રાહુલ ગાંધીના પોલીસ સ્ટેશન પહોંચવા પર સ્મૃતિ ઈરાનીએ શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને આ અંગે ભાજપનાં નેતા સ્મૃતિ ઈરાનીએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં રાહુલ ગાંધીને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું , "રાહુલ ગાંધીએ ક્યારે પોતાને અદાલતોના અધિકારને આધીન માન્યા છે? ગાંધી પરિવાર પોતાને સંસદ, સુપ્રીમ કોર્ટ અને દેશના કાયદાથી પણ ઉપર સમજે છે. આવી સ્થિતિમાં તેમની નજરમાં પોલીસ સ્ટેશનની શું હેસિયત છે?"
તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રીએ વારંવાર રાહુલ ગાંધીને આ મુદ્દા પર ચર્ચા કરવા અને પ્રશ્નો પૂછવા માટે આવવા કહ્યું હતું.
સ્મૃતિ ઈરાનીના મતે, ગૃહમંત્રીએ કહ્યું હતું કે તેઓ રાહુલ ગાંધીના દરેક પ્રશ્નનો જવાબ આપશે.
ભાજપના નેતાએ રાહુલ ગાંધીને પ્રશ્ન કર્યો કે શું તેમણે ક્યારેય અર્ધસૈનિક દળો અને પોલીસ પર હુમલો કરનારાઓ સામે તપાસની માગ કરી છે. તેમણે એમ પણ પૂછ્યું કે શું તેમણે સૈન્યનું અપમાન કરનારાઓ સામે તપાસની માગ કરી છે.
તેમણે આરોપ લગાવ્યો કે કૉંગ્રેસના નેતાએ આ મુદ્દાનો ઉપયોગ રાજકીય લાભ મેળવવા માટે કર્યો, જ્યારે કેસ પહેલાંથી જ તપાસ હેઠળ હતો.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે રાહુલ ગાંધી 20 જુલાઈના રોજ સંસદ કૂચ દરમિયાન સાહિલ લોચબને થયેલી ઈજાઓ અંગે એફઆઇઆર નોંધાવવા માટે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન ગયા હતા. એવો આરોપ છે કે સાહિલ 20 જુલાઈના રોજ પૅલેટ ગનથી ઘાયલ થયા હતા.
સાહિલ લોચબ દ્વારા રજૂ કરાયેલી લેખિત પોલીસ ફરિયાદના આધારે એફઆઇઆર દાખલ કરવાની માગ સાથે તેઓએ પોલીસ સ્ટેશનની બહાર ધરણા કર્યા. જોકે, બાદમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુક્રેનમાં રશિયાના ડબલ-ટેપ ડ્રોન હુમલામાં 15 લોકોનાં મોત, ઝેલેન્સકીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Oleksandr Hanzha / Dnipropetrovsk regional administration
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રશિયન ડ્રોન હુમલામાં યુક્રેનના ક્રિવી રીહ શહેરમાં એક શૉપિંગ સેન્ટરમાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 23 બાળકો સહિત 130 લોકો ઘાયલ થયા છે. કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે આ હુમલો તેમના હોમ ટાઉનમાં દિવસ દરમિયાન બે તબક્કામાં થયો હતો. તેમણે તેને "અત્યંત નિંદનીય અને ઘૃણાસ્પદ" ગણાવ્યો.
ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, બીજા ડ્રોન હુમલામાં બચાવ કાર્યકરોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેઓ પહેલા હુમલા પછી સ્થળ પર રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા હતા.
બીબીસીએ એક વીડિયો વેરીફાઈ કર્યો છે જેમાં બીજા ડ્રોન દ્વારા પહેલાંથી જ સળગતા શૉપિંગ સેન્ટર પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો યુક્રેનના દ્રિનપ્રોપેત્રોવસ્ક વિસ્તારમાં થયો હતો. રશિયાની સેનાએ હજુ સુધી આ હુમલા પર કોઈ ટિપ્પણી કરી નથી.
દ્રિનપ્રોપેત્રોવસ્ક વિસ્તારના પ્રમુખ ઓલેક્જાન્દ્ર હાન્ઝાએ શુક્રવારે સાંજે જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધીને 15 થઈ ગયો છે. તેમાં બે લોકોનો એવા છે જેમનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, 130 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 29 લોકોની હાલત ગંભીર છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.
યુક્રેનના અન્ય ચાર વિસ્તારોમાંથી બચાવ ટીમોને પણ કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવા માટે તાત્કાલિક ક્રિવી રીહ મોકલવામાં આવી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




















