You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાબરી મસ્જિદ વિધ્વંસ ચુકાદો : અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી નિર્દોષ
6 ડિસેમ્બેર, 1992માં તોડી પડાયેલી બાબરી મસ્જિદના કેસમાં જજે કહ્યું, 'પૂર્વાયોજિત ષડયંત્ર નહોતું, અચાનક ઘટના ઘટી'.
લાઇવ કવરેજ
બીબીસીના ઇન્ટરવ્યૂ દરમિયાન ઊભા થઈને કેમ જતા રહ્યા ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય મંત્રી?
સ્વામી વિવેકાનંદનો જીવ જ્યારે લીંબડીના રાજાએ બચાવ્યો
યુપીના ઉપમુખ્ય મંત્રી કેશવપ્રસાદ મૌર્ય કયા સવાલ પર ભડક્યા અને ઇન્ટરવ્યૂ અટકાવી દીધો?
'ધર્મસંસદ ચૂંટણી મુદ્દો નથી...' કયા સવાલ પર ભડક્યા યુપીના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્ય?
મહાત્મા ગાંધીને અપશબ્દો બોલનાર 'કાલીચરણ મહારાજ'ની ધરપકડ, શું હતો વિવાદ?
ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના 548 અને ઓમિક્રૉનના 19 નવા કેસ
અટલ બિહારી વાજપેયીના વડા પ્રધાન બનવાની ભવિષ્યવાણી નહેરુએ કરી હતી
હિંદુ ધર્મસંસદમાં મુસલમાનવિરોધી નિવેદનો આપવાની સમગ્ર ઘટના શું છે?
હરિદ્વારમાં વિવાદિત ભાષણ મામલે એફઆરઆઈ
હરિદ્વારમાં 17થી 19 ડિસેમ્બરે આયોજિત ધર્મસંસદમાં હિન્દુત્વને લઈને સાધુ-સંતોનાં વિવાદિત ભાષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
આ વીડિયોમાં ધર્મની રક્ષા માટે હથિયાર ઉઠાવવા, મુસ્લિમને વડા પ્રધાન ન બનવા દેવા, મુસ્લિમ વસતી ન વધારવા દેવા સમેત ધર્મની રક્ષાના નામે વિવાદિત ભાષણો આપતાં સાધુ-સંતો જોઈ શકાય છે.
સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થતા કેટલાક યૂઝરે આ મામલે કાર્યવાહીની માગ કરી હતી.
ગુરુવારે આ મામલે ઉત્તરાખંડ પોલીસે વસીમ રિઝવી ઉર્ફે જિતેન્દ્ર નારાયણ ત્યાગી સમેત અન્ય લોકો સામે એફઆઈઆર નોંધાઈ છે.
વસીમ રિઝવી ઉત્તર પ્રદેશ સેન્ટ્રલ શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચૅરમૅન હતા. રિઝવીએ થોડા દિવસો પહેલાં જાહેરાત કરી હતી કે તેમણે ઇસ્લામ ધર્મ ત્યજીને હિન્દુ ધર્મ અપનાવી લીધો છે.
જોકે હરિદ્વારની ધર્મસંસદમાં રિઝવીની શું ભૂમિકા હતી એ સ્પષ્ટ નથી.
આ વર્ષે નરસિમ્હાનંદે દિલ્હીમાં એક પત્રકારપરિષદમાં મહંમદ પેગંબર પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. આ મામલે દિલ્હી પોલીસે તેમની સામે એફઆઈઆર નોંધી હતી.
હિન્દુ, હિન્દુત્વ અને હિન્દુવાદ : ગાંધીવાદી અને RSSની નજરે...
હિન્દુ વિ. હિન્દુત્વ : રાહુલ ગાંધીનો દાવો કૉંગ્રેસને ફાયદો કરાવશે કે ભાજપને?
વિશ્વ હિન્દુ પરિષદની માગ, તબલીગી જમાત પર ભારતમાં પણ લાગે પૂર્ણ પ્રતિબંધ
ઇસ્લામી સમૂહ તબલીગી જમાત પર હાલમાં સાઉદી અરેબિયામાં લાગેલા પ્રતિબંધ બાદ ભારતમાં પણ આ સમૂહ પર પ્રતિબંધની માગ ઊઠી છે.
દેશની હિન્દુવાદી સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદે ભારતમાં આ સમૂહ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની માગ કરી છે.
આ અંગે વિશ્વ હિન્દુ પરિષદે ગુરુવારે આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોકકુમારના હવાલાથી સંસ્થાના ટ્વિટર હૅન્ડલ પર એક પ્રેસ-રિલીઝ જારી કરી છે.
આ રિલીઝમાં આલોકકુમારે સાઉદી અરેબિયા સરકારના નિર્ણયનું સ્વાગત કરીને તબલીગી જમાતને 'ઇસ્લામી કટ્ટરપંથની ફેક્ટરી' અને 'વૈશ્વિક આતંકવાદનું પોષક' ગણાવ્યું છે.
વીએચપીએ સરકાર પાસે તબલીગી જમાતને લઈને ચાર માગ મૂકી છે.
આલોકકુમારે કહ્યું, "લોકોના જીવનને સંકટમાં નાખનાર તબલીગી જમાતના આર્થિક સ્રોતોની જાણ કરીને તેમના બૅન્ક ખાતાં, કાર્યાલયો અને કાર્ય-ગતિવિધિઓ પર ભારત સમેત સંપૂર્ણ વિશ્વ સમુદાય દ્વારા પ્રતિબંધ લાદવામાં આવે. આ ઇસ્લામી કટ્ટરવાદી સંગઠન રશિયા સમેત વિશ્વના અનેક દેશોમાં પહેલેથી જ પ્રતિબંધિત છે."
કાશી વિશ્વનાથમંદિરની જાહેરાતમાં નરેન્દ્ર મોદી છે, યોગીનો ફોટો કેમ ગાયબ?
વડોદરામાં બાળકીઓનું ધર્માંતરણ કરાવવા અંગે પોલીસમાં ફરિયાદ, શું છે મામલો?
વડોદરાના મકરપુરા પોલીસસ્ટેશનમાં મધર ટૅરેસા દ્વારા સ્થાપિત મિશનરીઝ ઑફ ચેરિટી વિરુદ્ધ ગુજરાત ધાર્મિક સ્વતંત્રતાના કાયદા અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે.
ઇન્ડિયન ઍક્સપ્રેસનાં અહેવાલ અનુસાર, વડોદરા જિલ્લા સમાજસુરક્ષા અધિકારી મયંક ત્રિવેદી અને જિલ્લાની ચાઇલ્ડ વૅલ્ફેર કમિટીના ચૅરમૅન દ્વારા 9 ડિસેમ્બરના રોજ આ સંસ્થા દ્વારા સંચાલિત શૅલ્ટરહૉમની મુલાકાત લેવાઈ હતી.
એફઆઈઆર મુજબ, મુલાકાત દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે શૅલ્ટર હૉમમાં રહેતી બાળકીઓને ખ્રિસ્તી ધર્મની સામગ્રી વાંચવા અને ખ્રિસ્તી પ્રાર્થનાઓમાં ભાગ લેવા ફરજ પાડવામાં આવે છે.
જેની પાછળ ફરજિયાતપણે ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું કાવતરું હોવાની ગંધ આવતાં તેમણે મકરપુરા પોલીસસ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે.
જોકે, ધાર્મિક સંસ્થાએ આરોપો ફગાવી દીધા છે અને બળજબરીપૂર્વકના ધર્મપરિવર્તનનો ઇન્કાર કર્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યું- હું હિંદુ છું, પરંતુ હિંદુત્વવાદી નથી
જયપુરમાં રવિવારના રોજ કૉંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં રાષ્ટ્રીય કૉંગ્રેસના વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યાં હતાં. રેલીને સંબોધતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતના રાજકારણમાં હિંદુ અને હિંદુત્વવાદી વચ્ચે સ્પર્ધા છે. બન્ને શબ્દોના જુદા-જુદા અર્થ છે. તેમણે કહ્યું કે હું હિંદુ છું, પરંતુ હિંદુત્વવાદી નથી. મહાત્મા ગાંધી હિંદુ હતા અને ગોડસે હિંદુત્વવાદી હતા. હિંદુત્વવાદીઓને માત્ર સત્તા જોઈએ છે અને તેમની પાસે તે 2014થી છે. આપણે આ હિંદુત્વવાદીઓને સત્તા પરથી હઠાવવા પડશે અને હિંદુઓને પાછા લાવવા પડશે.
રાહુલ ગાંધીએ કહ્યું- હું હિંદુ છું, પરંતુ હિંદુત્વવાદી નથી
કેરળના ફિલ્મનિર્માતા અલી અકબરે ઇસ્લામ છોડીને હિંદુ ધર્મ કેમ અપનાવ્યો?
અયોધ્યાના ચુકાદા બાદ હું સહકર્મીઓને ડિનર માટે લઈ ગયો અને શ્રેષ્ઠ વાઇન પિવડાવી : પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ
અયોધ્યાની રામ જન્મભૂમિના ચુકાદા બાદ ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ખંડપીઠમાં સામેલ અન્ય જજોને ડિનર માટે ફાઇવ સ્ટાર હોટલમાં લઈ ગયા હતા. જ્યાં તેમને શ્રેષ્ઠ વાઇન પીવડાવી હતી.
આ ગોગોઈના કાર્યકાળના કેટલાક ખ્યાતનામ કિસ્સાઓમાંથી એક છે, જેનો તેમણે પોતાની આત્મકથા ‘જસ્ટિસ ફૉર જજ’માં ઉલ્લેખ કર્યો છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, રાજ્યસભાના સાંસદ અને પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ તેમના પુસ્તકમાં કેટલાક મહત્વપૂર્ણ ચુકાદાઓની સાથે-સાથે તેમના વિરૂદ્ધ કરાયેલા જાતીય સતામણીના આક્ષેપો અંગે પણ ઉલ્લેખ કર્યો છે.
રામ જન્મભૂમિના ચુકાદા અંગે તેઓ લખે છે કે, ”ચુકાદો આપ્યા બાદ સેક્રેટરી જનરલ સાથે ફોટોસેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સાંજે હું જજોને ડિનર માટે તાજ માનસિંહ હોટલમાં લઈ ગયો હતો."
"અમે ચાઇનીઝ ભોજન લીધું હતું અને તેમની પાસે ઉપલબ્ધ સૌથી શ્રેષ્ઠ વાઇન મગાવી હતી. ઉંમરમાં સૌથી મોટો હોવાને કારણે બિલ પણ મેં જ ચૂકવ્યું હતું.”
મુસ્લિમમાંથી હિંદુ ધર્મ અંગીકાર કરનારા વસીમ રિઝવી કોણ છે?