બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા?

ઇમેજ સ્રોત, ANI
મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલની મૅચ દિલ્હી કેપિટલે ગુજરાત ટાઇન્સને પાંચ રને હરાવી દીધી છે.
દિલ્હીએ પહેલા બેટિંગ કરતા આઠ વિકેટ ગુમાવીને 130 રનનો સ્કોર કર્યો હતો. આઈપીએલમાં સામાન્ય ગણાતો આ સ્કોર જોકે ગુજરાત ટાઇટન્સ ચેઝ કરી શકી નહોતી.
મૅચ પહેલાં એવું અનુમાન હતું કે જીત મેજબાન ટીમ ગુજરાત ટાઇટન્સની જ થશે, જોકે એવું બન્યું નહોતું.
આઈપીએલના પૉઇન્ટ ટેબલમાં ગુજરાત પહેલા નંબરે છે અને દિલ્હી છેલ્લા નંબરે છે.
દિલ્હીના કૅપ્ટન ડેવિડ વૉર્નરે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે ટીમ માત્ર 130 રન બનાવી શકી હતી.text


ઇમેજ સ્રોત, Getty Images
રુડોલ્ફ હાસે તેમના બગીચામાં અવોકાડોનું નાનકડું વૃક્ષ વાવ્યું હતું. તે કોઈ કામનું ન હતું એટલે તેઓ જમીન ખોદીને તેને મૂળમાંથી કાઢી રહ્યા હતા, પરંતુ તેવું ન કરવા તેમને સમજાવવામાં આવ્યા હતા.
1920ના દાયકાના અંતનો સમય હતો. તેઓ તેમનાં પત્ની એલિઝાબેથ અને 18 મહિનાની દીકરી બૅટી સાથે સપ્ટેમ્બર, 1923માં લોસ એન્જલસ નજીકના પાસાડેના ખાતે આવી પહોંચ્યા હતા. તેમના પરિવારના અન્ય કેટલાક સભ્યો ત્યાં સ્થાયી થયા હતા અને તેમણે રુડોલ્ફને અહીં સ્થાયી થવા પ્રોત્સાહિત કર્યા હતા.
તેઓ ઉત્તર અમેરિકાના મિલવૌકીથી જૂની ખખડધજ ફોર્ડ મોટરમાં 3,300 કિલોમીટરનો પ્રવાસ કરીને દેશના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં પહોંચ્યા હતા. એ મોટર તેમણે તેમના સહકાર્યકર પાસેથી 1920માં 75 ડૉલરમાં ખરીદી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રુડોલ્ફે કેલિફોર્નિયામાં પહેલાં ફળો તથા શાકભાજી વેચવાનું કામ કર્યું હતું. પછી હોઝિયરી, અન્ડરવેર અને ઍસેસરીઝના સેલ્સમૅન તરીકે કામ કર્યુ હતું. ત્યાર બાદ તેમણે વોશિંગ મશીન અને વેક્યુમ ક્લિનર્સ વેચવાનું કામ કર્યું હતું અને આખરે તેમને પાસાડેના પોસ્ટ ઓફિસમાં પોસ્ટમૅનની નોકરી મળી હતી.
તેમનાં પત્નીએ કરેલી નોંધ મુજબ, રુડોલ્ફને પોસ્ટમેનની નોકરી 1926માં મળી હતી. જોકે, તે લખાણ દાયકાઓ પછી લખવામાં આવ્યું હતું અને તેમા સમાવિષ્ટ માહિતી તેને સાબિત કરતા દસ્તાવેજો સાથે મેળ ખાતી નથી.


ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં હવે ચોમાસું શરૂ થવાને માત્ર એક મહિનાના જેટલો સમય બાકી છે. દેશમાં 1 જૂનની આસપાસ ચોમાસું શરૂ થતું હોય છે. તે પહેલાં બે મહિના એટલે કે એપ્રિલ અને મે મહિના ભારતના દરિયામાં વાવાઝોડાં સર્જાવાનો સમય છે.
ચોમાસું શરૂ થાય તે પહેલાં જ બંગાળની ખાડી કે અરબ સાગરમાં વાવાઝોડાં સર્જાતાં હોય છે. આ વખતે એપ્રિલ મહિનામાં વાવાઝોડું સર્જાયું નથી.
જોકે, હવે એવા સમાચાર મળી રહ્યા છે કે આ વર્ષનું પ્રથમ વાવાઝોડું બંગાળની ખાડીમાં સર્જાવા જઈ રહ્યું છે. લગભગ 8 મે બાદ આ વાવાઝોડું સર્જાશે અને તે ભારત તથા બાંગ્લાદેશના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે.
જોકે, આ મામલે ભારતના હવામાન વિભાગે કોઈ ચેતવણી જારી કરી નથી અને વાવાઝોડું સર્જાવાની વાતને પુષ્ટિ પણ કરી નથી.


ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યુક્રેન પર હુમલાની સજા આપવા માટે યુરોપિયન યુનિયન (ઈયુ)એ પાછલા વર્ષે ડિસેમ્બર માસથી રશિયન ક્રૂડઑઇલ પર લગભગ પ્રતિબંધ લાદી દીધો હતો.
બે મહિના બાદ રશિયાની રિફાઇન્ડ ઑઇલ પેદાશો પર પણ પ્રતિબંધ લાદી દેવાયા. પ્રતિબંધ અગાઉ યુરોપની જરૂરિયાતમાંથી 30 ટકા ઑઇલ રશિયાથી ખરીદાતું હતું.
એવું મનાઈ રહ્યું હતું કે રશિયન ઑઇલની આયાત પર પ્રતિબંધને કારણે યુરોપિયન યુનિયન સહિત સમગ્ર યુરોપમાં પુરવઠો ખૂટી શકે છે.
યુરોપ માટે આ ચિંતા જન્માવનારી બાબત હતી કારણ કે પ્રદેશ પહેલાંથી જ ઊંચા મોંઘવારી દરો સામે ઝઝૂમી રહ્યો હતો.
પરંતુ પ્રતિબંધો છતાં યુરોપમાં રશિયન ઑઇલ સપ્લાય થઈ રહ્યું છે.
યુરોપિયન બજારમાં રશિયન ઑઇલ હવે ભારત મારફતે પહોંચી રહ્યું છે.
રશિયાનું ક્રૂડઑઇલ સીધું યુરોપ સુધી ન પહોંચવાના કારણે ત્યાંની ઑઇલ રિફાઇનિંગ કંપનીઓ સામે ઉત્પાદનની સમસ્યા સર્જાઈ છે.
પરંતુ ભારતની ખાનગી સૅક્ટરની રિફાઇનરીઓએ આ સ્થિતિને યુરોપમાં પુરવઠામાં સર્જાયેલ ગૅપને ભરવાની સારી તક સ્વરૂપે જોઈ છે.
આંકડા પ્રમાણે ગત વર્ષે જાન્યુઆરી સુધી ભારતથી યુરોપિયન સંઘના દેશોમાં રિફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ સતત પાંચ મહિના સુધી વધતી રહી. આ મહિને આંકડો 19 લાખ ટન સુધી પહોંચી ગયો.


ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય મૂળના અમેરિકન પ્રોફેશનલ અને માસ્ટર કાર્ડના પૂર્વ અધ્યક્ષ અજય બંગાને વર્લ્ડ બૅન્કના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, તે 2 જૂનનાં રોજ હોદ્દો સંભાળશે.
વર્લ્ડ બૅન્કે એક નિવેદનમાં જાહેર કર્યું હતું કે, "વર્લ્ડ બૅન્કના કાર્યકારી નિદેશકોએ આજે અજય બંગાને બૅન્કના અધ્યક્ષ ચૂંટી કાઢવામાં આવ્યા છે. તેઓ બીજી જૂન, 2023થી પાંચ વર્ષો માટે આ કાર્યભાર સંભાળશે."
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને ભારતીય મૂળના અમેરિકન શીખ બિઝનેસમૅન અજય બંગાનું નામ વર્લ્ડ બૅન્કના અધ્યક્ષ માટે સૂચવ્યું હતું.
અમેરિકા દ્વારા આ બૅન્ક ઉપર જળવાયુ પરિવર્તનની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે બંગાની નિમણૂક મહત્ત્વપૂર્ણ બની રહેશે.
બંગાના પિતા ભારતીય સેનામાં અધિકારી હતા અને તેમણે દિલ્હી યુનિવર્સિટી તથા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ અમદાવાદમાં અભ્યાસ કર્યો છે. હવે, તેઓ અમેરિકાનું નાગરિકત્વ ધરાવે છે.
બંગાએ લગભગ એક દાયકા કરતાં વધુ સમય સુધી માસ્ટરકાર્ડની ધૂરા સંભાળી હતી અને હવે એક ખાનગી ઇક્વિટી કંપનીમાં કામ કરે છે. અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે અજય બંગાના નેતૃત્વમાં ખાનગીક્ષેત્રને સાથે લઈને વિશ્વ બૅન્કને તેના નિર્ધારિત લક્ષ્યાંકોને પાર પાડવામાં મદદ મળશે.
























