You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ : ભારતીય ટીમની પસંદગી મામલે ગાંગુલીએ કેમ સવાલો ઉઠાવ્યા?
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટેની ટીમની પસંદગી પર કેટલાક સવાલો ઉઠાવ્યા છે.
ઇંગ્લૅન્ડમાં યોજાયેલા વર્લ્ડ કપના સેમિફાઇનલમાં ભારતીય ટીમના ધબડકા બાદ મિડલ ઑર્ડર અને કપ્તાની મામલે પણ સવાલો થઈ રહ્યા છે.
3 ઑગસ્ટના રોજ શરૂ થનારા વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં ટીમ ઇન્ડિયા ત્રણ ટી-20, ત્રણ વન-ડે અને બે ટેસ્ટ મૅચ રમશે.
આ ત્રણેય ફૉર્મેટમાં વિરાટ કોહલી જ કપ્તાની કરશે, વન-ડે અને ટી-20માં રોહિત શર્મા ઉપકપ્તાન હશે, જ્યારે ટેસ્ટમાં રહાણે ઉપકપ્તાન હશે.
જ્યારે ધોનીની જગ્યાએ ત્રણેય ફૉર્મેટમાં રિષભ પંતને વિકેટકીપર તરીકે લેવામાં આવ્યા છે.
સૌરવ ગાંગુલીએ શું પ્રશ્નો ઉઠાવ્યા?
સૌરવ ગાંગુલીએ ટીમની પસંદગી કરનારા પસંદગીકર્તાઓ પર ટ્વીટ કરીને કેટલાક સવાલો ઉઠાવ્યા છે.
ગાંગુલીએ કહ્યું, "હવે સમય આવી ગયો છે કે ભારતીય ટીમના પસંદગીકર્તાઓએ એવા ખેલાડીઓની પસંદગી કરવી જોઈએ કે જે રમતનાં તમામ ફૉર્મેટમાં રમી શકતા હોય."
"જેથી રમતનો લય જળવાઈ રહે અને ભરોસો બન્યો રહ્યો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગાંગુલીએ કહ્યું કે માત્ર થોડા જ ખેલાડીઓ છે જે તમામ ફૉર્મેટમાં રમી રહ્યા છે. સારી ટીમ માટે જરૂરી છે કે કેટલાક ખેલાડીઓ સતત ટીમમાં હોય.
તેમણે કહ્યું કે આ બધાને ખુશ કરવા માટે નથી પરંતુ દેશ માટે સૌથી સારી પસંદગી કરવા સાથે જોડાયેલું છે.
રહાણે અને શુભમન ગિલ અંગે શું કહ્યું?
સૌરવ ગાંગુલીએ અજિંક્ય રહાણે અને શુભમન ગિલ મામલે પણ પસંદગીકર્તાઓ પર સવાલો ઉઠાવ્યા છે.
ગાંગુલીએ આ અંગે પણ ટ્વીટ કરીને પોતાના મનની વાત રજૂ કરી હતી.
તેમણે કહ્યું કે ટીમમાં સ્કૉવડમાં ઘણા એવા ખેલાડીઓ છે જેઓ દરેક ફૉર્મેટમાં રમી શકે છે. મને એ જોઈને ખૂબ આશ્ચર્ય થયું કે અજિંક્ય રહાણે અને શુભમન ગિલનું નામ વન-ડેની ટીમમાં નથી.
અજિંક્ય રહાણેને ટેસ્ટ ટીમમાં ઉપકપ્તાન બનાવવામાં આવ્યા છે પરંતુ તેમનો વન-ડે કે ટી-20માં સમાવેશ કરવામાં આવ્યો નથી.
વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટેની ભારતીય ટીમ
ટી-20 માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કપ્તાન), રોહિત શર્મા (ઉપકપ્તાન), શિખર ધવન, કે. એલ. રાહુલ, શ્રેયાંશ ઐયર, મનિષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ભૂવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, દીપક ચહર, નવદીપ સાઈની.
વન-ડે ઇન્ટરનેશનલ માટેની ટીમ
વિરાટ કોહલી (કપ્તાન), રોહિત શર્મા (ઉપકપ્તાન), શિખર ધવન, કે. એલ, રાહુલ, શ્રેયાંશ ઐયર, મનિષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, કેદાર જાધવ, મોહમ્મદ શમી, ભૂવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, નવદીપ સાઈની.
ટેસ્ટ માટેની ભારતીય ટીમ
વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે (ઉપકપ્તાન), મયંક અગ્રવાલ, કે. એલ. રાહુલ, ચેતેશ્વર પૂજારા, હનુમાન વિહારી, રોહિત શર્મા, રિષભ પંત (વિકેટકીપર), સાહા (વિકેટકીપર), આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ.
ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ - કાર્યક્રમ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો