પ્રશાંત ભૂષણને સજાની સુનાવણી પૂર્ણ, સુપ્રીમ કોર્ટે ફેસલો અનામત રાખ્યો

સુપ્રીમ કોર્ટ પર પોતાના વિવાદિત ટ્વીટને લઈને અનાદરના દોષિત ઠેરવાયેલા પ્રશાંત ભૂષણને સજાને લઈને ફેંસલો સુરક્ષિત રાખ્યો છે.
પ્રશાંત ભૂષણે પોતાના બે ટ્વીટમાં સુપ્રીમ કોર્ટ અને મુખ્ય ન્યાયાધીશ પર ટિપ્પણી કરી હતી. જેના માટે કોર્ટે તેમને 14 ઑગસ્ટે અનાદરના દોષિત ઠેરવ્યા હતા.
મંગળવારે તેમણે સજા સંભળાવવાનો દિવસ નક્કી કર્યો હતો. જે પહેલાં સુનાવણી થઈ અને હવે કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો છે.
આ મામલે સુનાવણી જસ્ટિસ અરુણ મિશ્રા કરી રહ્યા હતા.
સુનાવણી દરમિયાન જસ્ટિસ મિશ્રાએ ઍટર્ની જનરલ કે. કે. વેણુગોપાલને એ પૂછ્યું કે તેમના મતે શું સજા થવી જોઈએ.
જસ્ટિસ મિશ્રાએ એમ પણ કહ્યુ હતું કે મીડિયાના અહેવાલથી પ્રભાવિત ન થવું જોઈએ.
જસ્ટિસ મિશ્રાએ ઍટર્ની જનરલને એમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજના નિવેદનનો ઉલ્લેખ ન કરે. સજા વિશે પૂછવા પર ઍટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કહ્યું કે પ્રશાંત ભૂષણને આકરી ચેતવણી આપી શકાય છે અને કહી શકાય છે કે ભવિષ્યમાં તેઓ આવી વાત ન કરે.
આ અંગે જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે જો તમે પ્રશાંત ભૂષણના નિવેદનને જોશો, તો કહી શકાય છે કે આમાં એક સકારાત્મક ભાગ પણ છે અને તેમનું કહેવું છે કે તેમને સંસ્થા પર ભરોસો છે. પરંતુ તેમણે એમ પણ કહ્યું છે કે તે માફી નહીં માગે કારણ કે તેમણે કોઈ ખોટું કામ કર્યુ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે દરેક વ્યક્તિ ભૂલ કરે છે, પરંતુ તે વ્યક્તિએ આ સમજવું જોઈએ.
ઍટર્ની જનરલનું કહેવું હતું કે જો પ્રશાંત ભૂષણ એવું કહે તો તેમણે કોઈ ભૂલ નથી કરી, પછી પણ અદાલતે દયા દાખવવી જોઈએ.
આ પહેલાં આ મામલે પ્રશાંત ભૂષણે માફી માગવાની ના પાડી દીધી હતી. તેમનું કહેવું હતું કે તેમનું નિવેદન સદ્ભાવનાપૂર્ણ હતું અને જો તેઓ માફી માગશે તો તેમની અંતરાત્મા અને એ સંસ્થાની અવમાનના થશે. જેમાં તે સૌથી વધારે વિશ્વાસ રાખે છે.
સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને પોતાના નિવેદન પર ફરીથી વિચાર કરવાનો અને શરત વિના માફી માગવા કહ્યું હતું, પરંતુ પ્રશાંત ભૂષણે એ વિચાર નકારી કાઢ્યો હતો.
એક બીજા કેસમાં સુનવણી સ્થગિત થઈ
પ્રશાંત ભૂષણની સામે કોર્ટની અવમાનનાના એક અન્ય કેસની સુનવણી એક અન્ય બેચ કરશે. આ કેસ વર્ષ 2009નો છે, જ્યારે તહેલકા સામયિકને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ પર ટિપ્પણી કરી હતી.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરુણ મિશ્રાએ આ કેસની સુનવણી કરતાં કહ્યું કે જો કે તેઓ બે સપ્ટેમ્બરે નિવૃત થઈ રહ્યા છે, એટલા માટે તેમની પાસે કાયદાકીય સવાલો પર વિચાર-વિમર્શ કરવા માટે સમય નથી, જે પ્રશાંત ભૂષણે ઉઠાવ્યા છે.
આ બેન્ચની આગેવાની જસ્ટિસ અરુણ મિશ્રા કરી રહ્યા છે, જ્યારે જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કૃષ્ણ મુરારી આના એક સભ્ય છે.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું, "મુખ્ય ન્યાયાધીશ એસ. કે. બોબડેનો આદેશ મળ્યા પછી એક અન્ય બેન્ચ 10 સપ્ટેમ્બરે સુનવણી કરી શકે છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















