    વિશ્વમાં 30 હજારથી વધારે લોકોનાં મૃત્યું થયાં છે, જે પૈકી 10 હજાર જેટલા મૃત્યુનાં કેસ ઇટાલીના છે.

    જર્મનીના 54 વર્ષીય રાજ્ય નાણામંત્રી થોમસ સાચફેરેએ આપઘાત કરી લીધો છે. અઠવાડિયા અગાઉ તેમણે કોરોના વાઇરસની મહામારીનો ભોગ બનનારને રાજ્ય તરફથી સહાયની જાહેરાત કરી હતી.

    યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું છે કે યુકેમાં પરિસ્થિતિ વણસી શકે છે તો અમેરિકાના ટોચના અધિકારીએ અંદાજે 1થી 2 લાખ અમેરિકન નાગરિકોના મૃત્યુ થઈ શકે છે એવી ચેતવણી આપી છે.

    સ્પેનમાં બીજો એક દિવસ દુખદ બની રહ્યો છે અને 24 કલાકમાં 838 લોકોનાં કોરોના વાઇરસને કારણે મૃત્યુ થયાં છે.

    સ્પેન

    ઇમેજ સ્રોત, Getty Images

  12. ગુજરાતમાં વધુ પાંચ પૉઝિટિવ કેસ

    રાજ્યનાં આરોગ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ બુલેટિન રજૂ કરતાં જણાવ્યું કે રાજ્યમાં વધારે પાંચ પૉઝિટિવ કેસ નોંધાતાં હવે કુલ પૉઝિટિવ કેસનો આંકડો 63એ પહોંચ્યો છે.

    તેમણે એવું પણ જણાવ્યું હતું કે પોરબંદરમાં પ્રથમ કેસ નોંધાયો છે.

    આ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં વધારે કેસ નોંધાયા હોવાથી આ શહેરો હૉટ-સ્પૉટ ક્લસ્ટ બન્યાં હોવાનું પણ જણાવ્યું હતું.

  13. 'આગામી રવિવાર સુધીમાં ન્યૂયૉર્કમાં વૅન્ટિલેટર ખૂટી જશે' - મેયર

    અમેરિકાનું ન્યૂયૉર્ક શહેર કોરોના વાઇરસનું એપી સેન્ટર બન્યું છે. શનિવાર સુધીમાં 52,000 લોકોના ટેસ્ટ પૉઝિટિવ નોંધાયા છે. જે આખા દેશમાં નોંધાયેલા કેસના ત્રીજા ભાગ કરતાં પણ વધારે છે.

    અહીંના મેયર બિલ ડી બ્લેસિઓએ કહ્યું, "આગામી રવિવાર એટલે 5 એપ્રિલ સુધીમાં તેમના શહેરમાંથી તમામ જટિલ તબીબી પુરવઠો - વૅન્ટિલેટર સહિત સમાપ્ત થઈ જશે."

    અમેરિકામાં હાલ સુધીમાં 728 લોકોનાં મૃત્યુ થયાં છે. જેમાં મૃત્યુ પામનાર 672 લોકો ન્યૂયૉર્ક શહેરના જ છે.

    કોરોના વાઇરસના કારણે દુનિયામાં મૃત્યુ પામનારની સંખ્યા 30 હજારને પાર થઈ ગયો છે.

    યુનાઇટેડ કિંગડમમાં કોરોના વાઇરસના કારણે 209 લોકોનાં મૃત્યુ થતાં કુલ મૃતકાંક 1228એ પહોંચ્યો છે. સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 838 લોકોનાં મૃત્યુ થયાં છે.

    નેધરલૅન્ડમાં પણ છેલ્લા 24 કલાકમાં 132 લોકોનાં મૃત્યુ થતાં કુલ મૃતકાંક 771એ પહોંચ્યો છે. નેધરલૅન્ડમાં 1,104 કેસ વધતા કુલ કેસ 10,866 થયા છે.

    અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ડ્રાઇવ- થ્રૂ ટેસ્ટિંગ સેન્ટર પાસે ટેસ્ટ કરતી વખતે ડૉક્ટર

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ડ્રાઇવ- થ્રૂ ટેસ્ટિંગ સેન્ટર પાસે ટેસ્ટ કરતી વખતે ડૉક્ટર
  14. લૉકડાઉનમાંથી ગુજરાતના ખેડૂતોને અપાઇ છૂટછાટ

    રવિ પાકની લણણીનો સમય હોવાથી લૉકડાઉનની પરિસ્થિતિમાં ખેડૂતોને થોડી છૂટછાટ આપવાની જાહેરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કરી છે.

    ખેડૂતોને આપવામાં આવેલી છૂટછાટ

    • રવિ પાકના લણવા માટે હાર્વેસ્ટર, થ્રેસર, રીપર, સાધનોના માલિક, ડ્રાઇવર, મજૂરો વગેરેને અવર-જવરની છૂટ આપી છે.
    • કાપણી બાદ કૃષિ પેદાશોને નુકસાન ન થાય તે માટે ખેતરથી ઘર કે પાક સંગ્રહ ગોડાઉન સુધી લઈ જવાની છૂટ અપાઈ.
    • બાગાયતી પાકો અને ઉનાળુ પાકના મર્યાદિત વિસ્તારોમાં પિયત અને પાક જાળવણી માટે ખેડુતોને ખેતર સુધી અવરજવરની છૂટ રહેશે.
    • પીયત માટે વીજ પુરવઠો થોડો દિવસે અને રાત્રે આપવામાં આવતો હોવાથી વીજળી પુરવઠાના દિવસો દરમિયાન ખેડૂતો ખેતરે જઈ આવી શકશે.
    • ફળ અને શાકભાજીના ખેડુતોના ઉત્પાદનો જલ્દી નાશ પામતાં હોવાથી તેને માર્કેટમાં નિર્ધારિત સમયે લઈ જવાની છૂટ રહેશે.

    મુખ્ય મંત્રીએ આ સિવાય અન્ય ખેડૂતો પોતાના ઘરમાં જ રહીને લૉકડાઉનનું પાલન કરવા અને કોરોનાના સંક્રમણથી બચવા અપીલ કરી હતી.

    ખેડૂત

    ઇમેજ સ્રોત, Getty Images

  15. દેશમાં છેલ્લા 24 કલાકમાં 106 નવા કેસ ઉમેરાયા, કુલ 25 લોકોનાં મૃત્યુ થયા

    આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, "ભારતમાં દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરના વાઇરસના 106 નવા કેસ ઉમેરાયા છે, જ્યારે 6 લોકોનાં મૃત્યુ થયા છે."

    ભારતમાં કુલ કન્ફર્મ કેસનો આંકડો જણાવતાં તેમણે કહ્યું હતુ કે, " દેશમાં કુલ 979 કન્ફર્મ કેસો છે અને કુલ 25 લોકોનાં થયા છે."

    તેમણે વધુમાં કહ્યું, "ભારતીય રેલવે દ્વારા 1.25 લાખ વેગન પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, મીઠું, કોલસો, પેટ્રોલિયમ વગેરેની છેલ્લા પાંચ દિવસમાં હેર-ફેર કરી છે. "

    આઇ.સી.એમ.આર.ના રંગા કેતકરે જણાવ્યું હતું કે હાલ સુધી અમે 34,931 ટેસ્ટ કર્યા છે. અમે લૅબમાં પણ વધારો કર્યો છે. 113 લૅબને કાર્યરત કરવામાં આવી છે અને 47 ખાનગી લૅબને પરવાનગી આપવામાં આવી છે.

    કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને કહ્યું છે કે રાજ્યોના શહેરોની અંદર લોકોની અવર-જવર ન થાય તેને સુનિશ્વિત કરે.

    સ્થળાંતરિત મજૂરો પોતાના કામના સ્થળે રહે તેના માટે યોગ્ય વ્યવસ્થા કરે. આ ઉપરાંત તેમને તેમનો પગાર પણ મળતો રહે. જે લોકો મજૂરો અને વિદ્યાર્થીઓને ઘર ખાલી કરાવવાનું કહી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  16. કોરોના વાઇરસથી મૃત્યુ થાય તો અંતિમવિધિ કેવી રીતે કરવી?

    ભારત સહિત દુનિયામાં કોરોના વાઇરસની મહામારીનો ભોગ બનનાર લોકોની સંખ્યા વધી રહી છે.

    એક તરફ અલગ અલગ દેશોની સરકારો આ મહામારીથી લોકોને કેવી રીતે બચાવવા અને થનાર આર્થિક નુકસાનને કેવી રીતે પહોંચી વળવુ તેની ચિંતા કરી રહ્યા છે ત્યારે નિષ્ણાતો કોરાના વાઇરસથી મૃત્યુ બાદ મૃતદેહને કેવી રીતે હૅન્ડલ કરવો તેની ચિંતા કરી રહ્યા છે.

    મૃતશરીરમાંથી કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા નથી. તેમ છતાં મૃતદેહની અંતિમવિધિ માટે ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે ગાઇડલાઇન જાહેર કરી છે.

    શું છે આ ગાઇડલાઇનની ખાસ વાતો. ક્લિક કરો અંહી

    કોરોના વાઇરસ
  17. ચીનમાં કોરોના વાઇરસના સંક્રમણના 45 નવા કેસ

    ચીનમાં 28 માર્ચના રોજ કોરોના વાઇરસથી સંક્રમણના 45 નવા કેસ સામે આવ્યા છે.

    સમાચાર એજન્સી રૉયટર્સના પ્રમાણે 27ની માર્ચની સરખામણીએ આ આંકડો ઓછો છે. 27 માર્ચના રોજ સંક્રમણના 54 નવા કેસ સામે આવ્યા હતા.

    ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું છે કે 45માંથી એક સંક્રમિત વ્યક્તિ વિદેશથી પરત ફરી હતી.

    શનિવારના રોજ ચીનમાં કોરોના વાઇરસથી પાંચ લોકોનાં મૃત્યુ થયાં. બધાં જ મૃત્યુ હૂબે પ્રાન્તના વુહાન શહેરમાં થયાં છે.

    આ શહેરમાં પહેલી વખત કોરોના વાઇરસના સંક્રમણનો કેસ સામે આવ્યો હતો. ચીનમાં અત્યાર સુધી કોરોના વાઇરસથી 3,300 લોકોનાં મૃત્યુ થયાં છે અને સંક્રમણના 81,996 કેસ સામે આવ્યા છે.

    સતત ચોથા દિવસે હૂબે પ્રાન્તમાં કોરોના વાઇરસના સંક્રમણના કોઈ નવા કેસ સામે આવ્યા નથી.

    વુહાનમાં લાગેલા પ્રતિબંધો ધીમે-ધીમે હટી રહ્યા છે. આસપાસના વિસ્તારોનો વુહાન સાથે સંપર્ક કાપી દેવાયો હતો પરંતુ ફરી તેને પૂર્વવત્ સ્થિતિમાં લાવવામાં આવી રહ્યું છે.

    ચીન

    ઇમેજ સ્રોત, Getty Images

  18. લૉકડાઉન બદલ પીએમની માફી

    રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'માં કોરોના વાઇરસને લઈને ચર્ચા કરી હતી. જે દરમિયાન તેમણે દેશમાં લાદેલા સંપૂર્ણ લૉકડાઉનને લઈને દેશવાસીઓની માફી માગી હતી.

    મોદીએ કહ્યું, "કોરોના વાઇરસ સામે લડવા માટે લૉકડાઉન જેવાં કડક પગલાં લેવા બદલ આપની માફી માગું છું."

    'મન કી બાત' દરમિયાન મોદીએ શું-શું કહ્યું?

    • નાગરિકોને કોરોના વાઇરસ સંબંધિત સાવચેતી તથા નિષેધાત્મક આદેશોનું પાલન કરવા અપીલ કરી.
    • કોરોનાના કારણે ડરવાને બદલે સમયસર તબીબી માર્ગદર્શન લઈને મહામારીને નાથી શકાય તેમ છે.
    • કોરોનાને કારણે દરદીઓની સંખ્યામાં અચાનક ઉછાળો જોવા મળે છે, ભારતમાં એવું ન થાય તે માટે જરૂરી સાવચેતી રાખીએ.
    • કોરોનાની બીમારી બેકાબૂ થઈ જાય તે પહેલાં તેને ડામવી કે નાથવી જરૂરી. લૉકડાઉન ખુદને, ખુદના પરિવારને તથા અન્યોને બચાવવા માટે 'લક્ષ્મણરેખા'નું પાલન થાય તે જરૂરી.
    • લૉકડાઉનનાં સમય દરમિયાન ખુદનાં જૂના શોખ તાજાં કરવા સલાહ
    • સફાઈકર્મચારી, બૅન્કિગ કર્મચારી, ડ્રાઇવર, ઈ-કૉમર્સ કર્મચારીઓ દ્વારા નિયમિત રીતે અવિરત કામગીરી કરનાર 'ડેઇલી હીરો'નો આભાર
    • કોરોના વાઇરસ માટે હૉમ-ક્વોરૅન્ટીન થનારાંઓ સાથે ભેદભાવપૂર્ણ વર્તન ન કરો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું છે,
    • માનવ તરીકે નહીં. સોશિયલ ડિસ્ટન્સિંગનો સમય સામાજિક સંપર્ક ઘટાડવાનો નહીં, પરંતુ પરસ્પર સંવાદનો છે અને જૂના સંબંધો તાજાં કરો.
    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  19. ગુજરાતમાં કોરોના વાઇરસને કારણે પાંચનાં મૃત્યુ

    અમદાવાદમાં કોરોના વાઇરસથી 45 વર્ષના દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાઇરસને કારણે મૃતકાંક 5 પર પહોંચી ગયો છે.

    ગુજરાતમાં અત્યાર સુધી 55 લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે અને મૃતકાંક પાંચ પર પહોંચી ગયો છે.

    સમાચાર સંસ્થા એએનઆઈના હાલના આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં કુલ 193 લોકોને વાઇરસનો ચેપ લાગ્યો છે અને રાજ્યમાં મૃતકોની સંખ્યા પાંચ છે.

    ત્યારે એ સવાલ થવો સ્વાભાવિક છે કે ગુજરાતમાં કોરોના વાઇરસને લઈને મૃતકાંક કેમ વધારે છે? આ પહેલાં મૃતકોને લઈને પૂછાયેલા એક સવાલમાં ગુજરાત રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ ગુજરાતમાં વાઇરસને લીધે મૃત્યુ પામનારા લોકોને લઈને વૃદ્ધવસ્થા અને અન્ય બીમારીઓને પણ જવાબદાર ગણાવી હતી.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  20. કોરોના પર મનની વાત કરશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારની સવારે 11 કલાકે ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમના માધ્યમથી દેશમાં કોરોનાના સંક્ટ અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે વાત કરશે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ