'યુપીઆઇ પર ચાર્જ' - પેમેન્ટ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ સ્પષ્ટીકરણ જાહેર કર્યું - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બીબીસી ન્યૂઝ ગુજરાતી
- દ્વારા રિપોર્ટિંગ, નવી દિલ્હીથી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
પેમેન્ટ્સ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ શુક્રવારે કહ્યું કે ગ્રાહકો અને નાના વેપારીઓ માટે યુપીઆઇ ટ્રાન્ઝેક્શન પર કોઈ ફી નહીં લાગે. નાના વેપારીઓમાં કિરાણા દુકાનદાર પણ સામેલ છે.
પેમેન્ટ્સ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ આ સ્પષ્ટીકરણ કેટલાક બિઝનેસ માટે મર્ચન્ટ ચાર્જ લાગુ કરવાના સમાચાર આવ્યા બાદ જાહેર કર્યું હતું.
વડા પ્રધાન કાર્યાલયે પેમેન્ટ્સ કાઉન્સિલના સ્પષ્ટીકરણ સાથે સંકળાયેલા સમાચારને તેના એક્સ હૅન્ડલ પર શૅર કર્યા છે.
શનિવારે પેમેન્ટ્સ ઍપ ફોનપેના ફાઉન્ડર અને સીઇઓ સમીર નિગમે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું કે યુપીઆઇ પેમેન્ટ્સ પર ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ નહીં વસૂલાય.
તેમણે લખ્યું કે યુપીઆઇ ફ્રી છે અને ભારતના તમામ ગ્રાહકો માટે ફ્રી રહેશે.
આ પહેલાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે કહેલું કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર લાગનારો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ માત્ર વેપારીઓ પર લાગુ પડે છે, ના કે ગ્રાહકો પર.
નિર્મલા સીતારમણ, કૉંગ્રેસના નેતા જયરામ રમેશના એ નિવેદનનો જવાબ આપી રહ્યાં હતાં, જેમાં તેમણે કહેલું કે યુપીઆઇનો ઉપયોગ કરનારા લોકોને હવે વધુ પૈસા ચૂકવવા પડશે.
સીતારમણે આ નિવેદન અંગે અર્થશાસ્ત્રી જયતિ ઘોષે એક્સ પર લખ્યું, "આ નિવેદનની આર્થિક મૂર્ખતાને અલગ રાખીએ, તો પણ અંતે આના ખર્ચનો બોજો ગ્રાહકો પર જ પડશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ધ્યાન આપવા જેવી બાબત એ પણ છે કે યુપીઆઇનો ઉપયોગ કરનારા મોટા ભાગના 'મર્ચન્ટ' નાના અને માઇક્રો બિઝનેસમૅન છે. એટલે કે સામાન્ય લોકો પર વધુ ખર્ચનો બોજો નખાશે. જેથી અમેરિકન નાણાકીય કંપનીઓને ફાયદો કરાવી શકાય અને આ બધું ટ્રમ્પને ખુશ કરવા માટેની વધુ એક બેકાર કોશિશમાં થઈ રહ્યું છે."
સંસદમાં મંગળવારના રોજ પેમેન્ટ ઍન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ ઍક્ટમાં પ્રસ્તાવિત સંશોધન રજૂ કરાયાં.
આ બાદ એવા સમાચાર આવવા લાગ્યા હતા કે યુપીઆઇ પર ચાર્જ લાગી શકે છે. જે અંગે સરકારે સ્પષ્ટીકરણ જાહેર કરીને કહ્યું હતું કે તેના પર કોઈ ચાર્જ નહીં લાગે.
કેજરીવાલે કહ્યું- 'ટ્રમ્પની દરેક વાત માનીને પણ મોદીજી દેશ માટે આ લઈને આવ્યા છે'

ઇમેજ સ્રોત, Prakash Singh/Bloomberg via Getty Images
અમેરિકાની સીનેટે ભારત અને ચીન જેવા રશિયા અને તેના પેટ્રોલિયમ ઉત્પાદોના પ્રમુખ ખરીદદારોને દંડ આપવા અંગેના એક બિલને ભારે બહુમતથી મંજૂરી મળી છે. આ મુદ્દા પર દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ટિપ્પણી કરી છે.
કેજરીવાલે કહ્યું કે, "દેશને અમેરિકાના હાથોમાં ગિરવે મૂક્યા બાદ, ટ્રમ્પની ગુલામી કર્યા બાદ અને ભારતનું અપમાન કરાવ્યા બાદ મોદીજી દેશ માટે આ લાવ્યા છે."
"આજે દેશના દરેક મોટા નિર્ણયયમાં ટ્રમ્પનો હસ્તક્ષેપ છે. મોદીજી ટ્રમ્પની દરેક વાત માને છે-ભલે સારી હોય કે ખરાબ. અને ટ્રમ્પ દરેક ક્ષેત્રમાં ભારતની વિરુદ્ધ નિર્ણય લે છે."
અમેરિકન સાંસદોનો દાવો છે કે રશિયા સાથે આ પ્રકારનો વેપાર યુક્રેન યુદ્ધના પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર, બિલનું નામ બદલીને 'લિંડસે ઓ ગ્રાહમ સેક્શનિંગ રશિયા ઍન્ડ ઈરાન ઍક્ટ ઑફ 2026' કરી દેવામાં આવ્યું છે. સિનેટે આને 86-11 મતોથી મંજૂરી આપી છે.
અમેરિકા: રશિયા પર પ્રતિબંધવાળા બિલને મંજૂરી, ભારત સહિત પાંચ દેશો પર 100 ટકા ટેરિફની જોગવાઈ

ઇમેજ સ્રોત, Mandel NGAN / AFP via Getty Images
અમેરિકાના સેનેટે રશિયા અને તેના પેટ્રોલિયમ ઉત્પાદનોના મુખ્ય ખરીદદારો ચીન અને ભારતને દંડિત કરવા ભારે બહુમતીથી એક બિલને મંજૂરી આપી છે.
અમેરિકાના સાંસદોનો દાવો છે કે આવા વ્યાપાર યુક્રેન યુદ્ધને વેગ આપવા માટે મદદ કરે છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, બિલનું નામ બદલીને 'લિંડસે ઓ. ગ્રાહમ સેન્ક્શનિંગ રશિયા ઍન્ડ ઈરાન ઍક્ટ ઑફ 2026 રાખવામાં આવ્યું છે. સેનેટે તેને 86-11 મતથી મંજૂરી આપી.
આ બિલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયાના ટોચના પાંચ તેલ અને ગેસ આયાતકારો પાસેથી આવતા માલ પર 100 ટકા ટેરિફ લાદવાની મંજૂરી આપે છે.
જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ બિલ ભારત-અમેરિકા વેપાર સોદાની વાટાઘાટોને અસર કરી શકે છે , ત્યારે વ્હાઇટ હાઉસ નૅશનલ ઇકોનૉમિક કાઉન્સિલના ડિરેક્ટર કેવિન હેસેટે કહ્યું, "તે વાટાઘાટકારો પર આધાર રાખે છે. હું જ્યારે પ્રક્રિયા ચાલુ છે ત્યારે કોઈ ટિપ્પણી કરી શકતો નથી."
ઈરાને મુસ્લિમ દેશોને એક થવા અપીલ કરી

ઇમેજ સ્રોત, Thomas Trutschel/Photothek via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઈરાને મુસ્લિમો અને ગલ્ફ દેશોને એકતા માટે અપીલ કરી છે.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું "ઈરાનની શક્તિશાળી સેનાએ વિશ્વની સૌથી મોંઘી સેના સામે પોતાની તૈયારી, ક્ષમતા અને તાકાતનું પ્રદર્શન કર્યું છે."
તેમણે લખ્યું, "જો મુસ્લિમોમાં એકતા રહેશે તો આપણે બહારના ખરાબ નિયત ધરાવતા લોકો તરફથી આવતા દરેક પડકારનો હિંમતભેર સામનો કરી શકીશું."
"હવે ફક્ત પોતાના પર વિશ્વાસ કરવાનો અને સાચા ભાઈચારાને અપનાવવાનો સમય છે."
ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી આઈઆરએનએએ પણ અરાઘચીના આ નિવેદનને શેર કર્યું છે.
દરમિયાન, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા અને યુરોપ સાથેની વાતચીત અંગે ઈરાનના વલણનો બચાવ કર્યો છે.
તેમણે કહ્યું કે ઈરાન તેના રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે વાટાઘાટો ચાલુ રાખવા માટે તૈયાર છે, પરંતુ તેની સાર્વભૌમત્વ અથવા સંરક્ષણ ક્ષમતાઓને નબળી પાડતી માંગણીઓ સ્વીકારશે નહીં.
તેમણે પડોશી દેશો સાથે વધુ સારા સંબંધો, દેશના નેતૃત્વ અને સશસ્ત્ર દળો સાથે સંકલન તેમજ ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ઈરાનના સંઘર્ષ વચ્ચે પ્રાદેશિક વિભાજન અટકાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.
સ્પેન અને ઇટાલી વચ્ચેનો વિવાદ વધ્યો, બંને દેશોએ સરહદ નિયંત્રણ લાદ્યા

ઇમેજ સ્રોત, Getty Images
યુરોપિયન યુનિયનના બે દેશો, સ્પેન અને ઇટાલી વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. સ્પેને ઇટાલીથી થતી તમામ હવાઈ અને દરિયાઈ મુસાફરી પર સરહદ નિયંત્રણો લાદ્યા છે.
આ પગલાં મધ્યરાત્રિથી અમલમાં આવ્યા છે અને એક મહિના સુધી ચાલશે. સ્પેનનો આ નિર્ણય ઇટાલી દ્વારા સમાન પ્રતિબંધો લાદ્યાના એક અઠવાડિયા પછી આવ્યો છે.
ઇટાલીએ આ પ્રતિબંધો મોરોક્કોથી લગભગ 78,000 સ્થળાંતર કરનારાઓ સ્પેનના સ્વાયત્ત પ્રદેશ સ્યૂટા પહોંચ્યા બાદ લાદ્યા હતા.
મોરોક્કોના ઉત્તરી કિનારે સ્થિત સ્યૂટા, જિબ્રાલ્ટરની સ્ટ્રેટ દ્વારા મુખ્ય ભૂમિ સ્પેનથી અલગ થયેલ છે અને લાંબા સમયથી યુરોપ પહોંચવાનો પ્રયાસ કરતા સ્થળાંતર કરનારાઓ માટે એક મુખ્ય ઍન્ટ્રી પૉઇન્ટ રહ્યો છે.
સ્યૂટા ભૌગોલિક રીતે આફ્રિકન ખંડમાં સ્થિત છે અને તેની સરહદ મોરોક્કો સાથે જોડાયેલી છે. તે યુરોપિયન દેશ સ્પેનના વિસ્તારમાં આવેલું છે.
શુક્રવારે, સ્પેને માંગ કરી હતી કે ઇટાલી રવિવાર સુધીમાં તેની સરહદ પર દેખરેખ પાછી ખેંચી લે. ઇટાલીએ કહ્યું કે આ તપાસ ઓછામાં ઓછી 15 ઑગસ્ટ સુધી ચાલુ રહેશે.
ઇટાલીએ કહ્યું કે તેમને આશંકાઓ છે કે સ્પેનમાં સ્યૂટામાં પ્રવેશતા સ્થળાંતરકારોમાં વધારો થઈ શકે છે
આ કટોકટીએ સ્પેનના સમાજવાદી નેતા પેડ્રો સાંચેઝ અને ઇટાલીના રૂઢિવાદી નેતા જ્યોર્જિયો મેલોનીને સામસામે લાવી દીધા છે, જેમણે લાંબા સમયથી યુરોપિયન યુનિયનના પ્રવાસન નિયમોને કડક બનાવવાનું આહ્વાન કરતા રહ્યા છે.
ઇટાલીની સ્પેન સાથે કોઈ જમીન સરહદ નથી. ઇટાલી સરકારે ગયા અઠવાડિયે કહ્યું હતું કે સ્યૂટામાં પ્રવેશેલા સ્થળાંતર કરનારાઓને ઇટાલી પહોંચતા અટકાવવા માટે સરહદ-મુક્ત શેંગેન સિસ્ટમને અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શેંગેન સિસ્ટમ હેઠળ, લોકો પાસપોર્ટ વિના 25થી વધુ યુરોપિયન દેશોમાં મુસાફરી કરી શકે છે.
સ્પેને ઇટાલીની દલીલને ફગાવી દીધી અને કહ્યું કે તે "ખોટા તર્કો" પર આધારિત છે અને તેનો તથ્યો સાથે કોઈ સંબંધ નથી કારણ કે સ્યૂટામાં પ્રવેશેલા સ્થળાંતરકારો પાસે શેંગેન વિસ્તારમાં પ્રવેશવાનો કોઈ રસ્તો નહોતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન

























