કર્ફ્યુમાં છૂટ
અમદાવાદના મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ પત્રકારોને જણાવ્યું હતું કે કર્ફ્યુગ્રસ્ત વિસ્તારોમાં ત્રણ કલાક માટે રાહત અપાશે. આ સિવાય તેમણે જણાવ્યું:
- MLA ઇમરાન ખેડાવાલાની એસ.વી.પી. હૉસ્પિટલ ખાતે સારવાર, તેમની તબિયત સ્થિર
- અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કૉર્પોરેટર બદરુદ્દીન શેખનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ, સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
- કર્ફ્યુગ્રસ્ત વિસ્તારોમાં આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે માટે 150 જેટલા હંગામી વેચાણકેન્દ્ર ઊભાં કરાયાં
- અમદાવાદના કર્ફ્યુગ્રસ્ત વિસ્તારોમાં બપોરે એકથી ચાર કલાક દરમિયાન માત્ર મહિલાઓને રાહત અપાશે
- કોટ વિસ્તારમાં કર્ફ્યુ લદાયા બાદ ટેસ્ટિંગની કામગીરી ઝડપી બનાવવામાં આવી
- ડૉક્ટર, પોલીસ કૉન્સ્ટેબલ, હેલ્થ ડિપાર્ટમેન્ટના એક કર્મચારી એમ ત્રણ ફ્રન્ટલાઇન ફાઇટર્સના રિપોર્ટ પૉઝિટિવ
- જે વિસ્તારમાં નાગરિકો સહકાર નથી આપતાં, ત્યાં કોરોના પૉઝિટિવ કેસની સંખ્યા વધુ આવવાની શક્યતા વધારે
- કૉંગ્રેસના અન્ય બે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તથા શૈલેશ પરમાર હોમ ક્વોરૅન્ટીન થયા, બંનેના સૅમ્પલ લેવામાં આવ્યા
- કૉર્પોરેશનની 50 ટીમો દ્વારા ટેસ્ટિંગ હાથ ધરાયું, બુધવારે એક હજાર સૅમ્પલ લેવાનું લક્ષ્યાંક
- હજુ અનેક અમદાવાદીઓ લૉકડાઉનનું પાલન કરવામાં સહકાર નથી આપી રહ્યા.