હિંદ છોડો આંદોલનની વરસી : રાહુલ ગાંધીએ કહ્યું - અન્યાય વિરુદ્ધ લડો, ડરો નહીં

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

ભારત છોડો આંદોલનની 78મી વરસી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીને પોતપોતાની રીતે યાદ કર્યા.

રાહુલે ટ્વિટર પર લખ્યું, "ભારત છોડો આંદોલનની 78મી વરસી પર ગાંધીજીના 'કરો યા મરો' સૂત્રને નવો અર્થ આપવો પડશે. 'અન્યાય વિરુદ્ધ લડો, ડરો નહીં.'

line

મોદી બોલ્યા- અમારું અભિયાન છે ગંદકી ભારત છોડો

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Ani

બીજી બાજુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસરે શનિવારે રાજઘાટ નજીક 'રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર'નું ઉદ્ઘાટન કર્યું. તેમણે આ કેન્દ્રને મહાત્મા ગાંધીને સમર્પિત કર્યું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "આવા ઐતિહાસિક દિવસ પર રાજઘાટ નજીક રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું લોકાર્પણ પોતાની રીતે જ બહુ પ્રાસંગિક છે."

તેમણે ઉમેર્યું, "ગાંધીજી કહેતા હતા કે સ્વરાજ માત્ર સાહસિક અને સ્વચ્છ જન જ લાવી શકે."

"સ્વચ્છતા અને સ્વરાજ વચ્ચેના સંબંધોને લઈને ગાંધીજી આશ્વસ્ત હતા કેમ કે તેમને વિશ્વાસ હતો કે ગંદકી જો કોઈને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે તો એ ગરીબ છે."

વડા પ્રધાને કહ્યું કે "હવે આપણે સૌ લોકો 'ગંદકી ભારત છોડો' અભિયાનનો ભાગ છીએ."

તેમણે એવું પણ કહ્યું વિચારો કે જો 2014 પહેલાં કોરોના વાઇરસ જેવી મહામારી આવી હોત તો શું થાત?

"શું આપણે ત્યારે લૉકડાઉન લાગુ કરી શક્યા હોત કે જ્યારે 60 ટકાથી વધારે વસતી જાહેરમાં શૌચ કરવા મજબૂર હતી?"

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો