બ્રિટન: નવા પીએમ ઉમેદવાર પર શું બોલ્યાં પૂર્વ ગૃહમંત્રી પ્રીતિ પટેલ?- પ્રેસ રિવ્યૂ

ઇમેજ સ્રોત, EPA
બ્રિટનના ત્રણ પૂર્વ મંત્રી વડા પ્રધાનપદના ઉમેદવાર ઋષિ સુનકના સમર્થનમાં આગળ આવ્યા છે.
બોરિસ જૉનસનનાં સમર્થક રહેલાં પૂર્વ ગૃહમંત્રી પ્રીતિ પટેલે કન્ઝર્વેટિવ પક્ષના સાંસદોને સુનકનું સમર્થન કરવાની અપીલ કરતાં કહ્યું છે કે, પાર્ટીને હાલ સુનકના નેતૃત્વની જરૂર છે.
પૂર્વ મંત્રી જેમ્સ ક્લેવરલી અને નાદિમ જહાવીને પણ સુનકને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
પ્રીતિ પટેલે ટ્વીટ કર્યું છે કે, "આપણા દેશ માટે આ મુશ્કેલીના સમયમાં સાથે મળીને કામ કરવું જોઈએ. આપણે આપણા દેશની ચિંતા કરતાં રાજકીય મતભેદોને બાજુએ રાખીને ઋષિ સુનકને આગામી વડા પ્રધાન બનવાની તક આપવી જોઈએ."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

લેખક સલમાન રશ્દીની એક આંખની રોશની કાયમ માટે ગઈ

ઇમેજ સ્રોત, Reuters
આ વર્ષે ઑગસ્ટ મહિનામાં ચાકુ વડે થયેલા હુમલા બાદ લેખક સલમાન રશ્દીની એક આંખની રોશની જતી રહી છે. તેમના એજન્ટે આ જાણકારી આપી છે અને એ પણ કહ્યું કે રશ્દી હવે તેમના એક હાથથી કામ પણ નહીં કરી શકે.
રશ્દીના એજન્ટ ઍડ્ર્યુ વાઇલીએ સ્પેનના અખબાર સાથે વાતચીતમાં કહ્યું, "તેમની છાતીમાં અંદાજે 15થી વધુ ઘાવ હતા. આ બહુ ક્રૂર હુમલો હતો."
વાઇલીએ કહ્યું કે હાલમાં તેઓ જણાવી શકતા નથી કે સલમાન રશ્દી ક્યાં રહે છે.
લેખક સલમાન રશ્દી પર ન્યૂયૉર્કમાં 12 ઑગસ્ટે એક કાર્યક્રમ દરમિયાન હુમલો થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રશ્દી પર હુમલો કરનાર શખ્સની ઓળખ અમેરિકામાં જન્મેલા 24 વર્ષીય હાદી મતહરના રૂપમાં થઈ છે. હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે.
ભારતીય મૂળના નવલકથાકારને 1981માં 'મિડનાઈટ ચિલ્ડ્રન'થી ખ્યાતિ મળી હતી. માત્ર યુકેમાં તેની દસ લાખથી વધુ નકલો વેચાઈ હતી.
1988માં રશ્દીનું ચોથું પુસ્તક ધ સેટેનિક વર્સિસ પ્રકાશિત થયું હતું. આ નવલકથાથી કેટલાક મુસલમાનોમાં આક્રોશ પેદા થયો હતો.
તેમણે પુસ્તકની કથાવસ્તુને ઈશનિંદા ગણાવી હતી. કેટલાક દેશોમાં આ પુસ્તક પર પ્રતિબંધ હતો.

રાજ્યાપાલે કુલપતિઓનાં રાજીનામાં માગ્યાં

ઇમેજ સ્રોત, ANICopyright
કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને સુપ્રીમ કોર્ટના નિર્ણયના અનુસંધાને નવ યુનિવર્સિટીના કુલપતિઓને સોમવારે સવારે 11.30 સુધી પોતાનું રાજીનામું આપવા કહ્યું છે.
રાજ્યપાલે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
અગાઉ વામ લોકતાંત્રિક મોરચાએ 15 નવેમ્બરે રાજ્યપાલ વિરુદ્ધ હડતાળની જાહેરાત કરી હતી. કુલપતિઓ સંબંધિત મુદ્દાઓ પર રાજ્યપાલ અને કેરળ સરકાર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ખેંચતાણ ચાલુ છે.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે એપીજે અબ્દુલ કલામ પ્રૌદ્યોગિકી વિશ્વવિદ્યાલયના કુલપતિએ યુજીસી નિર્ધારિત માનદંડોનું પાલન કર્યું નથી.
રાજ્યપાલે જે યુનિવર્સિટીના કુલપતિને રાજીનામું આપવા કહ્યું છે તેમાં કેરળ યુનિવર્સિટી, એમજી યુનિવર્સિટી, કોચીન વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી યુનિવર્સિટી, કેરળ મત્સ્ય પાલન અને મહાસાગર અધ્યયન યુનિવર્સિટી, કન્નુર યુનિવર્સિટી, એપીજે અબ્દુલ કલામ પ્રૌદ્યોગિકી યુનિવર્સિટી, શ્રી શંકરાચાર્ય યુનિવર્સિટી, સંસ્કૃત કાલીકટ યુનિવર્સિટી અને થુંચથ એજુથાચન યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

રાજીવ ગાંધી ફાઉન્ડેશન વિરુદ્ધ કાર્યવાહી પર કૉંગ્રેસના સવાલ

ઇમેજ સ્રોત, RAJIV GANDHI FOUNDATION
કૉંગ્રેસે રવિવારે રાજીવ ગાંધી ફાઉન્ડેશન અને રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ વિરુદ્ધ કેન્દ્ર સરકાર તરફથી કરાયેલી કાર્યવાહી પાછળ છુપાયેલા ઉદ્દેશ પર સવાલ ઉઠાવ્યા છે.
કૉંગ્રેસનું કહેવું છે કે સરકારે મુખ્ય મુદ્દાઓથી લોકોનું ધ્યાન હટાવવા માટે આ પગલું લીધું છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
કૉંગ્રેસ નેતા જયરામ રમેશ કહ્યું, "તેઓ આરજીએફ અને આરજીસીટી વિરુદ્ધ એ જ જૂના આરોપો દોહરાવે છે. આ કૉંગ્રેસને બદનામ કરવા અને રોજિંદા મુદ્દાઓથી લોકોનું ધ્યાન હટાવવા માટે છે."
તેમણે કહ્યું કે "વધતી કિંમતો, બેરોજગારી અને રૂપિયાની કિંમત ઘટવાને લીધે દેશની અર્થવ્યવસ્થા મોટા સંકટમાં છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
























