અમિત શાહની BJP નેતાઓને સલાહ, 'કૃષિકાયદાના સમર્થનમાં કાર્યક્રમ કરવાથી બચવું જોઈએ' - BBC TOP NEWS

અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

એનડીટીવીના અહેવાલ અનુસાર ગૃહમંત્રી અમિત શાહે હરિયાણા સરકારને સલાહ આપી છે કે તેઓ કૃષિકાયદાઓના સમર્થનમાં કાર્યક્રમ કરવાથી બચે.

હરિયાણાના શિક્ષણમંત્રી કંવરપાલ ગુર્જરે બુધવારે પત્રકારોને કહ્યું, "કરનાલમાં જે કંઈ થયું, તેના પછી ગૃહમંત્રીએ સરકારને સલાહ આપી છે કે તેઓ ખેડૂતોની સાથેના ટકરાવને આગળ ન વધારે."

સાથે જ હરિયાણાના મંત્રીએ ખેડૂતો પર પણ નિશાન તાંકીને કહ્યું કે રવિવારે જ્યારે મુખ્ય મંત્રી ખટ્ટર એક સભાને સંબોધિત કરવાના હતા, ત્યારે આખા રાજ્યમાં ખેડૂતોએ કેવું વર્તન કર્યું.

ગુર્જરે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહે સભાને સંબોધિત ન કરવાના હરિયાણાના મુખ્ય મંત્રીના નિર્ણયની સરાહના કરી છે.

line

'વૉટ્સઍપની નવી પૉલિસી પર સરકાર નજર રાખી રહી છે'

વૉટ્સઍપ

ઇમેજ સ્રોત, Reuters

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર વૉટ્સઍપની પ્રાઇવસી પૉલિસીને લઈને ચાલી રહેલા વિવાદ પર સરકાર નજર રાખી રહી છે.

અહેવાલ અનુસાર ઉચ્ચ કક્ષાના સૂત્રોએ જણાવ્યું છે કે આ મુદ્દે અમે વિગતો ભેગી કરી રહ્યા છે અને તેને તપાસી રહ્યા છીએ.

વૉટ્સઍપની નવી પ્રાઇવસી પૉલિસી પ્રમાણે કહેવાતું હતું કે તેઓ યુઝર્સના તમામ પ્રકારના ડેટાને ફેસબુક અને મૅસેન્જર્સ સાથે શૅર કરશે.

યુઝર્સના ડેટાના ઉપયોગ સંદર્ભે વૉટ્સઍપનો રેકૉર્ડ ખરાબ હોવાથી લોકો આનો વિરોધ કરી રહ્યા છે.

line

સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના ભંગ બદલ ગોપાલ ઇટાલિયા સહિત છની ધરપકડ

ગોપાલ ઇટાલિયા

ઇમેજ સ્રોત, GOPAL ITALIA@FB

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા સુરતના ડાયમંડના વેપારીઓને મળી રહ્યા હતા ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના ભંગ બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ઇટાલિયાએ બુધવારે બપોરે ફેસબુક પર લખ્યું કે તેઓ ડાયમંડના વેપારીઓને મળવા મહિધારપુરા માર્કેટની મુલાકાત લેશે.

મુલાકાતનું કારણ તેમણે જણાવ્યું હતું કે સુરત ડાયમંડ બૌર્સના આગામી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. અનેક વેપારીઓએ તેની ફરિયાદ કરી હતી માટે તેઓ મળવા જઈ રહ્યા હતા.

વીડિયો કૅપ્શન, મકરસંક્રાંતિ : 80 વર્ષનાં ગુજરાતી પતંગબાજ દાદીની આ વર્ષે કેવી છે તૈયારી?

જ્યારે ગોપાલ ઇટાલિયા અને બીજા કાર્યકર્તા ડાયમંડ માર્કેટ જવા માટે રસ્તામાં હતા ત્યારે પોલીસ અધિકારીઓએ મહિધારપુરા પોલીસસ્ટેશને તેમને અટકાવ્યા હતા.

મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં તેમણે રામધૂન બોલાવી હતી. ત્યારબાદ પોલીસ તેમને પોલીસસ્ટેશન લઈ ગઈ હતી.

ગોપાલ ઇટાલિયા સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમને સાંજે જામીન પર છોડી દેવામાં આવ્યા હતા.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો