You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વૈભવ સૂર્યવંશી આયર્લૅન્ડ વિરુદ્ધ ટી20 મૅચમાં નહીં રમે, કૅપ્ટન શ્રેયસે જણાવ્યું કારણ- ન્યૂઝ અપડેટ
ભારત અને આયર્લૅન્ડ વચ્ચે ટી-20 સિરીઝની પહેલી મૅચ આજે એટલે શુક્રવારે બેલફાસ્ટમાં રમાઈ રહી છે.
આ મૅચ માટે ભારતના યુવાન ખેલાડી વૈભવ સૂર્યવંશી પર ક્રિકેટ ફૅન્સની ખાસ નજર હતી, જોકે તેમને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા નથી મળી.
ભારતે મૅચમાં ટૉસ જીતીને પહેલાં બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ભારતીય કૅપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું કે, "આ અમારા માટે નવી પિચ છે. અમારી ટીમના મોટાભાગના ખેલાડીઓ અહીં પહેલાં નથી રમ્યા. એટલે પરિસ્થિતિને જોતાં અમે પહેલાં બૉલિંગનો નિર્ણય કર્યો છે."
સૂર્યવંશીના રમવા પર પૂછાયેલા સવાલ પર તેમણે કહ્યું કે, "દુર્ભાગ્યથી નહીં. તેઓ શાનદાર ખેલાડી છે, પણ અમારી ટીમમાં કેટલાક એવા ખેલાડી છે જેમણે અમારા માટે સારું પ્રદર્શન કર્યું છે. એટલે અમે તેમના પર ભરોસો કરી રહ્યા છીએ. સમયા આવશે ત્યારે તેમને પણ અવસર મળશે."
આ મૅચમાં ભારતના પ્લેઇંગ ઇલેવનમાં આ ખેલાડીઓ સામેલ છે-
અભિષેક શર્મા
સંજુ સૅમસન
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇશાન કિશન
તિલક વર્મા
શિવમ દુબે
અક્ષર પટેલ
વૉશિંગ્ટન સુંદર
હર્ષિત રાણા
અર્શદીપ સિંહ
પ્રસિદ્ધ કૃષ્ણા
હોર્મુઝ સામુદ્રધુનીમાં જહાજ પર વધુ એક હુમલો, યુએને અભિયાન રોક્યું
હોર્મુઝ સામુદ્રધુની પાસે એક માલવાહક જહાજ પર થયેલા હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્રે 11 હજારથી વધુ ફસાયેલા ખલાસીઓને કાઢવાનું અભિયાન અસ્થાયી સ્થગિત કરી દીધું છે.
આઇએમઓના વડા આર્સેનિયો ડોમિંગુએઝે જણાવ્યું કે ઘણાં જહાજોને સુરક્ષિત રીતે કાઢવામાં આવ્યાં છે, પરંતુ સંગઠન ઇચ્છે છે કે હવે પછીના અભિયાન માટે જરૂરી તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે.
બ્રિટનની દરિયાઈ સુરક્ષા એજન્સી યુકે મેરીટાઇમ ટ્રેડ ઑપરેશન્સ અનુસાર, ગુરુવારે ઓમાનના દહિત બંદરથી લગભગ 7.5 નોટિકલ માઇલ દક્ષિણપૂર્વમાં એક માલવાહક જહાજ પર અજાણ્યા પ્રોજેક્ટાઇલથી હુમલો કરવામાં આવ્યો. જોકે આ ઘટનમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
દરિયાઈ સુરક્ષા કંપની વૅનગાર્ડ અનુસાર, સિંગાપુરના ધ્વજવાળા માલવાહક જહાજ એવર લવલી હુમલા પછી પણ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે પસાર થવામાં સફળ રહ્યું અને તેને કોઈ મદદની જરૂર નહોતી પડી.
અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે ફેબ્રુઆરીથી ખાડી ક્ષેત્રમાં સેંકડો જહાજો અને હજારો ખલાસીઓ ફસાયાં છે. હોર્મુઝ સામુદ્રધુની ફરીથી ખૂલ્યા બાદ સંયુક્ત રાષ્ટ્રે મંગળવારે નિકાસી અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે.
વેનેઝુએલા ભૂકંપથી અત્યાર સુધીમાં અંદાજે 188 લોકોનાં મોત
વેનેઝુએલાની રાજધાની કારાકસ પાસે આવેલા બે ભીષણ ભૂકંપ બાદ બચાવકાર્ય ચાલુ છે અને હજુ પણ કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે.
આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કમસે કમ 188 લોકોનાં મોત થયાં છે, જ્યારે 1,500થી વધુ લોકો ઘાયલ થયા છે. આશંકા છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.
કારાકસ અને પાસેના તટીય શહેર લા ગ્વાઇરામાં ધ્વસ્ત થયેલી ઇમારતોમાંથી દબાયેલા લોકોના અવાજ સંભળાઈ રહ્યા છે.
આ ભૂકંપ બાદ અનેક લોકો બેઘર થઈ ગયા છે. લોકો રસ્તા પર રાત વિતાવવા મજબૂર બન્યા છે.
અમેરિકન ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર, પહેલા 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, પછી થોડી સેકન્ડો બાદ 7.5 શક્તિશાળી ભૂકંપ આવ્યો. બંને ભૂકંપ ધરતીની સપાટીથી ઘણા નજીક હતા, જેના કારણે તબાહી થઈ.
આ ભૂંકપ બુધવારે સ્થાનિક સમયાઅનુસાર સાંજે 6:04 વાગ્યે આવ્યો હતો.
નિહંગ શીખોના એક જથ્થાને ઉત્તરાખંડ પોલીસે રોકતા સીમા પર ઘર્ષણ
બીબીસી હિન્દી માટે લખતા આસિફ અલીએ જણાવ્યું કે ઉત્તરાખંડના ચમોલીના કર્ણપ્રયાગમાં 16 જૂને થયેલા ઘર્ષણ બાદ પેદા થયેલા તણાવ દરમિયાન ગુરુવારે રાતે દહેરાદૂન તરફ આગળ વધી રહેલા નિહંગ શીખોના એક જથ્થા અને ઉત્તરાખંડ પોલીસ વચ્ચે હિમાચલ પ્રદેશ-ઉત્તરાખંડની સીમા પર ઘર્ષણ થયું છે.
પોલીસે જથ્થાને 'કુલ્હાલ' સીમા પર રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ધક્કામુક્કી સમયે કેટલાક નિહંગ બેરિકેડ પાર કરીને ઉત્તરાખંડની સીમામાં દાખલ થઈ ગયા. જોકે બાદમાં પોલીસે તેમને આગળ વધતા રોક્યા અને પાછા હિમાચલ પ્રદેશ તરફ મોકલી દીધા છે.
સામે આવેલા કેટલાક વીડિયો અને ફોટોમાં બેરિકેડિંગવાળા રસ્તે પોલીસકર્મીઓ અને નિહંગ શીખો વચ્ચે ધક્કામુક્કી અને ઘર્ષણ જોવા મળી રહ્યું છે.
આ જથ્થો મોહાલીસ્થિત એક ગુરુદ્વારાથી રવાના થયો હતો. અગાઉ નિહંગ પ્રતિનિધિઓ અને ઉત્તરાખંડના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત થઈ હતી, બાદમાં કેટલાક પ્રતિનિધિઓએ તેના પર સંતોષ વ્યક્ત કર્યો હતો. જોકે બાદમાં નિહંગ શીખોનો એક વર્ગ ઉત્તરાખંડ જવા માટે અડગ હતો.
મીડિયા સાથે વાતચીતમાં નિહંગ પ્રતિનિધિ અકાલી જસદીપસિંહે કહ્યું કે તેમનો હેતુ કોઈ રીતના ઘર્ષણનો નથી, પણ સમાધાનનો છે.
તેમણે કહ્યું કે "અમે કોઈ લડાઈ ઇચ્છતા નથી. પ્રેમ વધારવા માગીએ છીએ. અમારી ભૂલ નહોતી, છતાં અમે માફી માગીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે સમાધાન થાય અને અમારા ચાર લોકોને છોડીને પંજાબ મોકલવામાં આવે."
દેહરાદૂનના વરિષ્ઠ પોલીસ અધીક્ષક પ્રમેન્દ્ર ડોભાલે કહ્યું કે "પોલીસે કુલ્હાલ બેરિયર અને ગુરુદ્વારા પાંવટા સાહિબમાં નિહંગો સાથે અનેક વાર વાતચીત કરી હતી. મોટા ભાગના લોકોએ પોલીસની અપીલ માની લીધી હતી, પરંતુ 15થી 20 લોકોના એક જૂથે બેરિયરથી આગળ વધવાનો પ્રયાસ કરતો હતો."
"પોલીસે તેમને આગળ વધતા રોક્યા અને કાનૂન-વ્યવસ્થા જાળવી રાખવા માટે આખા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઈ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન