બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને?

ઇમેજ સ્રોત, Getty Images
તેમને ફાંસી આપવાનો સમય અસામાન્ય હતો. વહેલી સવારને બદલે 23 માર્ચની સાંજે સાડા સાત વાગ્યે. સૂરજ અસ્ત થઈ ગયો હતો. લાહોર જેલના વડા મેજર પી. ડી. ચોપડા 23 વર્ષના એક યુવાન અને તેના બે સાથી જોડે ચાલતા ફાંસીના માંચડા ભણી આગળ વધતા હતા.
આ દૃશ્ય નિહાળી રહેલા જેલના નાયબ વડા મોહમ્મદ અકબર આંખમાં આવતાં આંસુને રોકવાના મુશ્કેલ પ્રયાસ કરતા હતા.
ફાંસીના માંચડા તરફ આગળ વધી રહેલો તે યુવાન એ સમયે ભારતની કદાચ સૌથી વિખ્યાત વ્યક્તિ બની ગયો હતો.
ભગતસિંહની સાથે તેમના બે સાથી સુખદેવ અને રાજગુરુ પણ ચાલી રહ્યા હતા. ભગતસિંહની ડાબી બાજુ સુખદેવ, જ્યારે જમણી બાજુ રાજગુરુ હતા.
એ ત્રણેયે તત્કાલીન અંગ્રેજ સરકારને વિનંતી કરી હતી કે રાજકીય કેદીના તેમના દરજ્જાને ધ્યાનમાં રાખીને તેમને સાધારણ ગુનેગારોની માફક ફાંસી આપવાને બદલે બંદૂક વડે ઠાર કરવામાં આવે, પરંતુ અંગ્રેજ સરકારે તેમની વિનંતી ફગાવી દીધી હતી.
ફાંસીના માંચડા તરફ આગળ વધી રહેલા ભગતસિંહ એક ગીત ગાઈ રહ્યા હતાઃ ‘દિલ સે ન નિકલેગી મર કર ભી વતન કી ઉલ્ફત, મેરી મિટ્ટી સે ભી ખુશબૂ-એ-વતન આયેગી.’ તેમના બન્ને સાથી ભગતસિંહના સૂરમાં સૂર મેળવી રહ્યા હતા.
આ સંપૂર્ણ લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

ઇમેજ સ્રોત, SADAM ALOLOFY/UNFPA
મોનાને પ્રસૂતિની ઊપડી ત્યારે એક ઊંટ તેમનું તારણહાર બન્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
19 વર્ષનાં મોનાએ એવું ધારેલું કે પર્વતની ટોચ પર આવેલા તેમના ઘરેથી હૉસ્પિટલ સુધીનું 40 કિલોમીટરનું અંતર ચાર કલાકમાં કાપી શકાશે, પરંતુ ખરાબ રસ્તા અને પ્રતિકૂળ હવામાનને કારણે તેમને સાત કલાક લાગ્યા હતા.
મોનાએ કહ્યું હતું કે “ઊંટ પ્રત્યેક ડગલું આગળ વધતું હતું ત્યારે હું પીડાથી ચિત્કારતી ઊઠતી હતી.”
ઊંટ અટકી ગયું ત્યારે મોના તેના પરથી નીચે ઊતરી ગયાં હતાં અને તેમના પતિ સાથે પગપાળા ચાલીને હૉસ્પિટલે પહોંચ્યા હતાં.
ઉત્તર-પશ્ચિમ યમનના માહવીત પ્રાંતમાં બાની સાદ હૉસ્પિટલ હજારો મહિલાઓ માટેની એકમાત્ર કાર્યરત્ હૉસ્પિટલ છે. મોનાનું ઘર અલ-માકરા ગામમાં આવેલું છે અને ત્યાંથી ઊંટ પર બેસીને અથવા જોખમી પર્વતમાં પગપાળા પ્રવાસ કરીને જ પહોંચી શકાય છે.
ઊંટ પર બેસીને પ્રવાસ કરતી વખતે મોના પોતાની તથા તેમના ગર્ભમાંના બાળકની સલામતી બાબતે ભયભીત રહ્યાં હતાં.
‘શારીરિક અને માનસિક રીતે થકવી નાખનારા પ્રવાસને’ યાદ કરતાં મોનાએ કહ્યું હતું કે “રસ્તો ખડકાળ હતો. એ પ્રવાસમાં એવો સમય પણ આવ્યો હતો, જ્યારે મેં ભગવાનને પ્રાર્થના કરી હતી કે મારો જીવ લઈ લેજો પણ મારા સંતાનને હેમખેમ રાખજો.”
આ સંપૂર્ણ લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

ઇમેજ સ્રોત, KIRTI DUBEY/BBC
દર વર્ષે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ આવે છે અને તેની સાથે સંઘર્ષ, સમર્પણ અને પ્રતિભાના નવા કિસ્સા જાણવા મળે છે.
પરિણામ આવતાં જ સેંકડો લોકોની જિંદગી એક ક્ષણમાં બદલાઈ જાય છે. દર વર્ષે આ પરીક્ષામાં ટૉપ કરનાર લોકો અને તેમની કહાણીઓ સિવિલ સર્વિસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બને છે.
ઈશિતા કિશોર સિવિલ સર્વિસ વર્ષ 2022નાં ટૉપર છે. અહીં અમે તમને ઈશિતા કિશોર વિશેની કેટલીક રસપ્રદ વાતો જણાવી રહ્યાં છીએ.
સિવિલ સર્વિસ પરીક્ષા માટે 27 વર્ષનાં ઈશિતા કિશોરનો આ ત્રીજો પ્રયાસ હતો. અગાઉના બંને પ્રયાસોમાં તેઓ પ્રિલિમ્સ પરીક્ષામાં પણ ક્વૉલિફાઈ કરી શક્યાં નહોતાં અને ત્રીજી વારમાં તેમણે ટૉપ કર્યું છે.
ઈશિતાએ દિલ્હી યુનિવર્સિટીની શ્રીરામ કૉલેજ ઑફ કૉમર્સમાંથી અર્થશાસ્ત્રમાં બીએ ઑનર્સ કર્યું છે, પરંતુ સિવિલ સર્વિસની પરીક્ષામાં તેમનો વિષય પૉલિટિકલ સાયન્સ અને ઇન્ટરનેશનલ રિલેશન્સ હતો.
આ વિષય પસંદ કેમ કર્યો તે અંગે તેમણે બીબીસીને જણાવ્યું હતું કે, “ગ્રૅજ્યુએશનમાં મારો વિષય પૉલિટિકલ સાયન્સ હતો, તેથી મને તેના વિશે થોડી ઘણી ખબર હતી. મને લાગતું હતું કે પૉલિટિકલ સાયન્સ એક એવો વિષય છે, જેમાં હું પોતાને શ્રેષ્ઠ રીતે ઍક્સ્પ્રેસ કરી શકું છું અને ઇન્ટરનેશનલ રિલેશન્સ સમકાલીન વિષય છે, તેથી મને લાગ્યું કે આ વિષય મારા માટે અર્થશાસ્ત્ર કરતાં વધુ સારો રહેશે. મેં મારી મજબૂત બાજુનો ખૂબ જ સમજીવિચારીને ઉપયોગ કરવાનું નક્કી કર્યું.”
આ સંપૂર્ણ લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

ઇમેજ સ્રોત, Getty Images
રવિવારે 28મેના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતની સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન કરશે. આ દિવસે વિનાયક દામોદર સાવરકરની 140મી જન્મ જયંતી છે. ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના અંતિમ સંસ્કાર પણ આ જ દિવસે થયા હતા.
સાવરકરને લઈને જે રીતે વિવાદ રહ્યો છે એના લઈને આ વાતની કડક ટીકા થઈ રહી છે કે કેન્દ્ર સરકારે તેમના જન્મદિવસે નવી સંસદનું ઉદ્ઘાટન કરવાનું નક્કી કર્યું.
સાવરકરની ટીકા એ માફીનામા માટે કરવામાં આવે છે જે તેમણે આંદામાનની સેલ્યૂલર જેલમાં કેદી તરીકે બ્રિટનની સરકારને લખ્યું હતું પરંતુ સાથે સાથે ઘણા ઇતિહાસકાર અને લેખકોનું માનવું છે કે મહાત્મા ગાંધીની હત્યાના ષડયંત્રમાં સાવરકરની ભૂમિકાને લઈને ઉઠેલા સવાલ ક્યારેય ખતમ નથી થયા.
નવા સંસદભવનના ઉદ્ઘાટનના સમાચાર આવ્યા બાદ મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ટ્વીટ કરી કહ્યું, "વડા પ્રધાન 28મેના રોજ વીડી સાવરકરની જંયતી પર નવા સંસદભવનનું ઉદ્ઘાટન કરશે. તેમણે ભવનનું નામ ‘સાવરકર સદન’ અને સૅન્ટ્રલ હોલનું નામ ‘માફી કક્ષ’ રાખવું જોઈએ."
કૉંગ્રેસ નેતા જયરામ રમેશે આ ઉદ્ઘાટનને "“આપણા તમામ સંસ્થાપક પિતા અને માતાઓનું પૂર્ણ અપમાન" ગણાવ્યું. સાથે જ એ પણ કહ્યું કે આ ગાંધી, નહેરુ, પટેલ, બોઝ અને આંબેડકર જેવા નેતાઓને સંપૂર્ણ રીતે નકારવા બરાબર છે.
તૃણમૂલ કૉંગ્રેસના સાસંદ સુખેંદુ શેખર રૉયે કહ્યું કે નવા સંસદભવનના ઉદ્ધાટન માટે 26 નમેમ્બર 2023નો દિવસ યોગ્ય હોત, કેમ કે આ દિવસે બંધારણ દિવસ હોય છે. તેમણે ટ્વીટ કરી પૂછ્યું, “પરંતુ આ 28 મેના રોજ સાવરકરના જન્મદિવસ પર કરવામાં આવશે – આ કેટલું પ્રાસંગિક છે?”
આ સંપૂર્ણ લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

“આઈ એમ પ્રાઉડ ઑફ માયસૅલ્ફ” એટલે કે “મને મારા પર ગર્વ છે.”
આઈપીએલની પોતાની પહેલી સિઝનમાં સાતમી મૅચ રમી રહેલા આકાશે આ વાત જ્યારે કરી ત્યારે તેમને આખી દુનિયા સાંભળી રહી હતી. બહુ જૂજ ખેલાડીઓને આવું કહેવાનો મોકો મળ્યો હશે.
આકાશ મધવાલ કદાચ આવું કહેવાવાળા પ્રથમ ખેલાડી છે.
આઈપીએલની નૉકઆઉટ મૅચમાં તેમણે જે કમાલ કર્યો એ એમના પહેલાં કોઈ ખેલાડીએ ક્યારેય નથી કર્યો. આકાશ મધવાલ હજુ સુધી ભારત તરફથી રમ્યા નથી. નૉકઆઉટ રાઉન્ડમાં બૅટ્સમૅનોને હતપ્રભ કરી દેનારી આવી બૉલિંગ આ પહેલાં કોઈ આંતરરાષ્ટ્રીય ખેલાડીએ પણ નથી કરી.
માત્ર પાંચ રન આપીને પાંચ વિકેટ. ચેન્નઈના મેદાનમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે બૉલિંગથી આકાશે કરેલો આ એવો ચમત્કાર હતો, જેણે લખનૌ સુપર જાયન્ટ્સને બહુ આસાનીથી આઈપીએલમાંથી બહાર કરી દીધું હતું.
મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આ પહેલાં લખનૌ સુપર જાયન્ટ્સને આઈપીએલમાં ક્યારેય હરાવી શકી ન હતી.
ઍલિમિનેટર મૅચમાં જ્યારે બંને ટીમો મેદાન પર ઉતરી ત્યારે મુંબઈ ઇન્ડિયન્સની ટીમે પહેલાં બેટિંગ કરીને 182 રન બનાવ્યા હતા. તે પછી પણ આ મૅચ ખૂબ રસપ્રદ થશે એવો દાવો તમામ ક્રિકેટ ઍક્સપર્ટ કરી રહ્યા હતા.
આ સંપૂર્ણ લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.
























