You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...
મિત્રો, દર અઠવાડિયે અમે તમારા માટે એવા લેખો લાવીએ છીએ જે અલગ-અલગ ઘટનાઓ વિશે તમને માહિતી આપે છે. જો તમે આ અઠવાડિયે કંઈ ચૂકી ગયા હો તો અહીં વાંચી શકો છો.
અમે તમારા માટે પાંચ એવા લેખો લાવ્યા છીએ જે તમને વાંચવા ગમશે. આખો લેખ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
થોડા દિવસ પહેલાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં એક રિક્ષાચાલકના ઘરે ગયા હતા અને તેમના પરિવાર સાથે ભોજન લીધું હતું. ત્યાર બાદ તેમણે એક દલિત યુવકને સહપરિવાર દિલ્હીસ્થિત પોતાના ઘરે ભોજન માટે નોતરું આપ્યું હતું.
આ યુવક છે ગાંધીનગરમાં રહેતા હર્ષ સોલંકી. તેઓ આજે સોમવારે પોતાનાં માતા અને બહેન સાથે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યાં હતાં અને સાથે જમ્યાં હતાં.
હર્ષના મામા રાકેશ વાઘેલાએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે 20 વર્ષીય હર્ષ ગાંધીનગરમાં છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી કરાર આધારિત સફાઈ કામદાર તરીકે કામ કરે છે.
તેમના કહેવા પ્રમાણે હર્ષે દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને તેઓ ગાંધીનગરસ્થિત મહાત્મા મંદિર પાછળ છાપરાવાળા કાચા મકાનમાં રહે છે.
કેવી રીતે રાકેશને મળ્યું ભોજન માટેનું આમંત્રણ? જાણવા અને વધુ વિગતો વાંચવા અહીં ક્લિક કરો.
અમરસિંહ ચૌધરી 1985માં ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્ય મંત્રી બન્યા ત્યારે તે કંઈ બહુ ઉજવણી કરવા જેવો પ્રસંગ બન્યો નહોતો, કેમ કે તેમની સામે રાજ્યમાં ફેલાયેલી કોમી હિંસાને ઠારવાનો મોટો પડકાર હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહિનાઓથી ચાલી રહેલાં કોમી રમખાણોને બંધ કરાવવા માટેની મોટી જવાબદારી તેમના માથે આવી પડી હતી.
કૉંગ્રેસ પક્ષ માટે એ બહુ મોટી વક્રતા હતી કે હજી થોડા મહિના પહેલાં માર્ચ 1985માં 149 બેઠકના વિક્રમ સાથે સત્તા પર આવેલા મુખ્ય મંત્રીને હટાવવા પડ્યા હતા. અનામત વિરોધી આંદોલન શરૂ થયું હતું અને તે બહુ ઝડપથી કોમી રખમાણોમાં ફેરવાઈ ગયું હતું.
એના પાંચ વર્ષ પહેલાં 1980માં પણ આ જ માધવસિંહ સોલંકીએ કૉંગ્રેસને 139 બેઠકો અપાવી હતી. આ બંને વિક્રમો આજે સુધી ગુજરાતમાં કોઈ પક્ષ તોડી શક્યો નથી.
માધવસિંહ સોલંકીએ ઓબીસી માટે અનામતની ટકાવારી 18 ટકાથી વધારીને 27 ટકા કરી હતી. તેના કારણે અનામત વિરોધી આંદોલન થયું હતું. આ રીતે કુલ અનામત 49.5 ટકા સુધી પહોંચી ગઈ હતી, જે સુપ્રીમ કોર્ટની 50 ટકાની મર્યાદામાં જ હતી. અનામત એસટી માટે 15, એસસી માટે 7.5 ટકા અને હવે 27 ટકા બક્ષી પંચ માટે થઈ હતી.
અમરસિંહ ચૌધરી અગાઉની સોલંકી કૅબિનેટમાં સિનિયર મંત્રી તરીકે હતા અને 1985માં હવે તેમને ગૃહ મંત્રાલય મળ્યું હતું. સોલંકીને બદલવાની વાત આવી ત્યારે તેમની ભલામણ પ્રમાણે જ અમરસિંહને પસંદ કરવામાં આવ્યા હતા.
તેમના કાર્યકાળ અને તેમના જીવનની અજાણી વાતો જાણવા માટે અહીં ક્લિક કરો.
ઍક્ટ્રેસ કાજલ અગ્રવાલ તાજેતરમાં જ મુંબઈના એરપૉર્ટ પર 'બ્લૅક વૉટર'ની એક બૉટલ સાથે દેખાયાં હતાં. પત્રકારોએ એમને પૂછી જ લીધું કે બૉટલમાંના પાણીમાં એવું શું ખાસ છે?
એમણે સ્મિત કરતાં જવાબ આપ્યો, "આ પણ પીવાનું પાણી છે. તમે પણ એક વાર પી જુઓ. તમને પણ એ સારું લાગશે."
જ્યારે એમને પૂછવામાં આવ્યું કે તેઓ બ્લૅક વૉટર ક્યારથી પીએ છે?, તો એમણે જવાબ આપ્યો - ઘણા દિવસથી.
કેટલાક દિવસ પહેલાં શ્રુતિ હાસને પણ સોશિયલ મીડિયા પર એવું જાહેર કર્યું કે તે પણ બ્લૅક વૉટર પી રહ્યાં છે. એમણે એક વીડિયો રૅકૉર્ડ કર્યો જેમાં એક ગ્લાસમાં બ્લૅક વૉટર દેખાતું હતું.
શ્રુતિએ એ વીડિયોમાં કહ્યું, "જ્યારે મેં પહેલી વાર બ્લૅક વૉટર વિશે સાંભળ્યું ત્યારે એ નવી વસ્તુ લાગી. વાસ્તવમાં, આ કંઈ બ્લૅક વૉટર નથી. આ અલ્કેલાઇન વૉટર છે. આ સ્વાદમાં એવું જ લાગે છે જેવું પીવાનું નૉર્મલ પાણી લાગે છે."
ભૂતકાળમાં મીડિયામાં એવા સમાચાર આવતા હતા છે કે મલાઇકા અરોડા, ઉર્વશી રૌતેલા અને બીજા ઘણા ફિલ્મી સિતારા પણ બ્લૅક વૉટરનો ઉપયોગ કરે છે.
આ બ્લૅક વૉટર શું છે અને શું છે તેની ખાસિયતો? જાણવા માટે અહીં ક્લિક કરો.
ઇગ્લૅન્ડ સામેની ત્રણ મૅચની વનડે સિરીઝની છેલ્લી મૅચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લૅન્ડની ટીમને 16 રને હરાવી હતી. આ સાથે ભારતીય ટીમે વનડે શ્રેણી 3-0થી જીતી લીધી હતી. આ જીત સાથે ભારતનાં દિગ્ગજ બૉલર ઝુલન ગોસ્વામીએ પણ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે.
ઝૂલન ગોસ્વામી જ્યારે બેટિંગ કરવા ઊતર્યાં ત્યારે ભારત અને ઇંગ્લૅન્ડના ખેલાડીઓએ લાઈનમાં ઊભા રહીને તેમને 'ગાર્ડ ઑફ ઑનર' આપ્યું હતું. પ્રેક્ષકોએ પણ તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું હતું.
ભારતે આ મૅચ 16 રને જીતીને શ્રેણી 3-0થી પોતાના નામે કરી લીધી હતી. ઝૂલને તેમની અંતિમ મૅચમાં 2 વિકેટ ઝડપી હતી.
ઝૂલનની કારકિર્દી અંગે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.
"કૉંગ્રેસ હવે ખતમ થઈ ગઈ છે, તેમના પ્રશ્નો લેવાનું બંધ કરી દો હવે, જનતા સ્પષ્ટ છે, જનતાના મનમાં કોઈ પ્રશ્ન નથી."
આ શબ્દો છે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના.
કેજરીવાલ જ્યારે ગુજરાત આવ્યા હતા એ સમયે તેમણે એક પ્રશ્નના જવાબમાં આ વાત કહી હતી.
નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જે. પી. નડ્ડા ભાજપના આ ત્રણ નેતા સતત ગુજરાતમાં જોવા મળી રહ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીમાંથી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને ભગવંત માન સતત ગુજરાત આવી રહ્યા છે.
એપ્રિલ મહિનાથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.
બીજી તરફ કૉંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ હાલ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને નવા અધ્યક્ષની ચૂંટણીમાં અટવાયેલું પડ્યું છે.
અત્યાર સુધીમાં રાહુલ ગાંધી માત્ર બે વખત ગુજરાત આવ્યા છે અને તેમણે બે સભાઓ કરી છે. જેના આધાર પર કૉંગ્રેસ હાલ પ્રચાર કરી રહી છે.
ગુજરાતના રાજકારણમાં ભાજપ અને આપ વચ્ચે જામેલ ચૂંટણીજંગમાં કૉંગ્રેસ ક્યાં છે? સમગ્ર સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો