ચંદ્રયાન-3: જો ચંદ્ર ન હોત તો પૃથ્વી પર શું-શું બદલાઈ જાત?

ચંદ્રયાન-3: જો ચંદ્ર ન હોત તો પૃથ્વી પર શું-શું બદલાઈ જાત?
પ્રકાશિત

ભારતનું ત્રીજું ચંદ્ર અભિયાન, ચંદ્રયાન-3 એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ તબક્કામા પહોંચી ચૂક્યું છે. ચંદ્રયાન-3નું વિક્રમ લૅન્ડર તેની પ્રૉપલ્શન સિસ્ટમથી અલગ થઈને હવે ચંદ્રની આસપાસ ભ્રમણ કરી રહ્યું છે.

ભ્રમણ બાદ તે સમયાંતરે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે. ઇસરોની યોજના અનુસાર વિક્રમ લૅન્ડર 23 ઑગસ્ટના રોજ ચંદ્રની સપાટી પર પહોંચશે.

નોંધનીય છે કે ચંદ્રના અભ્યાસ માટે ચંદ્રયાન-3 એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે.

તાજેતરમાં ચંદ્ર અંગે આવી રહેલા સમાચારોને પગલે ચંદ્રને લઈને કુતૂહલ જોવા મળી રહ્યું છે. આ અહેવાલમાં અમે આવાં જ કેટલાંક કુતૂહલને કારણે સર્જાયેલા પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે.