વડોદરામાં ઇમારત ધરાશાયી થતાં ત્રણ મોત, એકનો બચાવ

ઇમેજ સ્રોત, Vadodara fire brigade
વડોદરાના બાવામાનપુરા વિસ્તારમાં રાત્રે ઇમારત ધરાશાયી થઈ હતી.
સમાચાર એજન્સી એએનાઈ અનુસાર આ ઘટનામાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે.
વડોદરા ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે આ ઘટના મોડી રાત્રે બની હતી અને બચાવકામગીરીમાં વડોદરાના ચાર ફાયરસ્ટેશનના 30 કર્મચારીઓ જોતરાયા હતા.
સ્થાનિક ચેનલોને આપેલા ઇન્ટવ્યૂમાં પાણીગેટ પોલીસસ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એમ. કોલયાએ કહ્યું કે બિલ્ડિંગનું કામ પૂર્ણ થયું હતું. ચાર મજૂર દટાયા હતા, ચારને બહાર કાઢ્યા છે. એક જીવિત છે અને ત્રણ મૃત્યુ થયાં છે.
તેમના કહેવા પ્રમાણે આ મજૂર રાજસ્થાન બાસવાડાના હોવાનું જાણવા મળે છે.
(આ અહેવાલ અપડેટ કરાઈ રહ્યો છે.)


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો


















