જુનિયર ક્લાર્ક પેપરલીક મામલે આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર કેવા પ્રહાર કર્યા?
પ્રકાશિત
તાજેતરમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવનારી જુનિયર ક્લાર્ક વર્ગ-3ની પરીક્ષાનું પેપર લીક થયા બાદ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર પ્રહાર કર્યા હતા.
નોંધનીય છે કે રવિવારે લેવાનાર પરીક્ષા અગાઉ પ્રશ્નો ફરતાં થવાના કારણે લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષા સેન્ટરેથી પાછા ફરવું પડ્યું હતું.
જેના કારણે યુવાનોમાં આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો.
આ સમગ્ર મામલે પંચાયતવિભાગ દ્વારા કરાયેલ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવાયું હતું આગામી 100 દિવસમાં ફરીથી પરીક્ષાનું આયોજન કરાશે.
છતાં વિરોધ પક્ષે સરકાર સામે આક્રમણ વલણ અખત્યાર કર્યું હતું.

Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
























