You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ગુજરાતમાં 650 પૉઝિટિવ કેસ, અમદાવાદના વિસ્તારોમાં કર્ફ્યૂ

ગુજરાત સહિત દેશ-વિદેશની કોરોના વાઇરસ સંબંધિત માહિતી અને અપડેટ્સ અહીં વાચો.

લાઇવ કવરેજ

  1. કોરોનાનું કવરેજ

    • 14મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 13મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 12મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 11મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટ અહીં ક્લિક કરો
    • 10મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • નવમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • આઠમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • સાતમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • છઠ્ઠી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • પાંચમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • ચોથી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીંક્લિક કરો
    • ત્રીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • બીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીંક્લિક કરો
    • પહેલી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • ભારતમાં લૉકડાઉનના પ્રથમ સપ્તાહ દરમિયાનના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
  2. લૉકડાઉનમાં ખાવાનું ન મળતાં મહિલાએ પાંચ બાળકને નદીમાં ફેંક્યાં? - ફૅક્ટ ચેક

  3. ત્રણ મે સુધી તમામ દેશી અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સ્થગિત

    નાગરિક ઉડ્ડ્યન મંત્રાલયે કહ્યું છે કે ત્રણ મે સુધી તમામ ડૉમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ઉડાણ સ્થગિત કરી દેવાઈ છે.

    મંત્રાલયનો આ આદેશ વડા પ્રધાનના રાષ્ટ્રજોગ સંબોધન બાદ આવ્યો છે. વડા પ્રધાને પોતાના સંબોધનમાં જાહેરાત કરી હતી કે ત્રણ મે સુધી દેશમાં લૉકડાઉન ચાલુ રહેશે.

    રેલ મંત્રાલયે તા. ત્રીજી મેની મધ્યરાત્રિ સુધી કોઈ પ્રિમિયમ/લોકલ/એક્સપ્રેસ/પેસેન્જર/સબઅર્બન ટ્રેન/કોલકતા મેટ્રો રેલ તથા કોંકણ રેલનું પરિવહન બંધ રાખવાની જાહેરાત કરી છે.

  4. અનેક અભ્યાસો અને પરીક્ષણો પછીયે સોશિયલ ડિસ્ટન્સિંગ જ ઉપાય કેમ છે?

  5. ઇંડોનેશિયાના એક ગામમાં 'ભૂતો'નો સહારો

    ઇંડોનેશિયાના એક ગામમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા લોકોને જાગરુક કરવા માટે અનોખો રસ્તો શોધવામાં આવ્યો.

    જાવા દ્વીપ પર આવેલા આ ગામમાં રાતે સ્વયંસેવકો ભૂતના વેશમાં તહેનાત કરવામાં આવે છે, જેથી લોકો ડરીને પણ ઘરે રહે.

    ઇંડોનેશિયાની લોકવાયકાઓ મુજબ આવા વેશધારીને 'પોકૉંગ' કહેવાય છે.

    જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા પ્રમાણે ઇંડોનેશિયામાં અત્યાર સુધી કોરોના સંક્રમણના લગભગ 4,500 કેસ આવ્યા છે અને મરણાંક 400 છે.

  6. ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા 10 હજારને પાર

    ભારતમાં કોરોના વાઇરસનો ચેપ લાગવાનો આંકડો 10 હજારને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જે આંકડા જાહેર કર્યા છે, એ અંતર્ગત ભારતમાં ચેપ લાગવાના મામલા 10,023 થઈ ગયા છે.

    તો દેશભરમાં આ વાઇરસને લીધે અત્યાર સુધીમાં 339 લોકોનો જીવ ગયો છે, જ્યારે 1035 લાખો સાજા પણ થઈ ગયા છે.

    નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર સવારે દેશભરમાં લૉકડાઉનને ત્રણ મે સુધી વધારવાની જાહેરાત કરી હતી.

  7. મોદીના ભાષણમાં ન તો ગરીબો કે ન તો મધ્યમ વર્ગ માટે કંઈ : કૉંગ્રેસ

    કૉંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની ટીકા કરી છે. કૉંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે વડા પ્રધાનના ભાષણમાં શબ્દો સિવાય કંઈ નથી. સિંઘવી અનુસાર મોદીએ ગરીબો માટે કે મધ્યમ વર્ગ માટે કોઈ આર્થિક પૅકેજની જાહેરાત કરી નથી. સિંઘવીએ ટોણો મારતા એવું પણ કહ્યું કે ‘મોદીનાં ભાષણો એવાં જ છે, જેવું ડૅનમાર્કના રાજકુમાર વગર હૅલમેટ.’

  8. ગુજરાતમાં નવા 45 કેસ, કોરોના સંક્રમણના કુલ કેસ 617

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 સંબંધી કોઈ મૃત્યુ નોંધાયું નથી.

    ગુજરાત આરોગ્યવિભાગ મુજબ રાજ્યમાં નવા 45 કેસ આવ્યા અને કુલ સંક્રમિતોની સંખ્યા 617 થઈ ગઈ છે.

    રાજ્યમાં કોવિડ-19ને કારણે મરણાંક 26 છે.

    કોરોના સંક્રમણના 617 કેસમાંથી 550 કેસ લોકલ ટ્રાંસમિશનના છે અને 55 લોકો સારવાર પછી સાજા થયા છે.

    અમદાવાદમાં સૌથી વધારે 351 કેસ છે અને વડોદરામાં 107 કેસ છે.

    સુરતમાં કોરોના વાઇરસ સંક્રમણના 42 કેસ છે અને મરણાંક ચાર છે.

    રાજકોટમાં 18 સંક્રમિત દર્દીઓ છે.

    રાજ્યની રાજધાની ગાંધીનગરમાં 16 કેસ છે.

    પાટણમાં 14 અને ભરૂચમાં 11 કેસ નોંધવામાં આવ્યા છે.

  9. લૉકડાઉન લંબાવવા માટે ગુજરાત સરકારની ચર્ચા

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસ સંદર્ભે કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં લૉકડાઉનને ત્રીજી મે સુધી લંબાવવાની જાહેરાત કરી.

    જેને પગલે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ અને વરિષ્ઠ સચિવોની ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું.

    બેઠકમાં લૉકડાઉનનો ગુજરાતમાં ચુસ્ત અમલ કરવાની ચર્ચાવિચારણા કરાઈ હતી.

  10. સોનિયા ગાંધીએ કોરોના સામેની લડતમાં દેશવાસીઓનાં ધૈર્યના વખાણ કર્યાં

    કૉંગ્રેસનાં ટ્વિટર હૅન્ડલ પર પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીનો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.

    જેમાં કૉંગ્રેસ સોનિયા ગાંધીએ દેશવાસીઓને કોરોના સામેની લડતમાં એકતા દાખવવાની આહ્વાન કર્યું છે.

    તેમણે દેશનાં લોકોને કોરોના વાઇરસ સંક્રમણથી બચવા માટે સાવચેતી રાખવા માટે અપીલ પણ કરી છે.

    તેમણે સતત કામ કરી રહેલા સ્વાસ્થ્યકર્મીઓ, પોલીસ અને સફાઈકામદારોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે 'આનાથી મોટી દેશભક્તિ કોઈ ન હોઈ શકે.'

    કોરોના વાઇરસના સંક્રમણ સામેની લડતમાં દેશના લોકોના ધૈર્યના પણ તેમણે વખાણ કર્યાં.

  11. મોદીએ સાત વાતો પર સાથ માગ્યો

    • વૃદ્ધોની વધારે કાળજી લેવી, વિશેષ કરીને જેમને કોઈ બીમારી હોય તથા તેમને કોરોનાથી બચાવીને રાખવાનાં છે.
    • સોશિયલ ડિસ્ટન્સિંગ અને લૉકડાઉનનું પૂર્ણ રીતે પાલન કરવાનું છે.
    • મોઢાં અને નાકને ઢાંકવા માટે ઘરમાં બનાવેલા માસ્ક, કપડું વાપરવું.
    • આયુષ મંત્રાલય દ્વારા ઇમ્યુનિટી વધારવા માટેના નિર્દેશોનું પાલન કરવું.
    • આરોગ્ય સેતુ ઍપ ડાઉનલોડ કરવી તથા અન્યોને પણ ડાઉનલોડ કરવા કહેવું.
    • ગરીબ પરિવારોની સહાયતા કરવી
    • સહકર્મીઓનું ધ્યાન રાખવું, કોઈને નોકરી ન જાય અને કોરોના સામેના ફ્રન્ટલાઇન ફાઇટર્સનું સન્માન કરવું.
  12. 20 એપ્રિલથી સીમિત વિસ્તારોમાં આંશિક છૂટ મળશે : PM મોદી

    • જો લૉકડાઉનનો કડકાઈથી અમલ થયો તો 20મી એપ્રિલ પછીથી જ્યાં સ્થિતિ નિયંત્રણમાં હશે, ત્યાં આંશિક રાહત અપાશે.
    • જૉ લૉકડાઉનમાં છૂટછાટ દરમિયાન કોઈ બેપરવાહ રહ્યું તો આંશિક રાહતો પાછી ખેંચી લેવાશે ; વિસ્તૃત જાહેરાત 15મી એપ્રિલે કરવામાં આવશે .
    • રવીપાકની લણણી સમયે ખેડૂતોને રાહત આપવા પ્રયાસ ચાલુ, દેશમાં દવા અને જીવજરૂરિયાતની ચીજોનો પૂરતો જથ્થો.
    • ત્રીજી મે સુધી દેશવાસીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ તથા અન્ય તમામ નિષેધાત્મક આદેશોનો અગાઉની જેમ જ અમલ કરવાનો રહેશે .
    • ભારતને લૉકડાઉન તથા સોશિયલ ડિસ્ટન્સિંગનો લાભ મળ્યો, આર્થિક દૃષ્ટિએ આ પગલાં નુકસાનકારક રહ્યાં, પરંતુ ભારતવાસીઓની જિંદગી સામે કોઈ કિંમત નહીં .
  13. ભારતમાં લૉકડાઉન ત્રણ મે સુધી વધારવામાં આવ્યું : વડા પ્રધાન મોદી

    રાષ્ટ્રજોગ સંદેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું ભારતમાં લૉકડાઉન ત્રણ મે સુધી વધારવામાં આવ્યું.

    રાષ્ટ્રજોગ સંદેશના મુદ્દા

    • ભારતે સમસ્યાને વકરવાની રાહ ન જોઈ અને તત્કાળ પગલાં લીધાં એટલે વિશ્વનાં સમર્થ રાષ્ટ્રો કરતાં વધુ સારી સ્થિતિમાં .
    • ભારતે અસરકારક પગલાં લીધાં એટલે અન્ય દેશોની સરખામણીમાં આપણે ત્યાં 25થી 30 ગણાં ઓછા કેસ.
    • લૉકડાઉન વધારવાની સલાહ રાજ્ય સરકારો અને નાગરિકોએ પણ આપી .
    • ભારતને લૉકડાઉન તથા સોશિયલ ડિસ્ટન્સિંગનો લાભ મળ્યો, આર્થિક દૃષ્ટિએ આ પગલાં નુકસાનકારક રહ્યાં, પરંતુ ભારતવાસીઓની જિંદગી સામે કોઈ કિંમત નહીં.
    • જો ભારતે સમયસર પગલાં ન લીધાં હોત, તો શું થાત તેની કલ્પના કરવી પણ મુશ્કેલ.
  14. ચીનમાં હજી કોરોના સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે

    ચીનમાં ભલે કોરોના વાઇરસ સંક્રમણ પર પૂર્ણ નિયંત્રણનો દાવો કરવામાં આવી રહ્યો હોય, પરંતુ હજુ અહીંયા અમુક કેસ સામે આવી રહ્યા છે.

    સોમવારે ચીનમાં 89 નવા કેસ સામે આવ્યા હતા અને રવિવારે 108 નવા કેસ નોંધાયા હતા.

    સરકારી દાવા મુજબ ચીનમાં નવા કેસ રશિયાની સરહદ પાસે આવેલા હેલૉંગજિયાંગ રાજ્યથી ચીનમાં પ્રવેશ કરનારા ચાર ચીની નાગરિકોને કારણે થયા છે.

    ચીનનાં રાષ્ટ્રીય આરોગ્ય વિભાગ મુજબ નવા 89 કેસમાંથી 86 લોકો બહારથી ચીનમાં આવ્યા હતા, જ્યારે ત્રણ સ્થાનિક લોકો હતા.

  15. બીબીસી ન્યૂઝ ગુજરાતી

    ભારતના વરિષ્ઠ સૈન્ય અધિકારીએ પાકિસ્તાનમાં કોવિડ-19ના કેસ અંગે શું કહ્યું? એ સિવાય દેશ-વિદેશના કોરોના સંબંધિત અપડેટ્સ અમે બીબીસી ગુજરાતી સમાચારમાં સોમવારે રાત્રે આપ્યા હતા. જો આપ ચૂકી ગયા હો, તો અહીં જોઈ શકો છો.

  16. જો હમણાં લૉક-ડાઉન હઠાવી લેવાય તો શું થશે? WHOએ આપી ચેતવણી

  17. ભારતમાં કોરોના સંક્રમણના કુલ 9352 કેસ

    ભારતમાં કોરોના સંક્રમણના કેસનો આંકડો 9352 પર પહોંચ્યો છે.

    ભારતના આરોગ્ય મંત્રાલયના ડૅશબોર્ડ પ્રમાણે દેશમાં કોરોના સંબંધિત મરણાંક 328 પર પહોંચ્યો છે, જ્યારે 980 જેટલાં સંક્રમિત લોકો સાજા થઈ ગયા છે.

    મહારાષ્ટ્રમાં સૌથી વધારે 1985 કેસ છે અને મરણાંક 149 પર છે.

    દિલ્હીમાં 1154 કેસ નોંધાયા છે, અહીં મરણાંક 24 પર પહોંચી ગયો છે.

    તમિલનાડુમાં પણ કેસની સંખ્યા એક હજારને પાર છે અને મરણાંક 11 છે.

  18. નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે

    ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દસ વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે.

    ભારતમાં 21 દિવસનું લૉકડાઉન મંગળવારે ખતમ થઈ રહ્યું છે.

    એવું માનવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી આગળનાં પગલાંની જાહેરાત કરશે.

    બધાંની નજર તેના પર ટકેલી છે કે ભારતમાં લૉકડાઉન ખતમ થશે કે કેમ? અને જો લૉકડાઉન ખતમ નહીં થાય તો શું તેમાં કોઈ ઢીલ આપવામાં આવશે કે કેમ?

  19. ફ્રાન્સમાં લૉકડાઉન એક મહિના માટે વધારવામાં આવ્યું

    ફ્રાન્સમાં કોરોના સંક્રમણને જોતાં લૉકડાઉનને એક મહિના માટે વધારી દેવામાં આવ્યું છે.

    હવે ફ્રાન્સમાં 11 મે સુધી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

    જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા પ્રમાણે ફ્રાન્સમાં અત્યાર સુધી 1,37,877 કોરોના સંક્રમણના કેસ આવ્યા છે અને 14,967 મૃત્યુ થયાં છે.

  20. કોરોના વિશે આ બાબતો જાણો છો?

    • કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી?જાણવા માટે અહીં ક્લિક કરો
    • ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
    • કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશેજાણવા માટે અહીં ક્લિક કરો
    • ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં?જાણવા માટે અહીં ક્લિક કરો