#FamersProtest : ખેડૂતો અને સરકારની વાતચીતમાં ન આવ્યો નીવેડો, 9 ડિસેમ્બરે ફરી વાટાઘાટો

ગુરૂવારે થયેલી વાતચીતની તસવીર

ઇમેજ સ્રોત, Narendra Singh Toman @Facebook

ઇમેજ કૅપ્શન, ગુરૂવારે થયેલી વાતચીતની તસવીર
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

દિલ્હીના વિજ્ઞાનભવનમાં ખેડૂતનેતાઓ અને સરકાર વચ્ચે કૃષિ સુધારા કાયદાને લઈને થયેલી વાતચીત કોઈ નિર્ણય વગર પૂરી થઈ છે.

ખેડૂત યુનિયનો સરકાર ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચે એ વાત પર અગડ છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ આ બેઠકમાં કોઈ નીવેડો આવ્યો નથી અને હવે ફરીથી 9 ડિસેમ્બરે વાતચીત થશે.

સરકારે ખેડૂત યુનિયનો પાસે નક્કર પ્રસ્તાવ માટે સમય માગ્યો હતો.

વિજ્ઞાન ભવનથી બહાર નીકળેલા ખેડૂતનેતાઓ મુજબ કેન્દ્ર સરકારનું કહેવું છે કે તે 9 ડિસેમ્બરે એમને એક પ્રસ્તાવ મોકલશે અને તેના પર ચર્ચા એ જ દિવસે બેઠકમાં થશે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

આ દરમિયાન અનેક ખેડૂતો વિરોધપ્રદર્શન માટે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા હોવાના પણ સમાચારો છે.

line

ખેડૂતનેતાઓનો મિટિંગમાં 'મૌન વ્રત' વિરોધ

દિલ્હીના વિજ્ઞાન ભવનમાં કૃષિ સુધારા કાયદાઓને લઈને વિરોધ કરે રહેલા ખેડૂતોના નેતાઓ સાથે સરકારની વાતચીત ચાલી રહી છે.

આ દરમિયાન સરકાર સાથે વાતચીત કરી રહેલા ખેડૂત નેતાઓએ બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાને કહ્યું કે 'સરકાર જૂની વાતોનું પુનરાવર્તન કરી રહી છે, હવે અમારી તરફથી કોઈ વાત નહીં થાય.'

જાણીતા સિંગર અને અભિનેતા દિલજીત દોસાંઝ હરિયાણા-દિલ્હી વચ્ચેની સિંઘુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને મળવા પહોંચ્યા. દિલજીતે સંબોધન કરતાં કહ્યું કે, ખેડૂતોએ નવો ઇતિહાસ રચ્યો છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ વાતચીત કરી રહેલા મંત્રીએ કહ્યું કે 'ખેડૂતોનું ગૂપ મિટિંગમાં મૌન વ્રત લઈને બેઠું છે અને કૃષિ કાયદાઓ રદ કરવાને લઈને સરકાર પાસે હા કે નાનો જવાબ માગ્યો છે.'

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે શું છે સ્થિતિ જુઓ વીડિયો

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ દિલજીત દોસાંઝે કહ્યું, 'કેન્દ્ર સરકારને અમારી એક જ વિનંતી છે..પ્લીઝ અમારા ખેડૂતોની માગણીઓ પૂરી કરો. અહીં દરેક શાંતિપૂર્ણ રીતે બેઠું છે અને આખો દેશ ખેડૂતોની પડખે છે.'

line

સરકાર માગણીઓ પર નિર્ણય આપે - ખેડૂતનેતાઓ

સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ સરકાર સાથેની વાતચીત દરમિયાન કડક વલણ અપનાવતા ખેડૂતનેતાઓએ કહ્યું કે, 'સરકારે અમારી માગણીઓ પર નિર્ણય કરવો જોઈએ નહીંતર અમે મિટિંગ છોડી નીકળી જઈશું.'

સરકારે કહ્યું કે તે પંજાબના ખેડૂતોની ભાવના સમજે છે અને તેમની ચિંતા દૂર કરવા તૈયાર છે. જોકે, ખેડૂતોનું કહેવું છે કે એમને ઉકેલ જોઈએ છે.

ખેડૂતોની માગણી છે કે 'ખેડૂતવિરોધી ત્રણ કાળા કાયદાઓ કૃષિ કાયદાઓ' પાછા ખેંચવામાં આવે.

આ અગાઉ ખેડૂતનેતાઓએ અગાઉની વાતચીતની લેખિત મુદ્દાસર વિગતોની માગણી કરી હતી.

line

ખેડૂતનેતાઓએ સરકાર પાસે મુદ્દાસર લેખિત જવાબ માગ્યો

ખેડૂત આંદોલન

ઇમેજ સ્રોત, ANI

કૃષિ સુધારા કાયદાને લઈને વિરોધપ્રદર્શન કરી રહેલા ખેડૂતોનાં પ્રતિનિધિઓ સરકાર સાથે વાતચીત માટે વિજ્ઞાનભવન પહોંચ્યાં છે અને પાંચમા તબક્કાની વાતચીત શરૂ થઈ છે.

વાતચીતની શરૂઆત અગાઉ દોઆબા કિસાન સંઘર્ષ સમિતિના હરસુંદર સિંહે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે કાયદો રદ કરવામાં આવે. અમે કાયદામાં સુધારાની સરકારની ઑફરનો સ્વીકાર નહીં કરીએ.

ઉલ્લેખનીય છે કે આ પાંચમા તબક્કાની વાતચીત છે અને અગાઉની વાતચીતમાં કોઈ નિર્ણય પર પહોંચી શકાયું નથી.

અન્ય એક ખેડૂતનેતાએ કહ્યું કે અમારી માગણી સરકાર ત્રણે કાયદાઓ રદ કરે એવી છે અને સરકાર કાયદામાં સુધારાની વાત કરે છે. સહમતી બની નથી રહી તેથી અમે વિરોધ પર અડગ છીએ.

line

ખેડૂતોની માગણીઓ નહી માની તો તેઓ વિરોધપ્રદર્શનો ઉગ્ર બનાવશે

ખેડૂત આંદોલન

ઇમેજ સ્રોત, Piyush Nagpal

સરકાર સાથીની વાતચીતમાં ખેડૂતનેતાઓએ મુદ્દા આધારિત લેખિત જવાબની માગ કરી છે.

ખેડૂતસંગઠનોએ 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન કરતાં કહ્યું કે જો એ દિવસે તેમની માગણીઓ નહીં માનવામાં આવે તો તેઓ દિલ્હીના તમામ ટૉલ પ્લાઝા ઘેરી લેશે.

એક પત્રકારપરિષદમાં ભારતીય કિસાન યુનિયનના નેતા ગુરનામસિંહ ચઢૂનીએ કહ્યું કે જો કેન્દ્ર સરકારે શનિવારની વાતચીતમાં ખેડૂતોની માગણીઓ નહી માની તો તેઓ વિરોધપ્રદર્શનો ઉગ્ર બનાવશે.

બીજી તરફ ખેડૂત આગેવાન હરવિંદરસિંહ લખવાલે કહ્યું કે, "આજની અમારી બેઠકમાં અમે 8 ડિસેમ્બરના રોજ ભારત બંધની અપીલ કરી છે જે દરમિયાન અમે દિલ્હીના તમામ ટોલ પ્લાઝા ઘેરશે."

"જો નવા કૃષિકાયદા પરત ન લેવાયા તો અમે આવનારા દિવસોમાં દિલ્હી સુધી જનારા તમામ રસ્તા બંધ કરી દઈશું."

પાછલા નવ દિવસથી હરિયાણા, પંજાબ અને અન્ય પ્રદેશોના ખેડૂતો દિલ્હી બૉર્ડરના વિસ્તારો પર પ્રદર્શન કરી રહ્યા છે.

line

ખેડૂતો અને સરકાર વચ્ચે આજે પાંચમા તબક્કાની વાતચીત

નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ભારત બંધનો એલાન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ભારત બંધનો એલાન

કૃષિકાયદાઓને લઈને ખેડૂતોના વિરોધપ્રદર્શન વચ્ચે આજે ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે પાંચમા તબક્કાની બેઠક થશે.

આ પહેલાં ગુરુવારે ખેડૂતો અને સરકાર વચ્ચે દિલ્હીના વિજ્ઞાનભવનમાં ચોથા તબક્કાની વાતચીત પરિણામરહિત નીવડી હતી.

અત્યાર સુધી થયેલી બેઠકોમાં સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ પણ મુદ્દે સહમતિ સાધી શકાઈ નથી, ગુરુવારે થયેલી ચોથા તબક્કાની વાતચીતમાં 40 ખેડૂતોના પ્રતિનિધિમંડળે સરકારને સંસદનો વિશેષ સત્ર આયોજિત કરીને ત્રણેય કૃષિ કાયદા પાછા લેવાની સલાહ આપી હતી.

બીજી તરફ મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હીને અન્ય રાજ્યો સાથે જોડતી સીમાઓ પર હાજર છે.

વીડિયો કૅપ્શન, ખેડૂત આંદોલન દરમિયાન 11 વર્ષની બાળકી બની આકર્ષણનું કેન્દ્ર

ખેડૂતો નવા કૃષિકાયદાને પાછા લેવાની માગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે નવા કૃષિકાયદા ખેડૂતવિરોધી છે અને તે પાક પર મળતા સરકારના લઘુત્તમ સમર્થન મૂલ્યની વ્યવસ્થાને ખતમ કરી દેશે.

જે કારણે તેમણે મોટી મોટી કંપનીઓને ભરોસે રહેવું પડશે.

બીજી તરફ સરકારનું કહેવું છે કે નવા કાયદાથી ખેડૂતોને સારી તકો અને ખેતી માટે સારી તકનીક મળશે.

ચોથા તબક્કાની વાતચીત બાદ કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે સરકારમાં કોઈ અહંકાર નથી અને તેઓ ખેડૂતોના મુદ્દાઓ અંગે ખુલ્લા મગજે વિચાર કરી રહ્યા હતા.

તેમણે કહ્યું હતું કે બેઠકમાં જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે સરકાર તેના પર ચર્ચા કરશે અને આશા છે કે આગામી બેઠકમાં વાતચીતનું કોઈ પરિણામ આવે.

line

ખેડૂતોના સમર્થનમાં ઊતર્યા રાજકીય પક્ષો

ખેડૂતોના પ્રતિનિધિઓની સરકાર સાથે વાતચીત

ઇમેજ સ્રોત, Narendra Tomar@Facebook

આઠ વિપક્ષી પાર્ટીઓએ એક સંયુક્ત નિવેદનમાં પ્રદર્શનકારી ખેડૂતોનું સમર્થન કર્યું હતું.

આ નેતાઓમાં NCP પ્રમુખ શરદ પવાર, TMKના ટી. આર. બાલૂ, CPMના મહાસચિવ સીતારામ યેચૂરી, CPI મહાસચિવ ડી રાજા, RJD સાંસદ મનોજ ઝા, CPI (માલે)ના મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્ય, AIFBના દેબબ્રત બિસ્વાસ અને RSPના મહાસચિવ મનોજ ભટ્ટાચાર્ય સામેલ છે.

TMC નેતા અને રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયન શુક્રવારે ખેડૂતો સાથે મુલાકાત કરવા સિંઘુ બૉર્ડર પર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે તેમનો પક્ષ 100 ટકા ખેડૂતો સાથે છે. ખેડૂતવિરોધી તમામ કાયદા રદ થવા જોઈએ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો