વિજય શંકર માટે છેલ્લી તક?
વિજય શંકરની જ્યારે વર્લ્ડ કપ માટે પસંદગી કરવામાં આવી ત્યારે એવું કહેવાતું તેઓ થ્રી-ડી પ્લેયર છે.
પસંદગીકારોનું માનવું હતું કે વિજય શંકર બૅટ્સમૅન, બૉલર અને સારા ફિલ્ડર છે. જોકે, તેઓ હજુ સુધી સારું કહી શકાય એવું પ્રદર્શન કરી શક્યા નથી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ખેલ પત્રકાર ચિંતન બુચે ભારતીય ટીમના મિડલ ઑર્ડર વિશે જણાવ્યું, "ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ સંકેત આપ્યા છે કે વિજય શંકરને ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં એક તક મળશે અને આ તક વિજય શંકર માટે છેલ્લી બની રહેશે."
"જો વિજય શંકર ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં નિષ્ફળ જાય તો આગામી મૅચમાં રિષભ પંતને સ્થાન મળી શકે છે."