સુરતના વરાછામાં દીવાલ તૂટી પડી, ચારનાં મૃત્યુ, બે જીવતા કઢાયા

સુરતના વરાછામાં એક ઇમારતની દીવાલ તૂટી પડી હતી

ઇમેજ સ્રોત, Dharmesh Amin

ઇમેજ કૅપ્શન, સુરતના વરાછામાં એક ઇમારતની દીવાલ તૂટી પડી હતી જેમાં છ લોકો ફસાઈ ગયા હતા
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક નિર્માણાધિન ઇમારતની દીવાલ ધરાશાયી થઈ હતી જેના કારણે ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ઘટનાસ્થળ પર નિર્માણકાર્ય કરતા છ લોકો દીવાલની નીચે દબાયા હતા જેમને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

ઘટનાસ્થળથી બે લોકોને જીવિત કઢાયા હતા. જોકે, ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.

દુર્ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર-બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.

સુરતના ફાયર ઑફિસર જગદીશ પટેલે કહ્યું, "અહીં નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું, બીજા બૅઝમૅન્ટથી લઈને ગ્રાઉન્ડ લેવલ સુધી 20-25 ફુટના વિસ્તારમાં ખોદકામ ચાલુ હતું. "

"પાછળ માટીની દીવાલ હતી તે પડી ગઈ હતી અને માણસો એમાં ફસાઈ ગયા હતા. કુલ છ માણસો અંદર ફસાયેલા હતા જેમાંથી બે લોકોને જીવતા બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને બાકીના ચાર લોકોને હૉસ્પિટલ મોકલી દેવામાં આવ્યા હતા."

"આ લોકો ઘણા સમય સુધી માટીમાં દબાયેલા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા."

સુરતમાં બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર ધર્મેશ અમીનના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે.

line

સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ દુર્ઘટના

વીડિયો કૅપ્શન, સુરતમાં દીવાલ ધરાશાયી, નવી બની રહેલી બિલ્ડિંગમાં બની દૂર્ઘટના

સુરતના મોટા વરાછા વિસ્તારમાં સિલ્વર 'પૅરાડાઇઝ' નામની ઇમારતના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ ચાલી રહ્યું હતું અને આ દુર્ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી.

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એકાએક માટી ઘસી પડે છે અને ત્યાં કામ કરતા શ્રમિકો દબાઈ જાય છે.

આ ઘટના બાદ ત્યાં અફરાતફરી મચી ગઈ હતી અને ફાયરવિભાગે બચાવ કામગીરી હાથ ધરી હતી.

ફાયર-બ્રિગેડની દસથી વધુ ગાડીઓ ઘટનાસ્થળ પર બચાવ કામગીરી માટે ધસી આવી હતી.

line

જવાબદાર લોકો સામે કાર્યવાહી

સુરતનાં મેયરે કહ્યું કે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે

ઇમેજ સ્રોત, Dharmesh Amin

ઇમેજ કૅપ્શન, સુરતનાં મેયરે કહ્યું કે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે

ઘટનાસ્થળની મુલાકાતે આવેલાં સુરતનાં મેયર હેમાલી બોઘવાલાએ કહ્યું કે જેટલા લોકો દબાયેલા હતા એમને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમને ગંભીર ઈજાઓ થઈ છે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. જે આ દુર્ઘટના માટે જવાબદાર લોકો સામે કડક પગલાં લેવામાં આવશે.

તેમણે ચાર લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરતાં કહ્યું કે આ ગંભીર દુર્ઘટના છે અને સુરત મહાનગરપાલિકા તરફથી પીડિતોને આર્થિક મદદ કરવામાં આવશે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો