You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

27 વર્ષ બાદ વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડ ભારત સામે જીત્યું

વર્લ્ડ કપ 2019માં ભારતની પહેલી હાર, 31 રનથી ઇંગ્લૅન્ડનો વિજય

લાઇવ કવરેજ

  1. 40 ઓવરને અંતે ઇંગ્લૅન્ડના 3 વિકેટે 236 રન

    40 ઓવરને અંતે ઇંગ્લૅન્ડે 3 વિકેટ પર 245 રન કરી લીધા છે.

    જેસન રોય, જોન્ની બેરસ્ટ્રો અને મોર્ગન આઉટ થયા પછી જો રૂટ અને બૅન સ્ટોક્સ બેટિંગ કરી રહ્યાં છે. રૂટે 41 બૉલમાં 33 રન અને સ્ટોક્સે 23 બૉલમાં 27 રન કર્યા છે.

    ભારત તરફથી મોહમ્મદ શમીએ બે અને કુલદીપ યાદવે એક વિકેટ ઝડપી છે.શમીએ ઘાતક ત્રીજો સ્પેલ નાખતા ભારતે કમબૅક કર્યું છે.

  2. રવીન્દ્ર જાડેજાનો કૅચ ટ્વિટર પર છવાયો

    ફિલ્ડિંગમાં જેસન રોયનો કૅચ કરીને રવીન્દ્ર જાડેજા ટ્વિટર છવાઈ ગયા છે.

    સુરેશ રૈનાએ ટ્વીટ કરીને કહ્યું કે આ જ કારણ છે કે એ સર જાડેજા કહેવાય છે. ટોપ ગૅમ ચેન્જર કૅચ.

    અનેક લોકો ટ્વિટર પર જાડેજાના કૅચને લઈને ચર્ચા કરી રહ્યા છે.

  3. બ્રેકિંગ, મોર્ગન પણ બન્યા મોહમ્મદ શમીનો શિકાર

    મોહમ્મદ શમીએ ઘાતક બૉલિંગ સાથે ભારતને ફરી ગેમમાં પાછું લાવી દીધું છે. બેરસ્ટ્રો બાદ ઇંગ્લૅન્ડના કૅપ્ટન ઇઆન મોર્ગનને ને શમીએ ફક્ત 1 રને આઉટ કરી દીધા છે. મોર્ગનનો કૅચ કેદાર જાદવે ઝડપ્યો હતો.

    આક્રમક શરૂઆત બાદ ભારતે બાઉન્સ બૅક કર્યું છે. છેલ્લી પાંચ ઓવરમાં ફક્ત 11 રન આપી બે વિકેટ ખેરવી છે.

    હાલ ઇંગ્લૅન્ડનો સ્કોર 34 ઓવરમાં 207 રન છે અને 3 વિકેટ પડી ગઈ છે.

  4. બ્રેકિંગ, મોહમ્મદ શમીએ કર્યો બેરસ્ટ્રોનો શિકાર

    ઇંગ્લૅન્ડને આક્રમક શરૂઆત અપાવનારી બૅરસ્ટ્રોની શાનદાર ઇનિંગનો મોહમ્મદ શમીએ અંત આણ્યો છે. શામીની બૉલિંગમાં બેરસ્ટ્રો રિષભ પંતને હાથે કૅચ આઉટ થઈ ગયા છે.

    બેરસ્ટ્રોએ 109 બૉલમાં 111 રન કર્યા હતા.

    હાલ ઇંગ્લૅન્ડનો સ્કોર 32 ઓવરમાં 205 રન છે અને બે વિકેટ પડી ગઈ છે.

  5. ઇંગ્લૅન્ડના 200 રન પૂર્ણ

    ઇંગ્લૅન્ડેે ઓપનિંગ બૅટ્સમૅન જોન્ની બેરસ્ટ્રોએની સદી અને આઉટ થનાર જેસન રોયની આક્રમક બેટિંગને સહારે 28 ઓવરમાં 200 રન કરી લીધા છે.

    અગાઉ જેસન રોય 66 રને કુલદીપ યાદવની બૉલિંગમાં રવીન્દ્ર જાડેજાને હાથે કૅચઆઉટ થયા હતા.

    પ્રથમ વિકેટ બાદ હાલ બેરસ્ટ્રો અને જો રૂટ વચ્ચે 34 રનની ભાગીદારી થઈ ગઈ છે.

    બેરસ્ટ્રો 98 બૉલમાં 109 રને અને જો રૂટ 11 બૉલમાં 24 રને રમતમાં છે.

  6. બ્રેકિંગ, બેરસ્ટ્રોની સદી સાથે ઇંગ્લૅન્ડ મજબૂત સ્થિતિમાં

    ઇંગ્લૅન્ડના ઓપનિંગ બેટ્સમૅન જોન્ની બેરસ્ટ્રોએ કરો યા મરોના જંગમાં ટીમને શાનદાર શરૂઆત અપાવતા સદી ફટકારી છે.

    બેરસ્ટ્રોએ 90 બૉલમાં સદી પૂર્ણ કરી છે. આ સદીમાં તેમણે 6 સિક્સર અને 8 બાઉન્ડરી ફટકારી છે.

    ઇંગ્લૅન્ડનો સ્કોર હાલ 26 ઓવર પર 183 રન છે.

  7. બ્રેકિંગ, ભારતને મળી પહેલી સફળતા, જેસન રોય આઉટ

    ભારતને પ્રથમ સફળતા મળી છે. જેસન રોય કુલદીપ યાદવની બૉલિંગમાં જાડેજાને હાથે કૅચઆઉટ થયા છે.

    જેસન રોયે 57 બૉલમાં 66 રન કર્યા હતા.

  8. જેસન રોય અને બેરસ્ટ્રો ભારતીય બોલરો પર હાવી

    જોન્ની બેરસ્ટ્રો અને જેસન રોયે ભારતીય બૉલરો પર હાવી થઈ રહ્યા છે અને આક્રમક બની રહ્યા છે.

    20.1 ઓવરને અંતે બેરસ્ટ્રો 84 રને અને જેસન રોય 62 રને રમતમાં છે.

    હાલ ઇંગ્લૅન્ડ 7.25ની એવરેજથી રમી રહ્યું છે. બેરસ્ટ્રો બાદ રોયે પણ અડધી સદી કરી છે.

  9. બ્રેકિંગ, ઇંગ્લૅન્ડ આક્રમક, 16 ઓવરમાં સદી પૂરી

    જોન્ની બેરસ્ટ્રો અને જેસન રોયે મક્કમ શરૂઆત બાદ આક્રમક વલણ અપનાવ્યું હતું.

    10થી 15 ઓવરની અંદર જેસન બન્ને બૅટ્સમૅનોએ 50 રન કર્યા છે.

    આમ છેલ્લી પાંચ ઓવરથી ઇંગ્લૅન્ડ 10 રનની સરેરાશથી રમ્યું છે.

    16 ઓવરને અંતે બૅરસ્ટ્રો 61 રને અને જેસન રોય 46 રને રમતમાં છે. ઇંગ્લૅન્ડનો સ્કોર 16 ઓવરમાં 112 રન થઈ ગયો છે.

  10. ભારતે રિવ્યૂ ન માગ્યો ને જેસન રોય બન્યા આક્રમક

    હાર્દિક પંડ્યાની 11મી ઓવરમાં જેસન રોય સામે કૅચઆઉટની અપીલ થઈ હતી. જોકે, ભારતે રિવ્યૂ માગ્યો ન હતો. પાછળથી રિપ્લેમાં બૉલ જેસન રોયના ગ્લવ્સને અડીને ગયો હોવાનું દેખાયું હતું.

    અમ્પાયરે આને વાઇડ બૉલ આપ્યો હતો. આના બાદ તરત જ રોયે આક્રમક રમત દાખવતા સિક્સ અને બાઉન્ડરી ફટકારી હતી.

  11. ઇંગ્લૅન્ડ 10 ઓવરને અંતે 47 રન પર

    ઈજામાંથી પાછા ફરેલા જેસન રોયે અને બેરસ્ટ્રોએ ઇંગ્લૅન્ડ માટે શાંત અને મક્કમ શરૂઆત કરી છે. 10 ઓવરને અંતે ઇંગ્લૅન્ડે વિના વિકેટે 47 રન કરી લીધા છે.

    જોન્ની બેરસ્ટ્રો 36 બૉલમાં 25 રન સાથે અને જેસન રોય 23 બૉલમાં 20 રન સાથે રમતમાં છે.

  12. પાંચ ઓવરના અંતે ઇંગ્લૅન્ડના 28 રન

    પાંચ ઓવરના અંતે ઇંગ્લૅન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 28 રન કરી લીધા છે. ઇંગ્લેન્ડ તરફથી જેસન રોય અને જોની બેઇસ્ટો બેટિંગ કરી રહ્યા છે.

    ભારત તરફથી શમીએ 3 ઓવરમાં 21 રન અને બુમરાહે 2 ઓવરમાં 6 રન આપ્યા છે.

  13. , કુલદીપ યાદવની 50મી વન ડે

    ભારતના લૅફ્ટઆર્મ સ્પીનર કુલદીપ યાદવ આજે 50મી વન ડે રમી રહ્યા છે. કુલદીપ યાદવે 2017માં જૂન 23એ ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે ભારત તરફથી વન-ડે કૅપ મેળવી હતી.

    કુલદીપ યાદવે અત્યાર સુધી વન ડેમાં 91 વિકેટ્સ લીધી છે.

  14. બે ઓવરમાં ઇંગ્લૅન્ડના 10 રન

    મોહમ્મદ શમીની પ્રથમ ઓવરમાં 9 રન, જ્યારે બીજી ઓવર બુમરાહે નાખી હતી જેમાં માત્ર એક જ રન આવ્યો હતો.

  15. ભારત અને ઇંગ્લૅન્ડની મૅચ શરૂ

    ભારત તરફથી શમીએ પ્રથમ ઓવરની શરૂઆત કરી હતી. તેમણે પ્રથમ બૉલ વાઇડ નાખ્યો હતો. મેદાનમાં ભારતીય ફેન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  16. ટ્વિટર પર લગાન પાર્ટ-2ની ચર્ચા

    ભારત અને ઇંગ્લૅન્ડની મૅચ સાથે જ ટ્વિટર પર લગાન પાર્ટ-2ની ચર્ચા થઈ રહી છે. આજની મૅચમાં અંગ્રેજો વિરુદ્ધ પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ પણ ભારત સાથે છે એને લઈને અનેક લોકો ટ્વીટ કરી રહ્યા છે.

    પત્રકાર રાજદીપ સરદેસાઈએ એક સંદેશો ટ્વીટ કરીને કહ્યું કે વર્લ્ડ કપમાં આજે લગાન પાર્ટ ટૂનો મોટો દિવસ છે. 1947 પછી પહેલીવાર 1.2 બિલિયન ભારતીયો, 200 મિલિયન પાકિસ્તાનીઓ, 150 મિલિયન બાંગ્લાદેશીઓ અને 25 મિલિયન શ્રીલંકનો એક સાથે પ્રાર્થના કરી રહ્યા છે કે ભારત જીતે.

    ઉલ્લેખનીય છે કે સેમિફાઇનલનો જંગ રસપ્રદ છે અને આજની મૅચમાં જો ઇંગ્લૅન્ડ હારે તો એનો ફાયદો પાકિસ્તાન, બાંગ્લાદેશને થઈ શકે છે.

  17. ઇંગ્લૅન્ડનો ઈરાદો ભારત સામે ન્યૂઝિલૅન્ડવાળી કરવાનો

    09 જૂન 2015માં આ જ મેદાન પર ઇંગ્લૅન્ડ અને ન્યૂઝિલૅન્ડ વચ્ચે વન-ડે મૅચ રમાઈ હતી. એ મૅચમાં જો રૂટ અને બટલરે આક્રમક બેટિંગ કરી હતી અને ઇંગ્લૅન્ડે પ્રથમ બેટિંગ કરતા 408 રન ખડકયા હતા. જો રૂટે 78 બૉલમાં 104 અને બટલરે 77 બોલમાં 129 રન કર્યા હતા.

    આની સામે ન્યૂઝિલૅન્ડની ટીમ 198 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

  18. ઇંગ્લૅન્ડ ટૉસ જીત્યું, પહેલી બેટિંગ કરશે

    ઇંગ્લૅન્ડની ટીમ ટૉસ જીતી હતી અને કપ્તાન મૉર્ગને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

    જોકે આ વર્લ્ડ કપમાં શિરસ્તો રહ્યો છે કે પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતની વધારે નજીક હોય છે.

  19. ભારતીય ટીમમાં એક ફેરફાર

    ઇંગ્લૅન્ડ સામેના મૅચમાં ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં વિજય શંકરની જગ્યાએ રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    આ પહેલાં વિજય શંકરને મિડલ ઑર્ડરમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા બે મૅચમાં ભારતના મિડલ ઑર્ડરે સારું પ્રદર્શન ન કરતાં કદાચ રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો હોઈ શકે.

  20. એકેય મૅચ હાર્યા નથી એટલે આત્મસંતુષ્ટ ન થઈ શકીએ – વિરાટ કોહલી

    ભારત અને ઇંગ્લૅન્ડની મૅચ અગાઉ પત્રકાર પરિષદમાં કૅપ્ટન કોહલીએ કહ્યું કે કશું હળવાશથી ન લઈ શકાય. અમે હજી એકે મૅચ હાર્યા નથી પરંતુ તેનાથી આત્મસંતુષ્ટ ન થઈ શકીએ.

    એમણે કહ્યું કે અમે એક પણ મૅચ નથી હાર્યા કેમ કે અમે દબાણના સંજોગોમાં પ્રોફેશનલી અને ચોકસાઈ દાખવી છે. આ વિશ્વ કપમાં ઇંગ્લૅન્ડની હાર ચોંકાવનારી છે પણ સમજી શકાય એમ છે કેમકે કોઈ પણ ટીમ દબાણમાં આવી શકે છે.