જગદીપનું નિધન : વધુ એક અભિનેતાની વિદાય, બોલીવુડમાં કોણે શું કહ્યું?

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

વરિષ્ઠ અભિનેતા અને જાણીતા કૉમેડિયન જગદીપનું નિધન થઈ ગયું છે. તેમણે બુધવારે મુંબઈ સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધો.

તેઓ 81 વર્ષના હતા. જગદીપ કૅન્સરથી પીડિત હતા અને ઉંમર થતાં તેઓ અનેક સમસ્યાઓ સામે લડતા હતા.

તેમના પારિવારિક મિત્ર અને પ્રોડ્યુસર મહમૂદ અલીએ બીબીસી હિંદીને જણાવ્યું કે અભિનેતા જગદીપનું નિધન બુધવાર રાત્રે સાડા આઠ વાગ્યે થયું અને ગુરુવારે સવારે 11 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

જગદીપના મૃત્યુના સમાચારથી બોલીવુડમાં શોકની લાગણી છે.

અભિનેતા અનુપમ ખેરે ટ્વિટર પર તેમને યાદ કરતાં લખ્યું કે વધુ એક તારો જમીન પરથી આકાશમાં જઈ પહોંચ્યો.

જોની લીવરે શ્રદ્ધાંજલિ આપતાં ટ્વિટર પર લખ્યું કે તેમણે પોતાની પહેલી ફિલ્મમાં દિગ્ગજ અભિનેતા જગદીપ સાથે કામ કર્યું હતું.

અભિનેતા અજય દેવગણે ટ્વીટ કર્યું, "જગદીપ સાહેબનું નિધનના દુખદ સમાચાર હમણાં જ સાંભળ્યા. તેમને સ્ક્રીન પર જોવાની હંમેશાં મજા આવી છે. મારી સંવેદનાઓ જાવેદ અને તેમના પરિવાર સાથે છે. જગદીપ સાહેબ માટે દુઆ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો