યુક્રેન-રશિયા યુદ્ધના 22મા દિવસે શું-શું થયું?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

રશિયા અને યુક્રેન વચ્ચે પાછલા ઘણા દિવસોથી સંઘર્ષ સતત ચાલુ છે.

દરેક પસાર થતાં દિવસની સાથે યુક્રેન પર રશિયન સૈન્યદળોનું આક્રમણ વધુ તીવ્ર બનતું જઈ રહ્યા હોવાના અહેવાલ છે.

યુક્રેનમાં થિયેટરમાં આશરો લેનારા પર રશિયાનો હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુક્રેનમાં થિયેટરમાં આશરો લેનારા પર રશિયાનો હુમલો

બીજી તરફ અમેરિકા દ્વારા યુક્રેનને નાણાકીય સહાયની સાથોસાથ શસ્ત્રસહાય તરીકે ડ્રોન પૂરા પાડવામાં આવશે તેવા અહેવાલ સામે આવ્યા છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ રશિયાન સૈન્યને યુક્રેનમાં ભારે નુકસાન વેઠવું પડ્યું હોવાનો દાવો કર્યો છે.

આ સિવાય દિવસ દરમિયાનની મોટી ઘટનાઓ અંગે જાણવા માટે અહેવાલ વધુ વાંચો.

line

અમેરિકા યુક્રેનને આપશે 'કિલર ડ્રોન'

અમેરિકા એક સૈન્યસહાય પૅકેજ અંતર્ગત યુક્રેનને 100 મારક ડ્રોન મોકલશે

ઇમેજ સ્રોત, AeroVironment Inc.

ઇમેજ કૅપ્શન, અમેરિકા એક સૈન્યસહાય પૅકેજ અંતર્ગત યુક્રેનને 100 મારક ડ્રોન મોકલશે

અમેરિકા એક સૈન્યસહાય પૅકેજ અંતર્ગત યુક્રેનને 100 મારક ડ્રોન મોકલશે. સમાચાર એજન્સી એપી એક સૈન્ય અધિકારીને ટાંકીને આ માહિતી આપી છે.

નામ ન જણાવવાની શરતે તેમણે જણાવ્યું કે ડ્રોન સ્વિચબ્લેડ 300 છે.

કૉંગ્રેસના અધિકારીઓએ એનબીસી ન્યૂઝને જણાવ્યું કે મિસાઇલ સિસ્ટમને દુશ્મન પર સચોટ હુમલા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

તેની મદદથી ઘણા કિલોમીટર દૂરથી સચોટ હુમલો કરી શકાય છે.

સમાચાર એજન્સી એએફપી અનુસાર આ રશિયન ડિઝાઇનના હથિયાર કેટલાક યુરોપિયન નેટો સદસ્યો પાસે છે અને આ કારણથી જ તેમને યુક્રેનની સેનામાં સરળતાથી સામેલ કરવાની રીતે જોવામાં આવી રહ્યું છે.

બુધવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ અમેરિકન સાંસદોને એક વીડિયો દ્વારા સંબોધિત કર્યા, સંબોધન બાદ અમેરિકન સાંસદોએ ઊભા થઈને તેમનું અભિવાદન કર્યું.

આ ઘટનાના કેટલાક કલાકો બાદ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને યુક્રેનને અતિરિક્ત સૈન્ય મદદ કરવાની મંજૂરી આપી.

આ સાથે જ અમેરિકા દ્વારા યુક્રેનને આપવામાં આવેલી સૈન્ય મદદની રકમ વધીને એક અબજ ડૉલર થઈ ગઈ છે.

line

મેલિટોપોલના મેયરને નવ રશિયન સૈનિકો બદલે મુક્ત કરાયા

મેલિટોપોલના મેયર ઇવાન ફેડોરોવની મુક્તિની બદલામાં રશિયાએ તેમના નવા સૈનિકોની મુક્તિ માગી હતી

ઇમેજ સ્રોત, Reuters/Handout

ઇમેજ કૅપ્શન, મેલિટોપોલના મેયર ઇવાન ફેડોરોવની મુક્તિની બદલામાં રશિયાએ તેમના નવા સૈનિકોની મુક્તિ માગી હતી

મેલિટોપોલના મેયર ઇવાન ફેડોરોવની મુક્તિની બદલામાં રશિયાએ તેમના નવા સૈનિકોની મુક્તિ માગી હતી.

કથિત રીતે મેલિટોપોલના મેયરને રશિયન સૈનિકોએ બંદી બનાવ્યા હતા, અહેવાલો પ્રમાણે તેમને પાંચ દિવસ બાદ મુક્ત કરી દેવાયા હતા.

યુક્રેનના એક ટેલિવિઝન પર રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીના પ્રેસસચિવે કહ્યું કે રશિયન સૈનિકોની ઉંમર 18-19 વર્ષ હતી, જેમની રશિયાની સેનાએ બળજબરીપૂર્વક ભરતી કરી હતી.

મેયરની મુક્તિ પહેલાં યુક્રેનના અધિકારીઓએ એક વીડિયો જારી કર્યો હતો, જેમાં ઇવાન ફેડોરોવની આંખો પર પટ્ટી બાંધેલી છે અને કેટલાક લોકો તેમને લઈ જઈ રહ્યા છે.

મેયરના અપહરણની વિગતો સપાટી પર આવી એ સાથે જ મેલિટોપોલના લોકો પ્રદર્શન કરવા રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા.

line

કિએવની રહેણાક ઇમારત પર તૂટેલી મિસાઇલ પડતાં એકનું મૃત્યુ

કિએવની એક રહેણાક ઇમારત પર તૂટેલી મિસાઇલ પડતા ઓછામાં ઓછા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે

ઇમેજ સ્રોત, Ukraine State Emergency Services

ઇમેજ કૅપ્શન, કિએવની એક રહેણાક ઇમારત પર તૂટેલી મિસાઇલ પડતા ઓછામાં ઓછા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે

યુક્રેનની ઇમર્જન્સી સર્વિસના જણાવ્યા પ્રમાણે, રાજધાની કિએવની એક રહેણાક ઇમારત પર તૂટેલી મિસાઇલ પડતા ઓછામાં ઓછા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

કિએવના દાર્નિત્સિકી જિલ્લામાં આવેલી આ ઇમારત પર સ્થાનિક સમય અનુસાર સવારે 5:02 વાગ્યે તૂટેલી મિસાઇલ પડી હતી. જેની જાણ થતાં તાત્કાલિક ફાયરબ્રિગેડ દ્વારા રાહતકામગીરી હાથ ધરાઈ હતી.

ઇમારતમાં લોકો ફસાયેલા હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને તૂટેલા ભાગને ઉતારવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે.

અહીં કેટલીક તસવીરો છે, જેમાં મિસાઇલના કારણે પહોંચેલ નુકસાન અને રાહતકાર્ય દેખાઈ રહ્યું છે.

line

બૉમ્બમારાથી બચવા થિયેટરમાં આશરો લેનારા પર રશિયાનો હુમલો

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ આરોપ લગાવ્યો છે કે રશિયાએ જાણી જોઈને મારિયુપોલ શહેરના થિયેટર પર હુમલો કર્યો છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ આરોપ લગાવ્યો છે કે રશિયાએ જાણી જોઈને મારિયુપોલ શહેરના થિયેટર પર હુમલો કર્યો છે

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ આરોપ લગાવ્યો છે કે રશિયાએ જાણી જોઈને મારિયુપોલ શહેરના થિયેટર પર હુમલો કર્યો છે.

આ થિયેટરમાં કેટલાય લોકોએ બૉમ્બમારા વચ્ચે આશરો લીધો હતો.

ઇમારત પર રશિયન યુદ્ધવિમાનો હુમલો ના કરે એ માટે થિયેટરની બહાર મોટા અક્ષરોમાં 'બાળકો' પણ લખવામાં આવ્યું હતું.

હજુ સુધી આ હુમલામાં કેટલી જાનહાનિ પહોંચી છે એ જાણી શકાઈ નથી.

જોકે,નાગરિકો પર હુમલો કરવાનો આરોપ રશિયાએ ફગાવી દીધો છે અને અને તેણે કહ્યું છે કે તેણે આવો હુમલો કર્યો નથી.

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો