You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીર : શ્રીનગરમાં ગ્રૅનેડથી હુમલો કરાયો, એકનું મૃત્યુ
ભારત પ્રશાસિત કાશ્મીરના શ્રીનગરમાં ગ્રૅનેડથી કરાયેલા હુમલામાં ઓછામાં ઓછી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ હુમલામાં અન્ય 15 લોકોને ઈજા પહોંચી છે.
શ્રીનગરમાં હાજર બીબીસીના સહયોગી માજીદ જહાંગીરે અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે હુમલો શ્રીનગરની હરિસિંહ હાઈ-સ્ટ્રિટ પર કરવામાં આવ્યો છે.
શ્રીનગરના એસએસપી હસીબ મુગલના જણાવ્યા અનુસાર, "વિસ્ફોટની ઝપેટમાં આવનારી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે ઓછામાં ઓછા 15 લોકોને ઈજા પહોંચી છે."
ઘાયલોને ઉપચાર માટે લઈ જવાયા છે. વિસ્ફોટ બાદ વિસ્તારની સુરક્ષામાં વધારી દેવાઈ છે અને સુરક્ષાદળોએ તપાસ આરંભી દીધી છે.
ગત સપ્તાહે આ જ જગ્યાએ થયેલા એક ગૅનેડ હુમલામાં સાત લોકોને ઈજા પહોંચી હતી.
ખીણમાં તણાવ યથાવત્
ભારત પ્રશાસિત કાશ્મીરના ખીણ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી તણાવપૂર્ણ સ્થિતિ યથાવત્ છે.
ઑગસ્ટમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370ના વિશેષાધિકારને ખતમ કર્યા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદાખમાં વહેંચી દીધું.
31 ઑક્ટોબરથી આ ફેંસલાનું અમલીકરણ થયું. સરકારે લોકોની અવરજવર અને સંચાર માધ્યમો પર પાબંદી લાદી હતી. કેટલીક પાબંદીઓ હજી પણ યથાવત્ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખીણમાં ઉપસ્થિત સંવાદદાતાઓ પ્રમાણે હજી પણ ત્યાં સ્થિતિ સામાન્ય થઈ નથી.
કેટલાક રાજકીય વિશ્લેષકોનો દાવો છે કે આનાથી તણાવ અને ડરની સ્થિતિનું સર્જન થયું છે. હુમલાની વેપાર પણ અસર થઈ છે.
આ સમાચાર પર વધુ વિગતોની અપેક્ષા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો