ઇમરાન ખાને સાંસદોને કહ્યું- 'અવિશ્વાસ પ્રસ્તાવમાં ભાગ ન લો'

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને તેમની વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવમાં પોતાની પાર્ટી તહરીકે ઇંસાફ (પીટીઆઈ)ના સાંસદોને વોટિંગ ન કરવાના આદેશ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં વિપક્ષે ઇમરાન ખાનની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે.
વિપક્ષે નેશનલ એસેમ્બલીમાં સોમવારના અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
પોતાના સાંસદોને પત્રમાં ઇમરાન ખાને કહ્યું, "પીટીઆઈના બધા સાંસદો નેશનલ ઍસેમ્બલીમાં વોટિંગ દરમિયાન મતદાન ન કરે અથવા સત્રમાં સામેલ ન થાય."
ઇમરાન ખાન પોતાના વડા પ્રધાન તરીકેના કાર્યકાળના સૌથી મોટા સંકટમાં ફસાયેલા છે. તેમના કેટલાય સાંસદો પાર્ટી છોડી ગયા છે અને સત્તાધારી ગંઠબંધનમાં પણ મતભેદો વધી રહ્યા છે.

